________________
કરનાર સંયમનિષ્ઠ ચારિત્રવાન આચાર્ય ભગવંત હોય છે. રોજી મેળવવા શિલ્પી બિંબનું સર્જન કરે છે. અને તેમાં આચાર્ય ભગવંત પ્રાણ પ્રતિષ્ઠા કરે છે. જ્યારે આગમનું સર્જન ગણધર ભગવંત કરે છે. ત્રિપદી પામીને અંતર્મુહૂર્તમાં ગણધર ભગવંત દ્વાદશાંગી રચે છે.
ગણધર ભગવંતે સર્જન કરેલ દ્વાદશાંગીમાં પ્રાણપ્રતિષ્ઠા કરે છે. તીર્થકર ભગવંત આ અપેક્ષાએ જિનબિંબ કરતા જિનાગમનું મહત્ત્વ વધી જાય છે. પૂ. હરિભદ્રસૂરિ મ. પૂર્વે - પરમાત્માના જિનાલયમાં પ્રવેશ ન કરું એવા નિર્ધારવાળા હતા. પરંતુ હાથી પાગલ છે. બચવાનો ઉપાય નથી. ત્યારે પરાણે પણ જિનમંદિરમાં પ્રવેશ કરે છે. ત્યાં જિનપ્રતિમાના રજી. માધ્યમે જિનેશ્વરપ્રભુની ક્રુર મશ્કરી કરે છે કે કેવું હૃષ્ટપુષ્ટ શરીર છે. કશી તપસ્યા કે ત્યાગ કર્યો નથી લાગતો...પણ પાછળથી આ જ પૂ. હરિભદ્રસૂરિ મ.ના અંતિમ શબ્દો છે - જો આ જિનાગમ ન મળ્યું હોત તો અમારા જેવાનું શું થાત ?'
કેવી વિકટ પરિસ્થિતિમાંથી, ભયંકર પરિસ્થિતિમાંથી આપણા સુધી આગમ આવ્યા છે. તો તે સુરક્ષિત કરવાને, તેને સમજવું એ આપણી પરમ ફરજ છે. પૂ. હરિભદ્રસૂરિ મ.સા. ના ઉદ્ગાર હતા કે “જો જિન-આગમ ન હોત તો શું થાત ?” એવા જ ઉદગાર પ્રાજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજીનું હતું.” જો સાગરજી મ.સા. ન હોત તો
શું થાત !”
છ છ વાચના થઇ તે પરમાત્માના નિર્વાણકાળથી ૧૦૦૦ વર્ષમાં થઇ. પછી ૧૫૦૦ વર્ષમાં આગમવાચના થઇ તેવો પ્રાયઃ ઉલ્લેખ મળતો નથી. પ.પૂ. સાગરજી મહારાજે પોતાની જીંદગીમાં સાત આગમ વાચના આપી અને એમાં ૨૩૩૨૦૦ (બે લાખ તેત્રીસ હજાર બસો) આગમના શ્લોકની વાચના આપી. આપણામાં આગમની ચેતના પ્રગટાવી. “જો પૂજ્ય સાગરજી મ.સા. ન હોત તો આગમનું ખેડાણ એકપણ ફિરકામાં ન હોત'' આવું થાનકવાસી પણ બોલે છે. આવું તેરાપંથી પણ બોલે છે.
પહેલા પુસ્તકો પ્રતો મેળવવામાં કેટલી તકલીફ કઠિનાઈ હતી. પૂ. સાગરજી મહારાજને વ્યાકરણ ભણવું છે. પણ પુસ્તક પ્રત મળતી નથી. વિહાર કરતા જાય જ્યાં ખબર પડે કે ભંડાર છે. ત્યાં પ્રત મેળવવા પ્રયત્ન કરે. ૬ મહિના તો પ્રત મેળવતા થયા. અને ત્યારે પણ શ્રાવકે કહ્યું, કે તમે પહેલા અડધી વાંચો પછી અડધી પ્રત મળશે.'
પૂ. સાગરજી મહારાજે આવી વિકટ પરિસ્થિતિમાંથી પણ પસાર થઇ આગમનો ઉદ્ધાર કર્યો. આગમની વાચના આપી. આગમને વહેતુ કર્યું.
- યોગીનું આયરાણ-આગમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org