________________
૭૪
કર્મપ્રકૃતિ ભાગ-૨
(૧) ૪૨ની ઉદીરણાએ અપાન્તરાલ ગતિમાં એક ભાંગો :- ત્યાં નરકગતિ, નરકાનુપૂર્વી, પંચેન્દ્રિયજાતિ, ત્રસ, બાદર, પર્યાપ્ત, દુર્ભગ, અનાદેય, અયશકીર્તિ એ ૯ પ્રકૃતિઓ ધ્રુવોદીરણાની ૩૩ પ્રકૃતિઓ સાથે ભેગી કરવાથી ૪૨ પ્રકૃતિઓની ઉદીરણા થાય છે. અહીં સર્વ અશુભ પદો હોવાથી એક જ ભાંગો થાય છે.
(૨) ૫૧ની ઉદીરણાએ શરીરસ્થ નારકને એક ભાંગો :- પછી શરીર0 નારકને વૈક્રિયસપ્તક, હુડકસંસ્થાન, ઉપઘાત, પ્રત્યેક એ ૧૦ પ્રકૃતિઓ ઉમેરવાથી અને નરકાનુપૂર્વી બાદ કરવાથી ૫૧ પ્રકૃતિઓની ઉદીરણા થયા છે. અહીં પણ એક જ ભાંગો થાય છે.
| (૩) ૫૩ની ઉદીરણાએ શરીર પર્યાપ્ત નારકને એક ભાંગો :- પછી શરીર પર્યાપ્તિ વડે પર્યાપ્ત થયેલ નારકને પરાઘાત, અશુભવિહાયોગતિ ઉમેરવાથી પ૩ની ઉદીરણા થાય છે. અહીં પણ એક જ ભાંગો થાય છે.
(૪) ૫૪ની ઉદીરણાએ શ્વાસોશ્વાસ પર્યાપ્ત નારકને એક ભાંગો :- પછી શ્વાસોશ્વાસ પર્યાપ્તિ વડે પર્યાપ્ત થયેલ નારકને ઉચ્છવાસ ઉમેરવાથી ૫૪ની ઉદીરણા થાય છે. અહીં પણ એક જ ભાંગો થાય છે.
(૫) ૫૫ની ઉદીરણાએ ભાષા પર્યાપ્ત નારકને એક ભાંગો :- પછી ભાષા પર્યાપ્તિ વડે પર્યાપ્ત થયેલ નારકને દુ:સ્વર ઉમેરવાથી પંપની ઉદીરણા થાય છે. અહીં પણ એક જ ભાંગો થાય છે. નારકીના સર્વ ભાંગાની સંખ્યા પાંચ થાય છે. તે પ્રમાણે નામકર્મના ઉદીરણાસ્થાનો કહ્યાં. (ઇતિ જીવભેદે ઉદીરણાસ્થાન પ્રરૂપણા સમાપ્ત)
ગુણસ્થાનકને વિષે નામકર્મના ઉદીરણાસ્થાનો :- હવે તે જ નામકર્મના ઉદીરણાસ્થાનોને ગુણસ્થાનકને વિષે જોડીને કહે છે ‘‘સુ પામસ'' ઇત્યાદિ મિથ્યાષ્ટિ આદિથી સયોગી કેવલી સુધીના ગુણસ્થાનકને વિષે યથાસંખ્યા પ્રમાણે ૯ આદિ ઉદીરણાસ્થાનો છે.
(૧) પ્રથમ ગુણસ્થાનકના ઉદીરણાસ્થાનો - ત્યાં મિથ્યાષ્ટિને ૯ ઉદીરણાસ્થાનો છે. તે આ પ્રમાણે કહે છે. ૪૨ - ૫૦ - ૫૧ - ૫૨ - ૫૩ - ૫૪ - ૫૫ - ૫૬ અને ૫૭. આ સર્વ પણ મિથ્યાષ્ટિ એવા એકેન્દ્રિય આદિને સ્વયં વિચારી લેવા.
