________________
પુષ્પચૂલિકા - મોટીશાંતિમાં જે ડ્રી, શ્રી, ધૃતિ મતિ આદિ દેશ દેવીના નામ આવે છે તે દેવીઓના પૂર્વભવના વર્ણન આવે છે. તે તે દેવીના નામથી તે તે અધ્યયન છે. આ દશ દેવીઓએ પૂર્વભવમાં પાર્શ્વનાથ ભગવાન પાસે સંયમ લીધું હતું. શ્રીદેવી
જ્યારે વીર ભગવંત પાસે નાટક કરે છે ત્યારે ગૌતમસ્વામી પરમાત્માને પૃચ્છા કરે છે અને ત્યારે વીરપ્રભુ જવાબ આપે છે. જિતશત્રુ રાજા હતો તેની પુત્રી. મોટી ઉંમરે લગ્ન ન થયુ. એટલે સંયમ સ્વીકારે છે. શરીરની શુશ્રુષાની ઇચ્છા થાય છે. શુશ્રુષા કરે છે. ગુરૂ ભગવંત ઘણુ સમજાવે છે છતાં માનતા નથી. દુર્ગંછાથી સતત શુશ્રુષા કરે છે. આલોચના વગર કાળ કરે છે. સંયમના પ્રભાવે શ્રીદેવી તરીકે ઉત્પન્ન થાય છે. મોક્ષ અપાવે તેવું ઉત્કૃષ્ટ સંયમ છતાં દુગંછાના કારણે મોક્ષ ન પામી શકી.. સ્વછંદતાથી પરમાત્માની વિરુદ્ધ અનાચાર થઇ ગયો. તો મોક્ષ અટકી ગયો. છેવટે આત્માની સાધના કરી. મહાવિદેહમાંથી મોક્ષે જશે. આ જીવન પ્રાપ્ત થયા પછી બે કર્તવ્યો જ્ઞાની ભગવંતે મૂક્યા.
૧) જાતજાતના કુસંસ્કારો લઇને આવ્યા. તેને સાફ ક૨વાના.
૨) ભવિષ્યને ઉજ્જવળ બનાવવા શુભ સંસ્કાર પ્રાપ્ત થાય તેવા લોકો વચ્ચે રહેવા દ્વારા “શુભ’’ની જમાવટ કેમ થાય તે માટે પ્રયત્ન કરવા. ચારિત્રમાં શુભ સંસ્કારોની જમાવટ હોય તો તેનાથી દેવલોકમાં આસક્તિ થતી નથી.
૩) વાિદશાંગ - ઉપાંગ તેને કહેવાય કે જેમાં અંગનો અમુક વિષય લઇ તેનો વિસ્તાર કરેલો હોય.
બારમું અંગ દૃષ્ટિવાદ છે. તેનો વિચ્છેદ થયો છે. પણ તેનું ઉપાંગ વહિશાંગ આજે પણ આપણી પાસે હાજર છે. ભલે બારમું અંગ નથી. બારમું પણ ઉપાંગ હાજર છે.
૧૨ અધ્યયન છે. વાસ્તવિક નામ નંદીસૂત્રની ચૂર્ણિમાં અંધક વėિદશાંગ છે આ નામમાંથી અંધક શબ્દનો લોપ થયો છે. પૂર્વપદનો કદાચ લોપ થયો હોય તો પણ ઉત્તરપદથી પણ નામ ચાલી શકે તેથી અંધકવહિદશાંગ નામ હોવા છતાં વણ્ણિદશાંગ નામથી ચાલી શકે.
૮૪
૧ અધ્યયનમાં વહ્નિવંશમાં ઉત્પન્ન થયેલા બળદેવના ૧૨ પુત્રો તેના પૂર્વભવનું તેમાં વર્ણન આવે છે. માટે જ તેનું નામ વર્ણાિદશાંગ છે.
Jain Education International
શિષ્યની ધારણા-ખમમ
For Personal & Private Use Only
www.jainelibrary.org