________________
૬૮
કર્મપ્રકૃતિ ભાગ-૨
પ્રત્યેક-સાધારણ વડે અયશ-કીર્તિ સાથે બે ભાંગા થાય છે. અને સૂક્ષ્મના પર્યાપ્ત - અપર્યાપ્ત - પ્રત્યેક સાધારણ વડે અયશકીર્તિ સાથે ૪ ભાંગા થાય છે.
વળી પર્યાપ્ત બાદર વાયુકાય જીવને વૈક્રિય કરતાં ઔદારિકષકને બદલે વૈક્રિયષક જાણવું, અને તેથી તેને પણ ૫૦ની ઉદીરણા થાય છે. ફક્ત અહીં બાદર - પર્યાપ્ત - પ્રત્યેક - અયશકીર્તિ પદ સાથે એક જ ભાંગો થાય છે. કારણ કે તેઉકાય - વાયુકાયને સાધારણ - યશકીર્તિનો ઉદય નથી, અને ઉદયના અભાવથી ઉદીરણા પણ નથી. તેથી તેને આશ્રયીને ભાંગાની પ્રાપ્તિ ન થાય. એ પ્રમાણે ૫૦ની ઉદીરણામાં સર્વસંખ્યા ૧૧ ભાંગા થાય.
(૩) ૫૧ની ઉદીરણાએ શરીર પર્યાપ્ત એકેન્દ્રિયને ૭ ભાંગા:- પછી શરીર પર્યાપ્તિથી પર્યાપ્ત થયેલા જીવમાં પરાઘાત ઉમેરવાથી ૫૧ની ઉદીરણા થાય છે. અને અહીં ભાંગા-૬ થાય છે. બાદરના પ્રત્યેક સાધારણ, યશ-કીર્તિ - અયશકીર્તિ સાથે ૪ ભાંગા, અને સૂક્ષ્મના પ્રત્યેક - સાધારણ વડે અયશકીર્તિ સાથે બે ભાંગા થાય છે. અને પર્યાપ્ત બાદર વાયુકાયને વૈક્રિય કરતાં શરીર પર્યાપ્તિથી પર્યાપ્ત થયેલાને પરાઘાત ઉમેરવાથી પહેલા કહેલ ૫૧ની ઉદીરણા થાય છે. પૂર્વની જેમ અહીં એક જ ભાંગો થાય છે. તેથી ૫૧ની ઉદીરણામાં સર્વસંખ્યા ૭ ભાંગાની થાય છે.
(૪) પરની ઉદીરણાએ પર્યાપ્ત એકેન્દ્રિયને ૧૩ ભાંગા - પછી શ્વાસોશ્વાસ પર્યાપ્તિથી પર્યાપ્તાને ઉચ્છવાસ ઉમેરવાથી પ૨ પ્રકૃતિઓની ઉદીરણા થાય છે. અહીં પણ પૂર્વની ૫૧ની ઉદીરણાની જેમ ૬ ભાંગા થાય છે. અથવા
પરની ઉદીરણાએ શરીર પર્યાપ્તિએ પર્યાપ્ત એકેન્દ્રિયને ૬ ભાંગા :- શરીર પર્યાપ્તિએ પર્યાપ્તને ઉચ્છવાસની અનુદીરણા હોય તો પણ આતપ કે ઉદ્યોતમાંથી કોઇપણ એકની ઉદીરણા કરે તો પણ પ૨ પ્રકૃતિઓની ઉદીરણા થાય છે. ત્યાં પણ ૬ ભાંગા થાય છે. બાદરના ઉદ્યોત સાથે પ્રત્યેક - સાધારણ, યશ-કીર્તિ - અયશ-કીર્તિ પદ વડે ૪ ભાંગા, અને આતપ સહિતનો પ્રત્યેકને યશ-કીર્તિ - અયશ-કીર્તિ પદ વડે બે ભાંગા.