(૨) બીજા ગુણસ્થાનકના ૭ ઉદીરણાસ્થાનો - સાસ્વાદન સમ્યગુદૃષ્ટિને ૭ ઉદીરણાસ્થાનો છે. તે આ પ્રમાણે કહે છે. ૪૫-૫૦-૫૧-૫૨-૫૫-૫૬ અને ૨૭ છે. ત્યાં ૪૨ની ઉદીરણા બાદર એકેન્દ્રિય, વિકસેન્દ્રિય, તિર્યચપંચેન્દ્રિય, મનુષ્ય અને દેવોને અપાન્તરાલ ગતિમાં સાસ્વાદન સમ્યગુદૃષ્ટિને હોય છે. તથા ૫૦ની ઉદીરણા દેહસ્થ એકેન્દ્રિયને હોય છે. ૫૧ની ઉદીરણા દેહસ્થ દેવોને હોય છે. પરની ઉદીરણા દેહી વિકસેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્યને હોય છે. પપની ઉદીરણા પર્યાપ્ત દેવ-નારકને હોય છે. ૫૬ની ઉદીરણા પર્યાપ્ત તિર્યંચ પંચેન્દ્રિય મનુષ્ય અને દેવોને હોય છે. ૫૭ની ઉદીરણા ઉદ્યોતના ઉદયમાં વર્તતાં તિર્યંચ પંચેન્દ્રિયને હોય છે.
(૩) ત્રીજા ગુણસ્થાનકના - ૩ ઉદીરણાસ્થાનો - મિશ્રદૃષ્ટિને ત્રણ ઉદીરણાસ્થાનો છે. ૫૫-૫૬ અને ૨૭. ત્યાં પપની ઉદીરણા દેવ-નારકને હોય છે. પ૬ની ઉદીરણા તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્ય અને દેવોને હોય છે. પ૭ની ઉદીરણા ઉદ્યોતના ઉદયમાં વર્તતાં તિર્યંચ પંચેન્દ્રિયને હોય છે.
(૪) ચોથા ગુણસ્થાનકના ૮ ઉદીરણાસ્થાનો :- અવિરત સમ્યગુદૃષ્ટિને ૮ ઉદીરણાસ્થાન છે. ૪૨ અને ૫૧ આદિ-૭ છે. ત્યાં ૪૨ની ઉદીરણા નારકી, દેવ, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યોને હોય છે. ૫૧ની ઉદીરણા દેવ, નારકીને (*અને વૈક્રિય તિર્યંચ તથા વૈક્રિય મનુષ્યને) હોય છે. પરની ઉદીરણા તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યને હોય છે. પ૩ની ઉદીરણા નારકી, દેવ, વૈક્રિય તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યને હોય છે. ૫૪ની ઉદીરણા દેવ, નારક, તિર્યંચ પંચેન્દ્રિય, વૈક્રિય તિર્યંચ પંચેન્દ્રિયને [‘મનુષ્ય અને વૈક્રિય મનુષ્યને] હોય છે. ૫૫ની ઉદીરણા પણ તે જ જીવોને હોય છે, પ૬ની ઉદીરણા દેવ, તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્યોને હોય છે. ૫૭ની ઉદીરણા ઉદ્યોતના ઉદયમાં વર્તતાં એવા તિર્યંચ પંચેન્દ્રિયને હોય છે.
(૫) પાચમા ગુણસ્થાનકના ૬ ઉદીરણાસ્થાનો :- દેશવિરતના ઉદીરણાસ્થાનો -૬ છે. ૨૧-૫૩-૫૪-૫૫-૫૬-અને પ૭ છે. ત્યાં ૫૧-૫૩-૫૪-૫૫ એ ૪ ઉદીરણાસ્થાનો વૈક્રિય દેહમાં વર્તતાં તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યને હોય છે. પ૬ની ઉદીરણા સ્વભાવસ્થ - તિર્યંચ, મનુષ્ય અને વૈક્રિય શરીરી તિર્યંચ - મનુષ્યને હોય છે. પ૭ની ઉદીરણા ઉદ્યોત સહિત તિર્યંચ પંચેન્દ્રિયને હોય છે.
() છઠ્ઠા ગુણસ્થાનકના ૫ ઉદીરણાસ્થાનો :- પ્રમત્ત સંયતને ૫ ઉદીરણાસ્થાનો છે. ૫૧ અને પ૩ આદિ - ૪ છે. અને આ પાંચે પણ ઉદીરણાસ્થાનો વૈક્રિયશરીરી અને આહારકશરીરીને હોય છે. પદનું ઉદીરણાસ્થાન દારિક શરીરવાળાને પણ હોય છે.
૩૨ આ બન્ને કૌસમાં લખેલ Jain Education International
વાત ટીકામાં નથી પણ તે જરૂરી છે.
For Personal & Private Use Only
www jainelibrary.org