________________
આલંબન પ્રાપ્ત ન થયું હોત તો...!
આગમનો આદર કરવો, તેની ભક્તિ અને પૂજા કરવી, તે આત્માર્થી વ્યક્તિનું પ્રમુખ કર્તવ્ય છે કહ્યું છે.
आगमं आयरंतेणं अत्तणो हिय कंखिणा ।
तित्थनाहो गुरु धम्मो सन्चो ते बहुमन्निया ।। આગમનો આદર હિતકાંક્ષી આત્માએ અવશ્ય કરવો જોઇએ, તેમ કરવાથી તીર્થંકર પરમાત્મા, ગુરુ, ધર્મ વગેરે સર્વનો આદર બહુમાન થઇ જ ગયો તેમ માનવું..
પ્રભુ મહાવીર સ્વામીના નિર્વાણ પશ્ચાત કાળના વહી જતા અખલિત પ્રવાહમાં પ્રભુના શાસન ઉપર ઘણા બધા આક્રમણો, આઘાતો અને પ્રત્યાઘાતોના સર્જન થયા. બાર બાર વર્ષના ભયંકર દુષ્કાળો ફેલાયા, પરિણામ સ્વરૂપ તત્કાલીન સાધુઓની બુધ્ધિમાં પણ મંદતા આવવા લાગી.. અનેક આગમ પાઠોનું વિસ્મરણ થવા લાગ્યું, તેથી તત્કાલીન પરિસ્થિતિને લક્ષ્યમાં લઇને તે સમયના દીર્ઘદ્રષ્ટા આચાર્યોએ શ્રમણ સંમેલનનું સંયોજન કર્યું. આચાર્ય સ્કંદિલે મથુરાનગરીમાં તથા આચાર્ય નાગાર્જુને વલ્લભીપુરીમાં શ્રમણોની સમક્ષ વાચનાઓનું સંકલન કર્યું. જેમાં મુનિઓને જેટલું યાદ હતું, તે સર્વ પાઠોનું વ્યવસ્થિત સંકલન થયું, આ બન્ને વાચનાઓ ક્રમશઃ માથુરી વાચના તથા વલ્લભી વાચના તરીકે પ્રસિદ્ધિને પામી.... પશ્ચાત દેવર્ધિગણિ ક્ષમાશ્રમણે આગમોને સર્વપ્રથમ કાગળ ઉપર પુસ્તકારુઢ કર્યા.
સમયની બદલાતી પરિસ્થિતિમાં જૈન સાધુઓએ આગમ શાસ્ત્રોને ટકાવવા માટે ઘણી કમ્મર કસી. એવો પણ સમય આવ્યો, જ્યારે જૈન શ્રમણોની વિકટ રાજ્યસ્થિતિમાં મસ્તકોના ઢગલા પણ થવા માંડ્યા... એવો પણ સમય આવ્યો, જ્યારે જૈન શાસ્ત્રોની હજારોની સંખ્યામાં વિનાશલીલા પણ સર્જાઇ..
આચાર્ય હરિભદ્રસૂરિ, આચાર્ય હેમચન્દ્રસૂરિ આચાર્ય વાદિદેવસૂરિ, મહોપાધ્યાય યશોવિજયજી જેવા હજારો શ્રતધર પુરુષોએ પણ વિશાળ જૈન સાહિત્યનું સર્જન કર્યું, જેમાં આગમોની વાતોને પણ વિશિષ્ટ રીતે ગૂંથવામાં આવી.
જે આગમો અને શાસ્ત્રો ઉપર જૈન શાસનના સમગ્ર બંધારણનો પાયો રચાયેલો છે, તે આગમોની મહાન પરંપરા અને વારસાને સજીવન રાખવો અને આગળ ધપાવવો તે આજે પણ આપણા સૌનું એક પવિત્ર કર્તવ્ય છે યોગ્ય સાધુ ૪૫ આગમ વાંચી શકે છે, જ્યારે શ્રાવક પણ ગુરૂમુખે ૩૯ આગમ સાંભળી શકે છે.
વર્તમાન કાલમાં જે મહાપુરુષે આગમોનો મહાનું ઉધ્ધાર કર્યો, તે આગામોધ્ધારકશ્રીનો મહાન ઉપકાર જૈન સંઘ કદાપિ ન ભૂલી શકે, અને
કે
અવ્યયનો બાધાર-બાગમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org