________________
પ્રકર્ષ પ્રાપ્ત થાય છે, વંદનમાં પંચાંગ પ્રણિપાત બરાબર થવું જોઇએ. શ્રી કૃષ્ણ વાસુદેવે પ્રભુ નેમનાથના ૧૮ હજાર સાધુઓને વંદન કર્યું હતું, જેથી તેમના સાતમી નરકના બંધાયેલ આયુષ્યકર્મના દળિયાને ૩જી નરકમાં પરીવર્તિત થઇ ગયા હતા.
પ્રભુ મહાવીરે ગૌતમ સ્વામીના વંદન સંબંધિત પ્રશ્નના જવાબમાં જણાવ્યું કે, વંદનથી ઉચ્ચગોત્ર, સૌભાગ્ય નામકર્મ, લોકપ્રિયતા વગેરેનું સંપાદન થાય છે, અષ્ટ કર્મની અશુભ કર્મ પ્રકૃતિ સ્થિતિ, પ્રદેશ અને રસ અનુભાગ બંધમાં ઘટાડો વંદનના ભાવના તારતમ્ય પ્રમાણે થાય છે. તમે લોકો પાલીતાણામાં બિરાજમાન આપણા વિશાળ સમુદાયના કેટલા સાધુઓને રોજ વંદન કરો ? વિચારજો. (૪) પ્રતિક્રમણ - આવશ્યકથી આરાધના કરતા લાગેલા તથા વ્રતાદિમાં લાગેલ અતિચારોની શુદ્ધિ થાય છે.
પ્રતિક્રમણ એ ભૂલોનું પ્રક્ષાલન છે, આત્મશુધ્ધિનું મહાન કાર્ય છે.
ભૂલ થઇ જવી આસાન છે, પણ ભૂલને સુધારવી તે મહાનતા છે, જે ભૂલમાં મશગુલ છે, જેને ભૂલ શૂલ જેવી નહીં, પણ ફૂલ જેવી લાગે છે, તેનું જીવન ધૂલ છે. પણ જેને ભૂલ ફૂલ જેવી ડંખે છે, તેના જીવનનું આમૂલચૂલ પરિવર્તન થઇ જાય છે. કહ્યું છે,
જો કભી ભૂલ ન કરે ઉસે ભગવાન કહતે હૈ, જો ભૂલ કરકે ભૂલ જાય ઉસે નાદાન કહતે હૈ, જો ભૂલ કરકે કુછ શીખ જાયે ઉસે ઇન્સાન કહતે હૈ
જ ભૂલ કરકે મુસ્કુરાયે ઉસે શૈતાન કહતે માટે પ્રતિક્રમણ આવશ્યક ભૂલોની દોષોની શુધ્ધિ માટે પ્રતિદિન કરવા લાયક છે. (૫) કાઉસ્સગ્ન- આવશ્યકથી પ્રતિક્રમણ દ્વારા બાકી રહેલ અતિચારોની શુદ્ધિ થાય છે.
કાયોત્સર્ગ એ કર્મક્ષયનું મુખ્ય કારણ છે, તેથી આત્મવિશુધ્ધિ જબ્બર થાય છે અને ચંચળતા મરીને ચિત્ત એકાગ્ર બને છે. (૬) પ્રત્યાખ્યાન - આવશ્યકથી તપાચારની શુદ્ધિ થાય છે. પચ્ચખાણથી આત્મબળ કેળવાય છે, સંજ્ઞાઓનું શોષણ થાય છે, આત્મ સ્વભાવનું પોષણ થાય છે, આહારાદિમાં ભટકતું મન સહજ રીતે અટકી જાય છે, જેથી આત્મ સ્વરૂપ તરફ પ્રગતિ થાય છે. અને છ એ આવશ્યકના પાલનથી વીર્યાચારની શુદ્ધિ થાય છે.
આમ જણાવીને ઍન્થકારે આ પયત્રાને કુશલાનુબંધી અધ્યયન એવું બીજું નામ પણ આપ્યું છે.
ચાર શરણ
આ
મેળા માં ધારણા-આગમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org