SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯ ઉદીરણાકરણ તરે -પૂર્વ કહ્યા તે સિવાયના બીજા એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, નારકો, અપર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચ - મનુષ્ય શરીરસ્થ હોત હુંડકસંસ્થાનના ઉદીરક હોય છે. ત્રસ તિર્યંચ-મનુષ્યો અહીં પણ ઇતર શબ્દને આવૃત્તિથી જોડતાં પૂર્વે કહ્યા તે સિવાયના ત્રસ - બેઇન્દ્રિયાદિ અને પંચેન્દ્રિય તિર્યંચ-મનુષ્યો સેવાત્ત સંઘયણના ઉદીરક છે. વિકલેન્દ્રિય અને લબ્ધિ અપર્યાપ્ત એવા પંચેન્દ્રિય તિર્યંચ - મનુષ્યોને વિષે જ સેવાર્તાની ઉદીરણાનો નિયમ જણાવવાનું અહીં તાત્પર્ય છે. આ સિવાયનાને પહેલા કહેલ જ છે. પંચસંગ્રહ ઉદીરણાકરણની ગાથા-૧૨માં કહ્યું છે. - ‘છેવટ્ટમાં તુ વિયા પબ્બત્તા'' વિકલેન્દ્રિય અને અપર્યાપ્તા જીવો છેવટ્ટા સંઘયણને ઉદીરે છે. संघयणाणि न उत्तर - तणूसु तन्नामगा भवंतरगा । अणुपुब्बीणं परघायस्स उ देहेण पज्जत्ता ।। १२ ।। संहननानि नोत्तर - तनुषु तन्नामका भवान्तरगाः । आनुपूर्वीणां पराघातस्य तु देहेन पर्याप्ताः ।। १२ ।। ગાથાર્થ :- ટીકાની જેમ. ટીકાર્થ ઃ- વૈક્રિય અને આહારકરૂપ ઉત્તર શરીરોમાં મનુષ્ય અને તિર્યંચને વિષે સંઘયણ હોય નહીં, અર્થાત્ ૬ સંઘયણમાંથી એક પણ સંઘયણ હોય નહીં એ પ્રમાણે અર્થ છે. તેથી તેના (સંધયણના) ઉદયનો અભાવ હોવાથી એક પણ સંઘયણની ઉદીરણા ન થાય. અને પંચસંગ્રહ ઉદીરણાકરણની ગાથા-૧૩માં કહ્યું છે.... ‘વેન્દ્રિય બાહારાયે ન જરા વિ હુંતિ સંઘવળી ।’’ વૈક્રિય અને આહારકના ઉદયમાં મનુષ્યો પણ સંઘયણવાળા હોતા નથી અહીં પણ (પે) શબ્દથી વૈક્રિયના ઉદયમાં તિર્યંચો પણ જાણવાં છે. તથા આનુપૂર્વી પૂર્વક નારકાદિ નામવાલા ભવાન્તરાલ ગતિમાં વર્તતાં જીવો નરકાનુપૂર્વી આદિ-૪ આનુપૂર્વીના ઉદીરક જાણવાં. તે આ પ્રમાણે કહે છે. - વાન્તરાલ ગતિમાં વર્તતાં નારક નરકાનુપૂર્વીના, અને તિર્યંચો તિર્યંચાનુપૂર્વીના ઉદીરક છે ઇત્યાદિ. તથા શરીર પર્યાપ્તિથી પર્યાપ્ત સર્વ જીવો પરાધાતનામના ઉદીરક હોય છે. बायरपुढवी आयावस्स य वज्जित्तु सुहुमहुमतसे । ઉન્નોવસ યતિરિયો, ઉત્તરવે ય તેવનારૂં || 9ૐ || પ बादरपृथ्वीक आतपस्य च वर्जयित्वा सूक्ष्मसूक्ष्मत्रसान् । ઘોતસ્ય ૪ તિર્યગ્ર, ઉત્તરવેહા તેવ-તિઃ || ૧૨ || ગાથાર્થ :- ટીકાની જેમ. ટીકાર્થ :- આતપનામકર્મના ઉદીરક બાદર પૃથ્વીકાયિક જીવો છે. 7 શબ્દ અનુક્તાર્થ સૂચક હોવાથી બાદર પૃથ્વીકાયિક પર્યાપ્ત જીવો જાણવાં. તથા સૂક્ષ્મ એકેન્દ્રિય અને તેઉ-વાઉકાયરૂપ સૂક્ષ્મ ત્રસ સિવાયના બાકીના તિર્યંચ :- પૃથ્વી - અપ્-વનસ્પતિ, વિકલેન્દ્રિય અને પંચેન્દ્રિય તિર્યંચો જે લબ્ધિ પર્યાપ્તા છે. તે સર્વ યથાયોગ્યપણે ઉદ્યોતનામના ઉદારક છે. તથા ઉત્તર શરીરમાં એટલે વૈક્રિય અને આહા૨કદેહમાં વર્તતાં અનુક્રમે દેવ અને યતિ ઉદ્યોતનામના ઉદીરક જાણવાં. અને પંચસંગ્રહ ઉદીરણાકરણની ગાથા-૧૪માં કહ્યું છે. - ‘‘મુવીબારવાસડુ વાયરપબ્બત્તઽત્તરતનૂ ય। વિનતિતિરિયા પખ્ખોવુવીરના મળવા’’ અર્થ :- બાદર પર્યાપ્ત પૃથ્વીકાય, અકાય, વનસ્પતિકાય, ઉત્તરવૈક્રિય અને આહારકશરીરી, વિકલેન્દ્રિય અને પંચેન્દ્રિય તિર્યંચો એ સર્વ ઉદ્યોતના ઉદીરક છે. सगलो य इट्टखगई, उत्तरतणुदेवभोगभूमिगया । इट्टसराऍ तसो वि य, इयरासिं तसा सनेरइया ।। १४ ।। सकलश्चेष्टखगते-रुत्तरतनुदेवभोगभूमिगताः । રૂટસ્વરસ્ય ત્રસોઽષિ, ચૈતયોસ્ત્રસાઃ નૈયિાઃ || ૧૪ || આ અર્થ ભાંગા સાથે મળતો આવે છે પરંતુ પંચસંગ્રહમાં ‘‘વપરધાર્ય સાહારનું ધ ફ્યાં તેનુ પઞત્તા'' એવો પાઠ હોવાથી ઉપઘાત પરઘાતનો ઉદીરક એક જ કહ્યો. અનેક સ્થાને ઉપઘાતના ઉદીરક શરીર અપર્યાપ્તા કહ્યા છે ને પરાઘાતનો ઉદીરક તો શરીર પર્યાપ્તા જ કહ્યા છે. માટે પંચસંગ્રહમાં કહેલ ઉપઘાત પરાધાત ઉદીરણા સ્વામિત્વ વિચારવા યોગ્ય છે. વિશેષ ટીનં-૪ જુઓ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005573
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy