________________
ઉદીરણાકરણ
ઉદીરણા અપાન્તરાલ ગતિમાં જાણવી. અને અહીં ૩ ભાંગા થાય છે અપર્યાપ્ત નામકર્મના ઉદયમાં અયશકીર્તિ સાથે એક ભાંગો અને પર્યાપ્તનામના ઉદયમાં યશ-કીર્તિ - અયશ-કીર્તિ સાથે બે ભાંગા (એમ કુલ ૩ ભાંગા થાય.)
(૨) પરની ઉદીરણાએ શરીરસ્થ બેઇ ને ૩ ભાંગા - પછી શરીરસ્થ થયેલ બેઇન્દ્રિય જીવને ઔદારિકસપ્તક, હુડકસંસ્થાન, અંત્ય છેવટ્ટે સંઘયણ, ઉપઘાત, પ્રત્યેક એ ૧૧ પ્રકૃતિઓ ઉમેરવાથી અને તિર્યગાનુપૂર્વી બાદ કરવાથી પરની ઉદીરણા થાય છે. અહીં પણ પૂર્વની જેમ જ ત્રણ ભાંગા થાય છે.
(૩) ૫૪ની ઉદીરણાએ શરીર પર્યાપ્ત બેઇ ને ૨ ભાંગા - પછી શરીર પર્યાપ્તિએ પર્યાપ્ત થયેલા બેઇન્દ્રિય જીવને અશુભવિહાયોગતિ, પરાઘાત ઉમેરવાથી ૫૪ની ઉદીરણા થાય છે. અહીં યશકીર્તિ - અયશકીર્તિ સાથે બે ભાંગા થાય છે.
(૪) ૫૫ની ઉદીરણાએ ઉચ્છવાસ પર્યાપ્ત બેઇ ને ૨ ભાંગા :- પછી શ્વાસોશ્વાસ પર્યાપ્તિએ પર્યાપ્ત થયેલ બેઇન્દ્રિય જીવને ઉચ્છવાસ ઉમેરતા પપની ઉદીરણા થાય છે. અહીં પણ પૂર્વની જેમ બે ભાંગા થાય છે.
૫૫ની ઉદીરણાએ શરીર પર્યાપ્ત બેઇને ૨ ભાંગા:- અથવા શરીર પર્યાપ્તિએ પર્યાપ્તને ઉચ્છવાસની અનુદીરણા અને ઉદ્યોતનામની ઉદીરણા થતાં પપની ઉદીરણા થાય છે. અહીં પણ પૂર્વની જેમ બે ભાંગા થાય છે. સર્વ મલીને પપની ઉદીરણાના ૪ ભાંગા થાય છે.
(૫) ૫૬ની ઉદીરણાએ ભાષા પર્યાપ્ત બેઇને ૪ ભાંગા :- પછી ભાષા પર્યાપ્તિએ પર્યાપ્ત થયેલા બેઇન્દ્રિય જીવને ઉચ્છવાસ સહિત જે પ૫ પ્રકૃતિઓમાં સુસ્વર કે દુ:સ્વરમાંથી એક ઉમેરવાથી પ૬ની ઉદીરણા થાય છે. અહીં સુસ્વર - દુઃસ્વરને યશ-કીર્તિ - અયશકીર્તિ પદ,વડે જ ૪ ભાંગા થાય છે.
૫૬ની ઉદીરણાએ શ્વાસોશ્વાસ પર્યાપ્ત બેઇ ને ૨ ભાંગા :- શ્વાસોશ્વાસ પર્યાપ્તિએ પર્યાપ્ત થયેલ બેઇન્દ્રિય જીવને સ્વરની અનુદીરણા અને ઉદ્યોતનામની ઉદીરણા થયે પ૬ની ઉદીરણા થાય છે. અહીં યશકીર્તિ - અયશકીર્તિ સાથે બે ભાંગા થાય છે. સર્વ મલીને ૫૬ની ઉદીરણામાં ૬ ભાંગા થાય છે.
(૬) ૫૭ની ઉદીરણાએ ભાષા પર્યાપ્ત બેઇને ૪ ભાંગા - પછી ભાષા પર્યાપ્તિએ પર્યાપ્ત થયેલા બેઇન્દ્રિય જીવને સ્વર સહિત જે પ૬ની ઉદીરણામાં ઉદ્યોતનામ ઉમેરવાથી પ૭ની ઉદીરણા થાય છે. અહીં સુસ્વર - દુઃસ્વર - યશ-કીર્તિ - અયશ-કીર્તિના ૪ ભાંગા થાય છે. તેથી સર્વ મલીને બેઇન્દ્રિયના ૨૨ ભાંગા થાય છે. એ પ્રમાણે તે ઇન્દ્રિય - ચઉરિન્દ્રિય જીવોના પણ ઉદીરણાસ્થાનોના તેટલાં ભાંગા વિચારવા, એમ સર્વ મલીને વિકસેન્દ્રિય જીવોના ૨૨ X ૩ = ૬૬ ભાંગા થાય.
તિર્યંચ પંચેન્દ્રિયના ૬ ઉદીરણાસ્થાનો :- વૈક્રિય લબ્ધિ વગરના એવા તિર્યંચ પંચેન્દ્રિયના ૬ ઉદીરણાસ્થાનો છે. ૪૨ - ૫૨ - ૫૪ - ૫૫ - ૫૬ અને ૨૭.
(૧) ૪૨ની ઉદીરણાએ અપાત્તરાલ ગતિમાં તિર્યંચ પંચેન્દ્રિયને ૫ ભાંગા :- ત્યાં તિર્યંચગતિ, તિર્યગાનુપૂર્વી, પંચેન્દ્રિયજાતિ, ત્રસ, બાદર, પર્યાપ્ત કે અપર્યાપ્તમાંથી એક સુભગ - આદેય યુગલ કે દુર્ભગ - અનાદેય યુગલમાંથી એક યુગલ, યશકીર્તિ કે અયશકીર્તિમાંથી એક આ ૯ પ્રકૃતિઓ પૂર્વની ધ્રુવોદીરણાની ૩૩ પ્રકૃતિઓ સાથે ભેગી કરતાં ૪રની ઉદીરણા થાય છે. અને આ ૪૨ની ઉદીરણા અપાન્તરાલ ગતિમાં જાણવી. અહીં ભાંગા -૫ થાય છે. ત્યાં પર્યાપ્તનામકર્મના ઉદયમાં વર્તતાં જીવને સુભગ - આદેય યુગલ, દુર્ભગ - અનાદેય યુગલ યશકીર્તિ - અયશ-કીર્તિ સાથે પરાવર્તનથી ૪ ભાંગા થાય છે. અપર્યાપ્તનામકર્મના ઉદયમાં રહેલાને તો દુર્ભગ - અનાદેય - અયશકીર્તિનો એક જ ભાંગો થાય છે. અહીં સુભગ - આદેય અથવા દુર્ભગ -અનાદેય બન્નેનો એકી સાથે જ ઉદય હોય છે. તેથી પાંચ ભાંગા કહ્યાં.
અન્યમતે ૪૨ની ઉદીરણાએ ૯ ભાંગા*:- બીજા આચાર્ય કહે છે - આ બન્નેનો ઉદયભાવ હોય એ નિયમ અન્યથા પણ દેખાય છે. (એટલે કે બન્નેનો ઉદય જુદો પણ હોય સુભગના ઉદયે આદેયનો અનુદય પણ હોય) તેથી પર્યાપ્તનામના
૨૦ ૧ - પર્યાપ્ત - સુસ્વર - યશકીર્તિ ૩ - પર્યાપ્ત - દુવર - યશકીર્તિ
૨ - ' " - અશઃ કીર્તિ ૪ - ' " - અયશ-કીર્તિ ૨૧ ઉદીરણાસ્થાન - ૪૨ - ૫૨ - ૫૪ - ૫૫ - ૫૬ - ૫૭
ભાંગા ૩ + ૩ + ૨ + ૪ + ૬ + ૪ = ૨૨ ૨૨ ૧ - પર્યાપ્ત સુભગ - આદેય - યશઃ કીર્તિ ૫ - પર્યાપ્ત - સુભગ - આદેય - અયશકીર્તિ
૨ - " '' અનાય . ' ૬ - " " અનાદેય ૩ " દુર્ભગ - આદેય " ૭ - " દુર્ભગ - આદેય ૪ . '' '' અનાદય
- ૮ - ” ” અનાદેય '' ૯ - અપર્યાપ્ત - દુર્ભગ - અનાદેય - અયશ-કીર્તિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org