________________
(FICING
સૂર્યોદયસાગરસૂરિ મ.ના સુમધુરકંઠે મંગલાચરણ બાદ પધારેલા પૂજ્ય અધ્યાત્મયોગી આચાર્યદેવ શ્રીમદ્વિજય કલાપૂર્ણસૂરી મ. આદિ તમામ પૂજ્યશ્રીઓએ પૂજ્ય સાગરજી મ. ના જીવન-વિષે સુણ્યા-અણસુણ્યા અનેક પ્રસંગો અને ગુણો પર પ્રવચન આદર્યા...સભામાં જનતાનો ધસારો એટલો બધો કે વિશાળ પટાંગણ સાંકડું પડ્યું. ત્રણ કલાક ચાલેલી સભાનો સમય ઓછો પડવાથી બપોરે ફરી સભા રાખવી પડી એનો પણ સમય ઓછો પડતાં બીજે દિવસે સવારે પણ ગુણાનુવાદ સભા આયોજવી પડી.'
આમ આ ત્રિદિવસીય આયોજન તો પૂર્ણતાને વર્યું પરંતુ ખરેખરું આયોજન તો ભાદરવા વદ ૧ થી શરુ થયું હતું.
પૂજ્ય સાગરજી મ. આગમોના વાસ્તવમાં ઉદ્ધારક હોવાથી આગમની જાણકારી મળે તેવું કંઇક થવું જોઇએ. આ વિચાર આવતાં એક સુંદર યોજના ઘડાઇ. કે પંદર દિવસમાં ૪૫ આગમનો સંક્ષિપ્ત પરિચય કરાવવામાં આવે અને એ પણ પાલિતાણામાં બિરાજમાન તમામ પૂજ્યશ્રીઓના વરદ મુખે ! આ માટે પન્નારુપા ધર્મશાળામાં એતિહાસિક અને ભવ્યતા ભરપુર ચોમાસું કરાવનાર ઝવેરી પ્રવીણચંદ્ર રતનચંદ્ર રાજા પરિવારના હિમાંશુભાઇએ પાલિતાણામાં બિરાજમાન તમામ પૂજ્યશ્રીઓને નિયત કરેલા દિવસે નિયત કરેલા આગમની સંક્ષિપ્ત પરિચય વાચનાદાન કરવા વિનંતિ કરી..
અને આ ચોમાસાની સૌથી મોટી ઉપલબ્ધિ હતી સર્વસમુદાયો વચ્ચેની એકાત્મતા. એથી લગભગ તમામ પૂજ્યશ્રીઓએ સહર્ષ સંમતિ-પ્રદાન કર્યું.
પરિચયવાચનાનું સ્થળ શ્રી પન્નારુપા ધર્મશાળા હતી આથી એના વિશાળ પ્રવચન હોલને પૂજ્ય વડિલબંધુ આ. શ્રી જિનચન્દ્રસાગરસૂરિજી તથા મુનિ શ્રી પૂર્ણચન્દ્રસાગરજીના માર્ગદર્શન અનુસાર શણગારવામાં આવ્યો હતો. મુખ્ય પાટ પર કમલાકાર સિંહાસન વચ્ચે પંચધાતુમય પંચમગણધર શ્રી સુધર્માસ્વામિની પ્રતિમા બિરાજમાન કરવામાં આવી હતી. બરાબર એની
Jain Education International
TORS
-Vee Use om
janelibrary.org