________________
ઉદીરણાકરણ
થાય છે. તે પ્રમાણે સામાન્ય મનુષ્ય - વૈક્રિયશરીરી - આહારકશરીરી અને કેવલીના સર્વસંખ્યા સ્વમતે ૧૩૩૪ ભાંગા અને અન્યમતે ર૬૫૦ ભાંગા થાય છે.
દેવોના ઉદીરણાસ્થાનો :- ૬ છે. તે આ પ્રમાણે ૪૨-૫૧-૫૩-૫૪-૫૫ અને ૨૬ છે.
(૧) ૪૨ની ઉદીરણાએ અપાન્તરાલ ગતિમાં ૪૮ ભાંગ :- ત્યાં દેવગતિ, દેવાનુપૂર્વી, પંચેન્દ્રિયજાતિ, ત્રાસ, બાદર, પર્યાપ્ત સુભગ-આદેય યુગલ કે દુર્ભગ - અનાદેય યુગલમાંથી એક એ ૯ પ્રકૃતિઓને ધ્રુવોદીરણાની ૩૩ પ્રકૃતિઓ સાથે ભેગી કરવાથી ૪૨નું ઉદીરણાસ્થાન થાય છે. અહીં સુભગ - આદેય યુગલ, દુર્ભગ- અનાદેય યુગલને યશકીર્તિ - અયશકીર્તિ વડે ૨ X ૨ = ૪ ભાંગા થાય છે. અન્યમતે સુભગ-દુર્ભગ સાથે આદેય - અનાદેયના અને યશ-કીર્તિ - અયશકીર્તિના- ૨ X ૨ X ૨ = ૮ ભાંગા થાય છે.
(૨) ૫૧ની ઉદીરણાએ શરીરસ્થ દેવને ૪/૮ ભાંગા :- પછી શરીરસ્થ દેવને વૈક્રિયસપ્તક, સમચતુરસ્ત્ર સંસ્થાન, ઉપઘાત, પ્રત્યેક આ ૧૦ પ્રકૃતિઓ ઉમેરવાથી અને દેવાનુપૂર્વ બાદ કરવાથી ૫૧ પ્રકૃતિઓની ઉદીરણા થાય છે. અહીં પણ પૂર્વની જેમ સ્વમતે ૪ ભાંગા અને અન્યમતે ૮ ભાંગા થાય છે. | (૩) ૫૩ની ઉદીરણાએ શરીર પર્યાપ્ત દેવને ૪/૮ ભાંગ :- પછી શરીર પર્યાપ્તિએ પર્યાપ્ત દેવને પરાઘાતશુભવિહાયોગતિ ઉમેરવાથી પ૩ની ઉદીરણા થાય છે. અહીં પણ પૂર્વની જેમ સ્વમતે ૪ ભાંગા અને અન્યમતે ૮ ભાંગા થાય છે. દેવોને અશુભવિહાયોગતિ ઉદય ન હોવાથી તેને આશ્રયીને ભાંગા થાય નહીં.
(૪) ૫૪ની ઉદીરણાએ શ્વાસોશ્વાસ પર્યાપ્ત દેવને ૪/૮ ભાંગા :- પછી શ્વાસોશ્વાસ પર્યાપ્તિ વડે પર્યાપ્ત થયેલ દેવને ઉચ્છવાસ ઉમેરવાથી ૫૪ની ઉદીરણા થાય છે. અહીં પણ સ્વમતે ૪ ભાંગા અન્યમતે ૮ ભાંગા થાય છે.
૫૪ની ઉદીરણાએ શરીર પર્યા. દેવને ૪૮ ભાંગા :- અથવા શરીર પર્યાપ્તિએ પર્યાપ્ત થયેલ દેવને ઉચ્છવાસની અનુદીરણા અને ઉદ્યોતનામકર્મની ઉદીરણા થયે ૫૪ની ઉદીરણા થાય છે. અહીં પણ સ્વમતે - ૪ ભાંગા અને અન્યમતે ૮ ભાંગા થાય છે. તેથી ૫૪ની ઉદીરણાએ સર્વસંખ્યા સ્વમતે ૮ અને અન્યમતે ૧૬ ભાંગા થાય છે.
(૫) ૫૫ની ઉદીરણાએ ભાષા પર્યાપ્ત દેવને ૪૮ ભાંગા :- પછી ભાષા પર્યાપ્તિ વડે પર્યાપ્ત થયેલ દેવને ઉચ્છવાસ સહિત ૫૪માં સુસ્વર ઉમેરવાથી પ૫ની ઉદીરણા થાય છે. અહીં પણ સ્વમતે - ૪ ભાંગા અને અન્યમતે ૮ ભાંગા થાય
- ૫૫ની ઉદીરણાએ શ્વાસોશ્વાસ પર્યાપ્ત દેવને ૪૮ ભાંગા :- શ્વાસોશ્વાસ પર્યાપ્ત દેવને સ્વરની અનુદીરણા થયે અને ઉદ્યોતનામકર્મની ઉદીરણા થયે ૫૫ની ઉદીરણા થાય છે. અહીં પણ સ્વમતે ૪ ભાંગા અને અન્યમતે ૮ ભાંગા થાય છે. સર્વમલીને પપની ઉદીરણામાં સ્વમતે ૮ ભાંગા અને અન્યમતે ૧૬ ભાંગા થાય છે.
(૬) ૫૬ની ઉદીરણાએ ભાષા પર્યાપ્ત દેવને ૪/૮ ભાંગા:- પછી ભાષા પર્યાપ્તિ વડે પર્યાપ્ત થયેલ દેવને સુસ્વર સહિત ૫પની ઉદીરણામાં ઉદ્યોતનામકર્મ ઉમેરવાથી પ૬ની ઉદીરણા થાય છે. અહીં પણ સ્વમતે - ૪ ભાંગા અને અન્યમતે ૮ ભાંગા થાય છે. દેવોને સર્વસંખ્યા સ્વમતે ૩૨ ભાંગા અને અન્ય મતે ૬૪ ભાંગા થાય છે.'
નારકના ઉદીરણાસ્થાનો :- પાંચ છે તે આ પ્રમાણે કહે છે. ૪૨ - ૫૧ - ૫૩ - ૫૪ અને ૫૫ છે.
૩૫
ઉદીરણાસ્થાન - ૫૧ - ૫૩- ૫૪ - ૫૫ - ૫૬ સ્વ-પરમત – ૧ + 1 + ૨ + ૨ + ૧ = ૭ ભાંગા
સ્વમતે
અન્યમતે સામાન્ય મનુષ્ય ૧૩૦૨
૨૬૦૨ વિક્રિય શરીર, આહારક શરીર કેવલીના મનુષ્યગતિના કુલ ભાંગા ૧૩૩૪
૨૬૫૦ ઉદીરણાસ્થાનો - ૪૨ - ૫૧ - ૫૩ - ૫૪ - ૫૫ - ૫૬
સ્વમતે ભાંગા - ૪ + ૪ + ૪ + ૮ + ૮ + ૪ = ૩૨
અન્યમતે ભાંગા - ૮ + ૮ + ૮ + ૧૬ + ૧૬ + ૮ = ૬૪ Jain Education International
For Personal & Private Use Only
૩૧
www.jainelibrary.org