________________
આગમના બે ભેદ છે. ૧) અંગ પ્રવિષ્ટ ૨) અંગ બાહ્ય
અંગપ્રવિષ્ટ - જે ગણધર ભગવંતે બનાવેલું હોય. ત્રણ માતૃકાપદ ઉપ્પડવા, વિગમેદવા, ધુવેઇવા - આ ત્રણ પદના માધ્યમે જેનું સર્જન થાય. સર્વ તીર્થકરના શાસનમાં જે નિશ્ચયરૂપે થાય છે. તેનું નામ ધ્રુવ. અનંતા તીર્થકર દરેકના શાસનમાં દ્વાદશાંગી થાય જ.
જે માતૃકાપદમાંથી ઉત્પન્ન થયેલું હોય, જે ધ્રુવ હોય, જે ગણધર ભગવંતોએ બનાવેલું હોય તે અંગ પ્રવિષ્ટ કહેવાય.
અંગબાહ્ય – માતૃકાપદની સાથે જેનો અનંતર સંબંધ ન હોય.
વ્યાકરણના નિયમોથી બનાવેલું હોય, જે થવીરશે બનાવેલું હોય તે અંગબાહ્ય કહેવાય.
બધુ ગણધર ભગવંતોએ બનાવેલું અંગ પ્રવિષ્ઠ ન કહેવાય. માત્ર માતૃકાપદમાંથી તરત જ ઉત્પન્ન દ્વાદશાંગીરૂપ શ્રુત અંગ પ્રવિષ્ટ છે. તથા ગણધર ભગવંત પછીના સ્થવિરોએ - જે સંયમમાં સ્થિર થયેલા છે તેઓએ રચેલું શ્રુત બધુ જ અંગબાહ્ય હોય.
અંગબાહ્યના બે ભેદ છે ૧) કાલિક ૨) ઉત્કાલિક
નંદીસૂત્રમાં શબ્દ મૂક્યો છે. જે સૂત્ર અધ્યયનમાં કાલાદિ આચારનું પાલન કરવું પડે છે. તેને કાલિક સૂત્ર કહેવાય.
વિશેષ આવશ્યકમાં - કાલ એટલે દિવસ રાત્રિ. રાત્રિનો પહેલો અને છેલ્લો પ્રહર અને દિવસનો પહેલો અને છેલ્લો પ્રહર - આ ચાર પ્રહરમાં જે ભણી શકાય અને કાલગ્રહણ લેવા પૂર્વક ભણી શકાય તે કાલિક કહેવાય. કાલિક સૂત્ર ચાર પ્રહર જ ભણી શકાય છે. માટે કાલગ્રહણ ચાર જ લઇ શકાય. સાધ્વીજી મહારાજ રાત્રિના બે કાલગ્રહણ ન લઇ શકે. નંદીસૂત્રમાં વ્યાખ્યા આ પ્રમાણે છે. અહો રાત્રિમાં ચાર કાલાવેલા છે. તે સંધિકાળ કહેવાય. સંધિકાળની બે ઘડી છોડીને ભણાય તે ઉત્કાલિક મૂત્ર કહેવાય. .
બાપની મૂડી સૌથી વધારે આપણે શ્વેતાંબરોએ સાચવી છે. દિગંબરો કહે કે અમે પણ જૈન છીએ. પણ પ્રભુની વાણી આગમો તેમની પાસે નથી.
સ્થાનકવાસી - તેરાપંથી ૩ર આગમાં માને છે. દેવર્ધ્વિગણિના સમયમાં ૮૪ આગમો હતા. આપણી પાસે ૪૫ આગમ છે.
પૂજ્ય ગુરૂદેવ શ્રી અભયસાગરજી મ. જે જણાવેલ કે આમ ગણતરીમાં
અહંથી વિસ્તાર-આગમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org