________________
KICINS
'અગમ અરિસો જોવાતાં રે ! લોલ
હાથમાં બેદાગ અસ્સલ આરસી હોવા છતાં.
પોતાનું મુખ આરસના લીસ્સા પત્થરમાં જોવાની ચેષ્ટા કરે એને કેવો કહેવો ?
* મુખનું પ્રતિબિંબ જેટલું આરસી અપનાવી શકે તેટલું તો આરસ હરગીજ ન અપનાવી શકે. આટલી સ્પષ્ટ વાત હોવા છતાં કેટલાક આરસીના બદલે આરસ પસંદ કરતાં હોય છે. એમાં લાભની કોઇ શક્યતા નહિ નુકશાનનો પાર નહિ ! | આરસીમાં પ્રતિબિંબ જોવાથી દાગ, અસ્વચ્છતા, મેલ દૂર કરી ચહેરાને બેદાગ-સુસ્વચ્છ અને નિર્મલ બનાવી શકાય છે. જ્યારે આ શક્તિ આરસ પાસે નહિ હોવાથી એ સાચું પ્રતિબિંબ બતાવી શકતો નથી ઉલટાનું બીજુત્રીજુ બતાવી ઇન્સાનને ભ્રમણામાં નાંખી દે છે. અને ભ્રાન્ત વ્યક્તિ ક્યારે પણ સત્ય-માર્ગને પામી શકતો નથી...ઉલઝાયા જ કરે...મુરઝાયા જ કરે.
દુનિયાના તખ્તા પર આગમની આરસી પણ છે અને આરસના ટુકડા જેવા બીજા ગ્રંથો પણ છે...! એ ગ્રંથોને જોતાં એમ લાગી આવે કે જીવની શિવગતિ હાથવગી છે...થોડા જ પ્રયત્ન પહોંચી જવાશે...પણ હકીકતમાં એ ભ્રમમાત્ર હોય છે એમાં વાસ્તવિકતાના દર્શન દુર્લભ હોય છે...વાસ્તવિકતાના દર્શન કરવા જ્યારે આગમની આરસી તરફ દ્રષ્ટિ નાખીએ ત્યારે શુભવીર વિજયજીની પંકિત કાને અથડાયા વિના રહેતી નથી કે
“આગમ આરિસો જોવતો રે ! લોલ દૂર દીઠું છે શિવપુર ઠાણ...જો...”
અને ત્યારે આત્માના જોમમાં વેગ વળગે છે...કે ઓહ ! શિવપુર એમ કંઇ “સસ્તુ ભાડું ને સિદ્ધપુરની યાત્રા’ નથી. હજી ઘણી ડડમઝલ કાપવાની છે. ઉઠો...બેસી રહેવાનો આ સમય નથી...આવે ટાણે મહાનિશીથની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org