________________
કર્મપ્રકૃતિ ભાગ-૨
કષાયના અનિવૃત્તિ બાદરભંપરાય ગુણસ્થાનકે પોતાના બંધ સુધીના જીવો ઉદીરક છે. સંજ્વલન બોદર લોભના નિવૃત્તિ બાદરસિંહરાય સુધીના જીવો ઉદીરક છે. કિટ્ટીકૃત લોભના તો સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે ઉદીરક છે એ પ્રમાણે પૂર્વે ગાથા પમાં કહ્યું છે. હાસ્યાદિ-૬ના તો અપૂર્વકરણ ગુણસ્થાનક સુધીના જીવો ઉદીરક છે.
जावूणखणो पढमो, सुहरइहासाणमेवमियरासिं । देवा नेरइया वि य, भवट्टिई केइ नेरइया ।। २१ ।। यावदूनक्षणः प्रथमः, सुखरतिहास्यानामेवमितरासाम् ।
देवा नैरयिका अपि च, भवस्थिति केचिन्नैरयिकाः ।। २१ ।। ગાથાર્થ :- ટીકાની જેમ,
ટીકાર્ય :- જ્યાં સુધી કાંઇક ઉણ પ્રથમ ક્ષણ-મુહૂર્ત વર્તે છે અર્થાત્ જ્યાં સુધી પ્રથમ અંતર્મુહૂર્ણ વર્તે છે ત્યાં સુધી દેવો નિશ્ચયથી સાતાવેદનીય - રતિ અને હાસ્યના ઉદીરક છે. એ જ પ્રમાણે કાંઇક ઉણ પ્રથમ ક્ષણ અર્થાત્ પ્રથમ અંતર્મુહૂર્ત વર્તે છે ત્યાં સુધી નારકો ઇતર એટલે અસાતા વેદનીય - અરતિ શોકના ઉદીરક છે. પ્રથમ અંતર્મુહૂર્તથી આગળ દેવો અને નારકો દરેક પરિવર્તન વિધિ - મૂળસ્વભાવ ફેરફાર થવાથી ૬ પ્રકૃતિઓના ઉદીરક હોય છે. ત્યાં નારકોને સતાવેદનીયના ઉદયનો સંભવ તીર્થકરના જન્મ આદિથી જાણવો. દેવોને તો અસાતાના ઉદયનો સંભવ પરગુણ ઉપર ઇર્ષ્યા - ખેદ - પ્રિયજનનો વિયોગ અને પોતાના ચ્યવનાદિના કારણે હોય છે. વળી કોઇક નારકો સંપૂર્ણ ભવસ્થિતિ સુધી અસાતવેદનીય - અરતિ - શોકના ઉદીરક હોય છે. (પરિશિષ્ટ-૧માં યંત્ર નંબર-૨ જુઓ)
ઇતિ ૪થી સ્વામિત્વ પ્રરૂપણા સમાપ્ત (-: અથ પમી-૬ઠ્ઠી ઉદીરણાસ્થાન અને તેના સ્વામિત્વ પ્રરૂપણા -)
पंचण्हं च चउण्हं, बिइए एक्काइ जा दसण्हं तु । तिगहीणाइ मोहे, मिच्छे सत्ताइ जाव दस ।। २२ ।। पञ्चानां च चतसृणां, द्वितीये एकादिका यावद्दशानां तु ।
त्रिकहीनादि मोहे, मिथ्यात्वे सप्तादीनि यावद्दश ।। २२ ।। ગાથાર્થ :- દર્શનાવરણીયકર્મમાં પનું ને ૪નું એ બે ઉદીરણાસ્થાન છે. તથા મોહનીયકર્મમાં ૩ના સ્થાન વિના ૧ થી ૧૦ સુધીના ૯ ઉદીરણાસ્થાન છે. તેમાં મિથ્યાત્વ ગુણસ્થાનકે ૭ થી ૧૦ સુધીના ૪ ઉદીસ્યાસ્થાન છે.
ટીકાર્થ :- એ પ્રમાણે એકેક પ્રકૃતિના ઉદીરણા સ્વામિપણું કહ્યું, હવે પ્રકૃતિ ઉદીરણાસ્થાનો કહે છે. બીજા દર્શનાવરણીયકર્મમાં ૫ અથવા ૪ પ્રકૃતિઓની એકી સાથે ઉદીરણા થાય છે. ત્યાં ચક્ષુ-અચક્ષુ - અવધિ - કેવલદર્શનાવરણ રૂપ-૪ ધ્રુવપ્રકૃતિઓની ઉદીરણા છદ્મસ્થોને હોય છે. અને ૪ની મધ્યે નિદ્રાપંચકમાંથી કોઇપણ એક પ્રકૃતિ ઉમેરવાથી સમકાલે પની ઉદીરણા થાય છે.
(- અથ મોહનીયકર્મના ઉદીરણાસ્થાનો અને ભાંગા :-) પ્રથમ ગુણસ્થાનકે ઉદીરણાના ભાંગા :- તથા “નો - મોહનીયકર્મમાં ૩જા સ્થાન સિવાયના ૧થી ૧૦ સુધીના એટલે કે ૯ પ્રકૃતિસ્થાન હોય છે, એ પ્રમાણે અર્થ છે. ૧-૨-૪-૫-૬-૭-૮-૯-૧૦ આ ઉદીરણાસ્થાનોના સ્વામી કહે છે.... નિચ્છે'ત્યાદ્રિ મિથ્યાદૃષ્ટિ જીવને ૭ આદિથી ૧૦ સુધીના ૪ ઉદીરણાસ્થાનો છે. - ૭-૮-૯-૧૦ ત્યાં મિથ્યાત્વ, અપ્રત્યાખ્યાન - પ્રત્યાખ્યાનાવરણ – સંજ્વલન ક્રોધ આદિમાંથી એક ક્રોધાદિ, સર્વ સજાતીય કષાયોની એકી સાથે ઉદય હોવાથી ઉદીરણા પણ એક સાથે થાય છે. વિજાતીય ક્રોધ - માન આદિનો એકી સાથે ઉદયનો અભાવ હોવાથી ઉદીરણા પણ ન થાય. તેથી ત્રણ ક્રોધ અથવા ત્રણ માન અથવા ત્રણ માયા અથવા ત્રણ લોભની એકી સાથે ઉદીરણા થાય છે. તેથી કોઇપણ એક ત્રિકનું ગ્રહણ કર્યું છે. તથા ત્રણ વેદમાંથી કોઇપણ એક વેદ, તથા હાસ્ય - શોક, રતિ-અરતિરૂપમાંથી કોઇપણ એક યુગલ આ ૭ પ્રકૃતિઓની મિથ્યાષ્ટિને ધ્રુવ ઉદીરણા હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org