________________
૭૦
કર્મપ્રકૃતિ ભાગ-૨
ઉદયમાં વર્તતાં જીવને સુભગ - આદેય, દુર્ભગ - અનાદેય, યશ-કીર્તિ - અયશકીર્તિ સાથે ૮ ભાંગા પણ થાય. અપર્યાપ્તનામના ઉદયમાં તો દુર્ભગ - અનાદય - અયશકીર્તિનો એક જ ભાંગો હોય છે. એ સર્વ મલીને ૪૨ની ઉદીરણામાં ૯ ભાંગા થાય છે. (ચૂર્ણિકારે તો પાંચ જ ભાંગા કહ્યાં છે.)
(૨) પરની ઉદીરણાએ શરીરસ્થ તિર્યંચ પંચેન્દ્રિયને ૧૪૫ ભાંગા :- પછી શરીરસ્થને દારિકસપ્તક, ૬ સંસ્થાનમાંથી એક, ૬ સંઘયણમાંથી એક, ઉપઘાત, પ્રત્યેક લક્ષણવાળી-૧૧ પ્રકૃતિઓ ઉમેરવાથી અને તિર્યગાનુપૂર્વી બાદ કરવાથી પરની ઉદીરણા થાય છે. ત્યાં ૧૪૫ ભાંગા થાય છે. તે આ પ્રમાણે કહે છે. - પર્યાપ્ત જીવને ૬ સંસ્થાન, ૬ સંઘયણ, સુભગ-આદેય, દુર્ભગ-અનાદેય એ બે યુગલને યશકીર્તિ અને અયશકીર્તિ સાથે પરસ્પર ગુણવાથી ૧૪૪ ભાંગા થાય છે. (૬ ૪૬ x ૨ x ૨ = ૧૪૪) અને અપર્યાપ્ત જીવને અન્ય સંસ્થાન, અન્ય સંઘયણ, દુર્ભગ, અનાદેય, અયશકીર્તિનો એક ભાગો થાય છે. સર્વમલીને ૧૪૫ ભાંગા થાય છૅ.
અન્યમતે પરની ઉદીરણાએ ૨૮૯ ભાંગા :- અને જેઓના મતે સુભગ-આદેય, અથવા દુર્ભગ-અનાદેય એકી સાથે ઉદય નથી માનતા તેઓના મતે પરની ઉદીરણાએ ૨૮૯ ભાંગા થાય છે. ત્યાં પર્યાપ્ત જીવને
સંસ્થાન, - સંઘયણ, સુભગ-દુર્ભગ, આદય-અનાદેય, યશ-કીર્તિ-અયશકીર્તિ ૬ x ૬ x ૨ x ૨ x ૨ = ૨૮૮
અને અપર્યાપ્તને પૂર્વ કહેલ ૧
કુલ ભાંગા -૨૮૯ (૩) ૫૪ની ઉદીરણાએ શરીર પર્યાપ્ત તિ, પંચે, ને - ૨૮૮ /૫૭૬ ભાંગા - પછી શરીર. પર્યાપ્તિએ પર્યાપ્ત જીવન પર પ્રવૃતિઓમાં પરાઘાત, શુભ કે અશુભવિહાયોગતિમાંથી એક ઉમેરવાથી ૫૪ની ઉદીરણા થાય છે. અને અહીં જે પૂર્વે પર્યાપ્તના ૧૪૪ ભાંગા કહ્યાં તેને જ વિહાયોગતિ-૨ વડે ગુણતાં ૧૪૪ x ૨ = ૨૮૮ ભાંગા થાય છે. અન્ય મતે ૨૮૮ X ૨ = પ૭૬ ભાંગા થાય છે.
(૪) ૫૫ની ઉદીરણાએ શ્વાસોશ્વાસ પર્યાપ્ત તિ, પંચે ને ૨૮૮/૫૭૬ ભાંગા:- પછી શ્વાસોશ્વાસ પર્યાપ્તિએ પર્યાપ્ત થયેલ જીવને ઉચ્છવાસ ઉમેરતાં પપની ઉદીરણા થાય છે. અહીં પૂર્વની જેમ ૨૮૮ ભાંગા થાય છે. અને અન્ય મતે પ૭૬ ભાંગા થાય છે.
