________________
૧૦ પન્ના છે. છતાં છુટાછવાયા ૩૦ પયજ્ઞા મળે છે. આ ત્રણ આગમો (ઉપાંગ) - અંગબાહ્ય છે. ઉત્કાલિક છે. ધર્મકથાનુયોગ છે. આ બાહ્ય પરિચય છે.
૧) પુષ્પિકા - પ્રશ્નવ્યાકરણ અંગનું આ ઉપાંગ છે. તેમાં ૧૦ અધ્યયન છે. પૂ. ચંદ્રસૂરિ મ.ની ટીકા હાલ ઉપલબ્ધ છે.
સૂર્ય - ચંદ્ર, બહુપુત્રિકા, બલિભદ્ર, મણિભદ્ર અનાદત આદિ ૧૦ અધ્યયનો છે તે તે દેવોનું વર્ણન આવે છે. શુક્ર અધ્યયનમાં શુક્રનું વર્ણન આવે છે. ચંદ્ર અધ્યયનમાં ચંદ્રનું વર્ણન આવે છે.
પુષ્મિત = ખીલવું, સુખી થવું... જે પુષ્પિત છે જે ખીલેલો છે. જે સુખી છે.
ગૃહવાસનો ત્યાગ કરી, સંયમભાવ સ્વીકારી પુષ્પિત = સુખી થાય છે. એ સુખની પ્રાપ્તિ થવા છતાં દુઃખી થાય છે. ત્યાં સંયમ છોડવાના પરિણામ જાગે છે. ત્યારે ફરી સંયમ સ્વીકારી સુખી થાય છે. માત્ર સંયમજીવનમાં જ સુખ છે. માત્ર સંયમને સ્વીકારવાથી જ આપણો આત્મા સુવાસિત = સુગંધિત થાય છે. ગૃહસ્થ જીવનમાં દુ:ખ છે. સતત આશ્રવ ક્લેશ કંકાસ છે. ત્યાં આત્મા દુઃખી થાય છે. પંચસૂત્રમાં કહ્યું છે કે આ સંસાર દુઃખસ્વરૂપ છે. દુ:ખફલક છે અને દુઃખના અનુબંધવાળો છે. વિગેરે વર્ણન આ ગ્રંથમાં છે.
પહેલું અધ્યયન - પરમાત્મા રાજગૃહીમાં પધારે છે. દેશના આપે છે. સૂર્યાભદેવે આવી નાટક કર્યા. તેમ ચંદ્ર પણ નાટક કર્યા. નૃત્ય કર્યા. ચંદ્ર વિદાય થાય છે.
ગૌતમ પૂછે છે – આ શું થયું ? ચંદ્રની આટલી ઋદ્ધિ કેમ આટલા દેવકુમારો ? ક્યાંથી આવીને ક્યાં ગયા ? ત્યારે ભગવાન ધટાદાર શાખાની વાત કરે છે.
તે વખતે રાજા મોટા મકાનો બનાવતા. શાખાઓ બનાવી હોય. બધા નગરની બહાર જાય. મોજમજા આનંદ પ્રમોદ કરતાં હોય.. એટલામાં વૃષ્ટિ થાય છે. અને ભયભીત થઇ ધટાદાર શાખામાં પહોંચી જાય છે. તે રીતે ચંદ્ર પણ વિકર્વણા કરી પોતાના સ્થાનમાં પહોંચી જાય છે. પ્રશ્ન - હે ભગવાન ! ચંદ્રની આટલી પ્રસિદ્ધિ કેમ ? પરમાત્મા - કોષ્ટગ નામના વણિકે – દેશના સાંભળી વૈરાગ્ય પામે છે. સંયમને ગ્રહણ કરે છે. ૧૧ અંગનો અભ્યાસ કરી ચંદ્રાવતંસક નામના જ્યોતિષ વિમાનમાં ઉત્પન્ન
થાય છે. સંયમ પાળવાના કારણે ઋદ્ધિ મળી.
અહંનો વિસ્તાર-આગમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org