________________
' એમની જ પુણ્ય સ્મૃતિમાં આ આયોજન પૂજ્ય ગુરૂદેવશ્રીએ કર્યું...એમાં
આજના ત્રણ ઉપાંગો છે ૧) પુષ્યિકા ૨) પુષ્પગુલિકા ૩) વનિંદશાંગ.
આગમ શબ્દની શાસ્ત્રમાં ઠેર ઠેર જુદી જુદી વ્યાખ્યા કરેલી છે તીર્થંકર ભગવંતે પ્રકાશિત કર્યું છે અને ગણધર ભગવંતે ગૂંચ્યું. તે આગમ છે. આપ્તપુરુષ તીર્થકરે જે પ્રકાડ્યું છે તેના પર અહોભાવ આદર સન્માન થાય તે રીતે અલગ અલગ વ્યાખ્યા કરી છે.
જેના દ્વારા આપણા પોતાનું આત્મતત્ત્વ સમજાય તે આગમ. આગમ દ્વારા આપણા પોતાનો પરિચય કરવાનો છે.
આત્માનું જ્ઞાન જેના દ્વારા થાય છે તેનું નામ આગમ. આગમદ્ધારા - જીવતત્ત્વ નવતત્ત્વ ચાર અનુયોગ બધુ જ જાણો પણ પોતાના આત્માને ન જાણે તેનું શું ?
આગમના બધા પદાર્થો પર દષ્ટિ નાંખે, પણ પોતાના પર, આત્મા પર દૃષ્ટિ ન થાય તો બધું વ્યર્થ છે.
કુભાર બધા ગધેડાને ગણે પણ પોતે જે ગધેડો પર બેઠો છે તેને જ ગણવાનું ભૂલી જાય છે તેના લીધે ઘણી ગરબડ ઉભી થાય છે. ૧૪ રાજલોકના પદાર્થોનું જ્ઞાન મેળવે છે. પણ પોતાના આત્માને ભૂલી જાય એવા સાડાનવ પૂર્વ ભણેલાને શાસ્ત્રકારોએ અભવ્ય મિથ્યાત્વી કહી દીધા છે. જેનાથી આપણા પોતાનો પરિચય - સ્વભાવદશાનો પરિચય થાય. સ્વભાવદશાને મેળવવાનો પ્રયત્ન થાય તે આગમ કહેવાય. આપણા પકખી સૂત્રમાં શ્રત આગમનું વર્ણન કર્યા પછી કહે છે,આ આગમનો સ્વીકાર કેવી રીતે કરવાનો ? તીર્થકર જે ભાવથી આગમતત્ત્વોની પ્રરૂપણા કરી છે. તે જ ભાવથી શ્રધ્ધા, રુચિ, પાલન, અનુપાલન કરવાનું છે. એમ એ સૂત્રમાં કહ્યું છે....
સાડાનવ પૂર્વ ભણેલો પણ બાહ્ય છે. જ્યારે માત્ર આત્માને જાણનારો, માત્ર અષ્ટ પ્રવચન માતાને જાણનારો શાસ્ત્રની અંદર છે. જેના દ્વારા આત્મા સમજાય, આત્માનું કલ્યાણ થાય, તે આગમ કહેવાય.
કોઇનો પરિચય ત્રણ રીતે થાય. કઇ નાત ? કઇ જાત ? કયો સ્વભાવ ? નાત, જાત જાણ્યા પછી તેનો સ્વભાવ જણાય.
નાત - જાત અને ભાત એમ આ રીતની ત્રિપદીથી પદાર્થનો વસ્તુતઃ બાંધ
ક, થાય.
વીડીઝ ૧૪ પૂર્વનું અપૂર્વ પર્વ-આગમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org