પપની ઉદીરણાએ શરીર પર્યાપ્ત તિ, પંચે, ને ૨૮૮/૫૭૬ ભાંગા:- અથવા શરીર પર્યાપ્તિએ પર્યાપ્ત જીવને ઉચ્છવાસની અનુદીરણા અને ઉદ્યોતનામની ઉદીરણા થયે પણ પપની ઉદીરણા થાય છે. અહીં પણ ભાંગા ૨૮૮ થાય છે. અન્ય મતે ૫૭૬ ભાંગા થાય છે. એ પ્રમાણે પપની ઉદીરણામાં સ્વમતે ૫૭૬ ભાંગા અને અન્ય મતે ૧૧૫ર ભાંગા થાય છે.
(૫) પદની ઉદીરણાએ ભાષા પર્યાપ્ત તિ, પંચે, ને ૫૭૬ /૧૧૫૨ ભાંગા:- પછી ભાષા પર્યાપ્તિએ પર્યાપ્ત થયેલ જીવને સુસ્વર કે દુ:સ્વર ઉમેરવાથી પ૬ની ઉદીરણા થાય છે. ત્યાં સ્વમતથી ઉચ્છવાસ પર્યાપ્તને ૫૫ની ઉદીરણાના ૨૮૮ ભાંગાને બે સ્વર વડે ગુણતાં ૨૮૮ X ૨ = પ૭૬ ભાંગા થાય છે. અન્ય મત પ૭૬ x ૨=૧૧૫૨ ભાંગા થાય છે.
૫૬ની ઉદીરણાએ શ્વાસોશ્વાસ પર્યાપ્ત તિ, પંચે, ને ૨૮૮/૫૭૬ ભાંગા :- અથવા શ્વાસોશ્વાસ પર્યાપ્તિએ પર્યાપ્ત થયેલ જીવને સ્વરની અનુદીરણા અને ઉદ્યોત નામની ઉદીરણા થયે પ૬ની ઉદીરણા થાય છે. અને ત્યાં સ્વમતમાં ૨૮૮ ભાંગા પૂર્વની જેમ છે. અને અન્યમતે ૫૭૬ ભાંગા થાય છે. તેથી પ૬ની ઉદીરણામાં સર્વસંખ્યા સ્વમતથી પ૭૬ + ૨૮૮ = ૮૬૪, અન્યમતથી ૧૧૫૨ + ૫૭૬ = ૧૭૨૮ ભાંગા થાય છે.
(૬) ૫૭ની ઉદીરણાએ ભાષા પર્યાપ્ત તિ, પંચે, ને ૫૭૬ / ૧૧૫૨ ભાંગા :- પછી સ્વર સહિત ૫૬માં ઉદ્યોતનામ ઉમેરવાથી પ૭ની ઉદીરણા થાય છે. ત્યાં સ્વર સહિત પ૬ની ઉદીરણાએ બે મતમાં જેટલાં ભાંગા કહ્યાં તેટલાં જ પ૭૬ ૧૧૫ર થાય છે.
વૈક્રિય લબ્ધિવાળા તિર્યંચ પંચેન્દ્રિયને ૫ ઉદીરણાસ્થાનો :- તથા તે જ તિર્યંચ પંચેન્દ્રિય જીવને વૈક્રિય કરતાં ઉદીરણાસ્થાનો - ૫ છે. ૫૧ - ૫૩ - ૫૪ - ૫૫ અને ૨૬.
(૧) ૫૧ની ઉદીરણાએ વૈ અપર્યાપ્ત તિo પંચે ને ૪/૮ ભાંગા :- ત્યાં વૈક્રિયસપ્તક, પ્રથમ સંસ્થાન, ઉપઘાત, પ્રત્યેક એ ૧૦ પ્રકૃતિઓ તિર્યંચ પંચેન્દ્રિય યોગ્ય ૪૨માં ઉમેરવાથી અને તિર્યગાનુપૂર્વી બાદ કરવાથી પ૧ પ્રકૃતિઓની ઉદીરણા થાય છે. અહીં સુભગ - આદેય યુગલ, દુર્ભગ-અનાદેય યુગલ, યશકીર્તિ -અયશકીર્તિ વડે ૪ ભાંગા થાય. અન્ય
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org