________________
કર્મપ્રકૃતિ ભાગ-૨ (- અથ નામકર્મના ઉદીરણાસ્થાનો અને ભાંગા :-)
एग बियालापण्णाइ सत्तपण्णत्ति गुणिसु नामस्स । नव सत्त तिन्नि अट्ट य, छप्पंच य अप्पमत्ते दो ।। २५ ।। एगं पंचसु एक्कम्मि अट्ट ठाणक्कमेण भंगा वि । एक्कग तीसेक्कारस, इगवीस सबार तिसए य ।। २६ ।। इगवीसा छच्च सया, छहि अहिया नवसया य एगहिया । अउणुत्तराणि चउदस, सयाणि गुणनउइ पंचसया ।। २७ ।। एकद्विचत्वारिंशत् पञ्चाशतादि सप्तपञ्चाशत् गुणेषु नाम्नः । नवसप्तत्रीण्यष्टौ च, षट्पञ्च चाऽप्रमत्ते द्वे ।। २५ ।। एकं पञ्चस्वेकस्मिन्त्रष्ट स्थानक्रमेण भगा अपि । एकत्रिंशदेकादश - एकविंशतिः सद्वदश-त्रिशतानि च ।। २६ ॥ एकविंशतिः षट् च शतानि, षड्भिरधिकानि नवशतानि चैकाधिकानिः ।
एकोनसप्ततिश्चतुर्दश - शतान्येकोननवतिः पंचशतानि ।। २७ ।। ગાથાર્થ :- ૪૧-૪૨ અને ૫૦થી ૫૭ સુધી નામના ઉદીરણાસ્થાનો ૧૦ છે. તે નામના ઉદીરણાસ્થાનો ૬ ગુણસ્થાનકોમાં અનુક્રમે આ પ્રમાણે છે. ૯-૭-૩-૮-૬-પ અને અપ્રમત્તે ૨ ઉદીરણાસ્થાન છે. તે ૨૫ // . '
તથા ઉપરના પાંચ ગુણસ્થાનકોમાં એકેક ઉદીરણાસ્થાન છે, અને તદનંતરના એક ગુણસ્થાનકમાં ૮ ઉદીરણાસ્થાન છે. તેના અનુક્રમે ભાંગા પણ ૧-૩૦-૧૧-૨૧-૩૧૨-૨૧-૬૦૬-૯૦૧-૧૪૬૯ અને ૫૮૯ ભાંગા છે. એ ૧૦ ઉદીરણાસ્થાને ૧૦ પ્રકારે ભાંગા કહ્યાં. (સર્વ ૩૯૬૧ સ્વમતે) || ૨૬-૨૭ /
ટીકાર્થ :- પ્રમાણે મોહનીયકર્મના ઉદીરણાસ્થાનો કહ્યાં. હવે નામકર્મના ૧૦ ઉદીરણાસ્થાનોઃ- કહે છે.......૪૧૪૨, પછી ૫૦ આદિથી ૫૭ સુધી - ૫૦-૫૧-૫૨-૫૩-૫૪-૫૫-૫૬ અને ૧૭ એ નામકર્મના ૧૦ ઉદીરણાસ્થાનો છે. ત્યાં તૈજસસપ્તક - વર્ણાદિ-૨૦ - અગુરુલઘુ - સ્થિર - અસ્થિર - શુભ – અશુભ - નિર્માણ એ પ્રમાણે આ ૩૩ પ્રકૃતિઓની ઉદીરણા દરેક જીવને અવશ્ય હોય છે તેથી ધ્રુવોદીરણા છે.
હવે કેવલીને ૮ ઉદીરણાસ્થાનો :- કહે છે.
(૧) ૪૧નું ઉદીરણાસ્થાન કેવલીને :- ત્યાં મનુષ્યગતિ - પંચેન્દ્રિયજાતિ - ત્રસ-બાદર - પર્યાપ્ત - સુભગ - આદેય - યશઃકર્તિ એ ૮ પ્રકૃતિઓ ઉમેરતા ૪૧ થાય છે. અને આ ૪૧ પ્રકૃતિઓની ઉદીરણા કેવલી સમુદ્ધાતને પ્રાપ્ત થયેલા એવા કાર્મણ કાયયોગી કેવલીને હોય છે.
(૨) ૪૨નું ઉદીરણાસ્થાન તીર્થકરને :- આ જ ૪૧ પ્રકૃતિઓમાં જિનનામ સહિત કરતાં ૪૨ થાય છે. અને તે ૪૨ પ્રકૃતિઓની ઉદીરણા કેવલી સમુદ્ધાતને પ્રાપ્ત થયેલા એવા કાર્મણ કાયયોગી તીર્થકર કેવલીને હોય છે.
(૩) પ૨નું ઉદીરણાસ્થાન કેવલીને :- આ જ ૪૧ પ્રકૃતિઓમાં ઔદારિકસપ્તક - ૬માંથી કોઇપણ એક સંસ્થાન - વજઋષભનારાચ સંઘયણ - ઉપઘાત -પ્રત્યેક એ ૧૧ પ્રકૃતિઓ ઉમેરતાં પર થાય છે. અહીં ૬ સંસ્થાન વડે ૬ ભાંગા થાય. અને તે આગળ કહેવાશે તે સામાન્ય મનુષ્યની ભાંગાની અન્તર્ગત જાણવાં. એ પ્રમાણે આગળ પણ જાણવું. આ પર પ્રવૃતિઓના ઉદીરક ઔદારિક મિશ્રયોગે વર્તતાં સમુદ્ધાત યુક્ત સયોગી કેવલી ભગવાન હોય છે.
(૪) ૫૩નું ઉદીરણાસ્થાન તીર્થકરને :- આ જ પ૨માં તીર્થંકરનામ ઉમેરતાં પ૩ પ્રકૃત્તિઓની ઉદીરણા થાય. અહીં ફક્ત સંસ્થાન પ્રથમ જ જાણવું. આ પ૩ પ્રકૃતિઓના ઉદીરક ઔદારિક મિશ્રયોગે વર્તતાં સમુધાતે યુક્ત એવા તીર્થકર કેવલી ભગવાન જાણવાં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org