________________
(FICIHS
પંકિત સાદ દે છે.
उज्जमह मा विसीयह तरतम जोगो इमो दुल्लहो !
આગમની આ આરસી પર ક્યારેક સંજોગના વિપરીત સમીરથી અજ્ઞાનની ધૂળ ચઢી જાય છે. ત્યારે એને સંવારનારો કોઇ બંકો બેઠો થતો જ હોય
છેલ્લી ત્રણ સદીમાં એવો બંકો નજરે ચઢતો હોય તો એક માત્ર છે...આગમોદ્ધારક પૂજ્ય આનંદસાગરસૂરીશ્વરજી મ. /
ઘણું જાજ્વલ્યમાન પ્રકાશ્યમાન અને પ્રેરક એઓશ્રીનું જીવ-કવન છે. આથીસ્તો તેઓશ્રીના કાળધર્મને પચાસ વર્ષ પૂર્ણ થતાં મુંબઇ, સુરત અમદાવાદ, પાલિતાણામાં પૂજ્યશ્રીના જીવન-કાર્યને અનુલક્ષી વિવિધ આયોજનો થવા પામ્યા...
ઘણા બધા આયોજનો થયા અને જનાકર્ષક ઘણી બધી પ્રવૃત્તિઓ થવા પામી જેમાં પૂ. આગમ દ્વારકશ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ. નો ગગનગિરી જ્યનાદ અનવરત ગુંજતો રહ્યો. પરંતુ આ નિમિત્તને લઇ પાલિતાણામાં ચમકેલા આયોજનો કંઇક નવી જ ભાત પાડી ગયા. વર્તમાન કાળમાં સર્વાધિક પૂ. સાધુ-સાધ્વીજીની સંખ્યા ઘરાવનાર વિરાટ સાગર સમુદાયના ગચ્છાધિપતિશ્રી સૂર્યોદયસાગરસૂરીશ્વરજી મ.ના સાન્નિધ્યમાં પૂ. સાગરજી મ. ના જન્મ દિવસ નિમિત્ત ત્રિદિવસીય આયોજન સુનિશ્ચિત થયું.
છે તનુસાર અષાઢ વદ ૧૩ ના રોજ ૪૫ આગમની અતિભવ્ય રથયાત્રા નીકળી એમાં ૪૫ આગમોને બગીઓમાં પધરાવી. આગમમંદિરના વિશાળ પટાંગણમાં પધરાવવામાં આવ્યા. આ રથયાત્રામાં પાલિતાણામાં બિરાજમાન તમામ પૂજ્યશ્રી (સત્તર સૂરિદેવાદિ) પધાર્યા. અષાઢ વદી ૧૪ ના દિવસે ૪૫ આગમોની અષ્ટપ્રકારી પૂજાનું આયોજન ખૂબ જ રસાળ રહ્યું. અને અષાઢ વદી અમાસના રોજ ગુણાનુવાદ સભામાં પૂજ્ય ગચ્છાધિપતિ શ્રી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org