________________
૫૮
કર્મપ્રકૃતિ ભાગ-૨ वैक्रियस्य सुस्नैरयिका आहारका नरस्तिर्यग् ।
संज्ञी बादरपवनश्च लब्धिपर्याप्तको भवेत् ।। ८ ।। ગાથાર્થ :- ટીકાની જેમ.
ટીકાર્થ :- વૈક્રિયશરીર નામના ઉપલક્ષણથી વૈક્રિયબંધન ચતુષ્ક અને વૈક્રિય સંઘાતનના ઉદીરક દેવ અને નારકો છે. તે પણ ઓજ અથવા લોમ આહારમાંથી કોઇપણ આહારને ગ્રહણ કરનાર આહાર પર્યાપ્તા છે. અને જે વૈક્રિય લબ્ધિવંત સંજ્ઞિ મનુષ્ય કે તિર્યંચ અને જે બાદર પવન દુર્ભગનામના ઉદયવાળા લબ્ધિ પર્યાપ્ત એટલે વૈક્રિયશરીર લબ્ધિ વડે પર્યાપ્ત થયેલા તે સર્વે પણ વૈક્રિયનામના ઉદીરક જાણવાં.(વૈક્રિય વિકુર્વણાકાળ)
वेउबिउवंगाए, तणुतुल्ला पवणबायरं हिच्चा । आहारगाएँ विरओ, विउब्वयंतो पमत्तो य ।। ९ ।। वैक्रिस्योपाङ्गस्य, तन्तुल्याः पवनबादरं हित्वा ।
સાહારી વિરતો, વિર્વનું પ્રમશ છે ? ગાથાર્થ :- ટીકાની જેમ.
ટીકાર્ય :- વૈક્રિય અંગોપાંગ નામના ઉદીરક વૈક્રિયશરીર સમાન જાણવાં. જે વૈક્રિય નામના ઉદીરકો કહ્યા તે જ તેના વૈક્રિય અંગોપાંગના પણ જાણવાં. એ પ્રમાણે અર્થ છે. શું સર્વે પણ ? તો કહે છે. - ના, ફક્ત બાદર વાયુકાય સિવાયના બીજા જાણવાં.
“સાહાર' ત્તિ આહારકશરીર નામના ઉપલક્ષણથી આહારક અંગોપાંગ, આહારક બંધન અને આહારક સંઘાતનના સંયત વિદુર્વણા કરતો – આહારકશરીરને કરતો પ્રમત્ત એટલે પ્રમાદભાવને પામે છતે ઉદીરક થાય છે. અને પંચસંગ્રહ ઉદીરણાકરણની ગાથા ૯માં કહ્યું છે. “દિરસત્ત:સ્ત વિ ડું પત્તો વિલબત્તો'' || અર્થ - આહારકસપ્તકની વિતુર્વણા પ્રમત્ત સંયતો કરે છે.
छण्हं संठाणाणं, संघयणाणं च सगलतिरियनरा । देहत्था पज्जत्ता, उत्तमसंघयणिणो सेढी ।। १० ।। षण्णां संस्थानानां, संहननां च सकलतिर्यग्नराः ।
देहस्थाः पर्याप्ता, उत्तमसंहननिनः श्रेणौ ।। १० ।। ગાથાર્થ :- ટીકાની જેમ,
ટીકાર્થ :- સકલ પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય શરીર પર્યાપ્તિએ ઉદયમાં વર્તતાં હેરસ્થા :- શરીરનામના ઉદયમાં વર્તતા ૬ સંસ્થાન અને ૬ સંઘયણના ઉદીરક હોય છે. અહીં જેનો ઉદય હોય તેની જ ઉદીરણા પ્રવર્તે છે, જ્યારે જે સંસ્થાન કે સંઘયણનો ઉદય પ્રાપ્ત થાય છે ત્યારે તે સંસ્થાન કે સંઘયણની ઉદીરણા હોય છે, બીજાની નહીં એમ જાણવું.
તથા ઉત્તમ સંઘયણ-વજઋષભનારાંચ સંઘયણવાળા જીવને ક્ષપકશ્રેણિમાં હોય છે. બાકીના સંઘયણવાળાને ક્ષપકશ્રેણિ ન હોય, તેથી ક્ષપકશ્રેણિમાં આરૂઢ થયેલ જીવ વજઋષભનારાય સંઘયણની જ ઉદીરણા કરે છે. બાકીના સંઘયણની નહીં, કારણ કે બાકીના સંઘયણના ઉદયનો અભાવ છે.
चउरंसस्स तणुत्था, उत्तरतणु सगलभोगभूमिगया । તેવા દ્યો ડુંડા, તતિરિયનરી ય સેવા ૧૧ || चतुरस्रस्य तनुस्था, उत्तरतनव : सकलाभोगभूमिगताः ।
કેવા રૂતરે હુન્ડWIઃ, ત્રસતિનરાશ સેવાર્તાઃ || ૧૦ || ગાથાર્થ :- ટીકાની જેમ,
ટીકાર્થ :- આહારક અને ઉત્તર વૈક્રિય શરીરવાળા શરીરસ્થ પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય તે સમચતુરઢ સંસ્થાનના જ ઉદીરક જાણવાં. તથા સકલ યુગલિક તિર્યંચ - મનુષ્યો અને દેવો પણ સમચતુરસ્ત્ર સંસ્થાનના ઉદીરક જાણવાં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org