પરની ઉદીરણાએ ઉચ્છવાસ પર્યાપ્ત વાયુકાયને એક ભાંગો :- પર્યાપ્ત બાદર વાયુકાયને વૈક્રિય કરતાં શ્વાસોશ્વાસ પર્યાપ્તિએ પર્યાપ્ત થયેલા જીવને પૂર્વ કહેલ ૫૧માં ઉચ્છવાસ ઉમેરવાથી પર પ્રકૃતિઓની ઉદીરણા થાય છે. ત્યાં પૂર્વની જેમ એક જ ભાંગો થાય છે. (બાદર - પર્યાપ્ત - પ્રત્યેક - અયશકીર્તિ) તેઉકાય - વાયુકાય જીવને આતપ - ઉદ્યોત - યશકીર્તિના ઉદયનો અભાવ હોવાથી ઉદીરણાનો પણ અભાવ છે. તેથી તેને આશ્રયીને ભાંગા ન થાય. સર્વ મલીને પરની ઉદીરણાએ ૧૩ ભાંગા થાય છે.
(૫) ૫૩ની ઉદીરણાએ પર્યાપ્ત એકેન્દ્રિયને ૬ ભાંગા :- તથા શ્વાસોધ્વાસ પર્યાપ્તિએ પર્યાપ્ત થયેલાને ઉચ્છવાસ સહિત ૫રમાં આતપ કે ઉદ્યોતમાંથી એક ઉમેરવાથી પ૩ની ઉદીરણા થાય છે. અહીં જે પૂર્વ આતપ કે ઉદ્યોતના પરની ઉદીરણામાં ૬ ભાંગા થાય, તેમ અહીં પણ તે જ ૬ ભાંગા થાય છે. તેથી એકેન્દ્રિયના ભાંગાની સર્વસંખ્યા ૪૨ ભાંગા થાય
છે. ૧૯
બેઇન્દ્રિયના ૬ ઉદીરણાસ્થાનો - છે. ૪૨ - ૫૨ - ૫૪ - ૫૫-૫૬ અને ૨૭ છે.
(૧) ૪૨ની ઉદીરણાએ અપાન્તરાલમાં બેઇ ને ૩ ભાંગા:- ત્યાં તિર્યંચગતિ, તિર્યગાનુપૂર્વી, બેઇન્દ્રિયજાતિ, ત્રસનામ, બાદરનામ, પર્યાપ્ત કે અપર્યાપ્તમાંથી એક, દુર્ભગ, અનાદેય, યશ-કીર્તિ કે અયશકીર્તિમાંથી એક, એમ કુલ ૯ પ્રકૃતિઓ પૂર્વ કહેલ ૩૩ની સંખ્યાવાલી ધ્રુવ ઉદીરણા સાથે ઉમેરતા ૪૨ પ્રકૃતિઓની ઉદીરણા થાય છે. અને આ ૪૨ની
૧૬ અહીં “પર્યાપ્ત” અને “અપર્યાપ્ત” એ વિશેષણવાળા જીવો લબ્ધિ પર્યાપ્ત અને લબ્ધિ અપર્યાપ્ત જાણવાં. એ પ્રમાણે ઉદીરણાકરણમાં દરેક
જગ્યાએ જાણવું. ૧ - બાદર - પ્રત્યેક - યશઃ કીર્તિ ૫ -- સૂક્ષ્મ – પ્રત્યેક - અયશકીર્તિ ૨ - " " અયશ કીર્તિ ૬ - " સાધારણ ૩ - " સાધારણ – યશકીર્તિ ૭ - વૈક્રિય વાયુકાય બાદર પર્યાપ્ત - પ્રત્યેક – યશ-કીર્તિ ૪ - " '' અયશઃ કીર્તિ
બાદર – ઉદ્યત - પ્રત્યેક યશકીર્તિ ૪ - બાદર - ઉદ્યોત - સાધારણ - અયશ-કીર્તિ ૨ - " " " અયશઃ કીર્તિ ૫ - " - આંતપ - પ્રત્યેક – યશકીર્તિ
૩ - " " સાધારણ યશકીર્તિ ૬ - " " " અયશ-કીર્તિ ૧૯ ઉદીરણાસ્થાન - ૪૨ - ૫૦ - ૫૧ - પર - ૫૩ ભાંગા
૫ + ૧૧ + ૭ + ૧૩ + ૬ = ૪૨ Jain Education International
For Personal & Private Use Only
૦
૦
www.jainelibrary.org