________________
ઉદીરણાકરણ
૭૧ મતે સુભગ-દુર્ભગ, આદય-અનાદેય, યશકીર્તિ-અયશકીર્તિ સાથે પ્રત્યેકના ૮ ભાંગા થાય છે. (૪૨ની ઉદીરણાની જેમ ભાંગા જાણવાં.)
(૨) ૫૩ની ઉદીરણાએ શરીર પર્યાપ્ત વૈ તિપંચે ને ૪/૮ ભાંગા :- પછી (વૈક્રિય) શરીર પર્યાપ્તિએ પર્યાપ્ત થયેલ જીવને પરાઘાત અને શુભવિહાયોગતિ ઉમેરવાથી પ૩ની ઉદીરણા થાય છે. અહીં પૂર્વની જેમ સ્વમતે ૪ ભાંગા અને અન્યમતે ૮ ભાંગા થાય છે. * (૩) ૫૪ની ઉદીરણાએ શ્વાસોશ્વાસ પર્યાવ્ર વેo તિo પંચે ને ૪/૮ ભાંગા :- પછી (વૈક્રિય સંબંધી) શ્વાસોશ્વાસ પર્યાપ્તિએ પર્યાપ્ત થયેલ જીવને ઉચ્છવાસ નામ ઉમેરવાથી પ૪ની ઉદીરણા થાય છે. અહીં પણ પૂર્વની જેમ સ્વમતે ૪ ભાંગા અને અન્યમતે ૮ ભાંગા થાય છે.
૫૪ની ઉદીરણાએ શ૦ પર્યાવૈદ્ર તિપંચેને ૪૮ ભાંગા :- અથવા શરીર પર્યાપ્તિએ પર્યાપ્ત જીવને ઉચ્છવાસની અનુદીરણા અને ઉદ્યોત નામકર્મની ઉદીરણા થયે ૫૪ની ઉદીરણા થાય છે. અહીં સ્વમતે ૪ ભાંગા અને અન્યમતે ૮ ભાંગા થાય છે. એમ સર્વસંખ્યા ૫૪ની ઉદીરણાએ સ્વમતે ૪ + ૪ = ૮, અને અન્યમતે ૮ + ૮ = ૧૬ ભાંગા થાય છે.
(૪) પપની ઉદીરણાએ ભાષા પર્યાપ્ત તિ, પંચે, ને ૪/૮ ભાંગા - પછી (વૈક્રિયશરીર સંબંધી) ભાષા પર્યાપ્તિએ પર્યાપ્તને ઉછુવાસ સહિત, પ૪માં સુસ્વર ઉમેરતાં પપની ઉદીરણા થાય છે. અહીં પણ સ્વમતે ૪ ભાંગા, અન્યમતે ૮ ભાંગા થાય છે.
૫૫ની ઉદીરણાએ શ્વાસોશ્વાસ પર્યાપ્ત વેo તિo પંચે ને ૪[૮ ભાંગા :- અથવા (વૈક્રિયશરીર સંબંધી) શ્વાસોશ્વાસ પર્યાપ્ત થયેલ જીવને સ્વરની અનુદીરણા અને ઉદ્યોતનામની ઉદીરણા થયે પપની ઉદીરણા થાય છે. અહીં પણ સ્વમતે ૪ ભાંગા અને અન્યમતે ૮ ભાંગા થાય છે. સર્વમલીને પપની ઉદીરણામાં સ્વમતે ૪ + ૪ = ૮, અને અન્યમતે ૮ + ૮ = ૧૬ ભાંગા થાય છે.
| (૫) પ૬ની ઉદીરણાએ શ્વાસોપર્યાપ્ત વૈ તિપંચે ને ૪૮ ભાંગા :- પછી સ્વર સહિત ૫પની ઉદીરણામાં ઉદ્યોત ઉમેરવાથી પ૬ની ઉદીરણા થાય છે. અહીં પણ સ્વમતે ૪ ભાંગા, અને અન્યમતે ૮ ભાંગા થાય છે. વૈક્રિય કરતાં તિર્યંચ પંચેન્દ્રિયને સર્વ સંખ્યા ૨૮/૫૬ ભાંગા થાય છે. સર્વ તિર્યંચ પંચેન્દ્રિયના સ્વમતે ૨૪૮૨ ભાંગા, અને અન્ય તે ૪૯૬૨ ભાંગા થાય છે.'
મનુષ્યના ઉદીરણાસ્થાનો :- ત્યાં કેવલીને પૂર્વ કહેલા જ ભાંગા છે. અને બીજા સામાન્ય મનુષ્યને – ૫ છે. ૪૨ - પર- ૫૪ - ૫૫ અને ૫૬ છે. આ સર્વ પણ જેમ તિર્યંચ પંચેન્દ્રિયના પૂર્વ કહ્યાં છે તે જ પ્રમાણે વિચારવાં. વિશેષ એ કે તિર્યંચગતિ - તિર્યગાનુપૂર્વાને સ્થાને મનુષ્યગતિ - મનુષ્યાનુપૂર્વી કહેવી. પપ અને પ૬ ના ઉદીરણાસ્થાનમાં ઉદ્યોત રહિત કહેવાં કારણ કે વૈક્રિય - આહારક લબ્ધિ યુક્ત મુનિ સિવાય બાકીના મનુષ્યોને ઉદ્યોતનામકર્મનો ઉદય ન હોય.' તેથી (ઉદીરણા પણ ન થાય.) ભાંગા પણ સર્વત્ર ઉદ્યોત રહિત તે જ પ્રમાણે સ્વમતે અને પરમત ની અપેક્ષાએ કહેવાં. તે આ પ્રમાણે કહે છે.....
૨૩ અહીં ઔદારિક શરીર સંબંધી સર્વ પર્યાપ્તિઓ વડે પર્યાપ્ત પરંતુ વૈક્રિય શરીર સંબંધી પર્યાપ્તિઓ વડે અપર્યાપ્ત. ૨૪ - ઉદીરણાસ્થાન - ૫૧ - ૫૩ - ૫૪ - ૫૫ - ૫૬
સ્વમતે ભાંગા - ૪ + ૮ + ૮ + ૮ + ૪ = ૨૮ અન્યમતે ભાંગા - ૮ + ૮ + ૧૬ + ૧૬ + ૮ = ૫૬ સર્વ તિર્યંચ પંચેન્દ્રિયના :ઉદીરણાસ્થાન - ૪૨ - ૫૨ - ૫૪ - ૫૫ - ૫૬ - ૫૭ - વૈ૦ વિ૦ ના
સ્વમતે ભાંગા - ૫ + ૧૪૫ + ૨૮૮ + ૫૭૬ + ૮૬૪ + ૫૭૬ + ૨૮ = ૨૪૮૨
અન્યમતે ભાંગા - ૯ + ૨૮૯ + ૫૭૬ + ૧૧૫૨ + ૧૭૨૮ + ૧૧૫૨ + ૫૬ = ૪૯૬૨ ૨૬ અહીં વૈક્રિય અને આહારક કાયાની વિદુર્વણા રહિત, અને અસર્વજ્ઞ એવા સામાન્ય મનુષ્યોનું ગ્રહણ કરવું. ૨૭ એ કારણ થી જ કર્મવિપાક નામના પ્રથમ કર્મગ્રંથમાં ““રેર વિવિગ'' પદમાં માત્ર યતિ જ ગ્રહણ કર્યા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org