SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદીરણાકરણ તથા પ્રત્યેકનામના અને ઇતર એટલે સાધારણનામકર્મના આહાર પર્યાપ્તિવાળા શરીરસ્થ પ્રત્યેક શરીરી અને સાધારણ શરીરી સર્વ જીવ ઉદીરક છે. आहारगनरतिरिया, सरीरटुगवेयए पमोत्तूणं । ओरालाए एवं, तदुवंगाए तसजियाओ ।। ७ ।। आहारकनरतियञ्चः शरीरद्विकवेदकान् प्रमुच्य । औदारिकस्येवं, तदुपाङ्गस्य त्रसजीवाः ।। ७ ।। ગાથાર્થ :- ટીકાની જેમ ટીકાર્થ :- ઓજ-લોમ-પ્રક્ષેપ એ ૩માંના કોઇપણ આહારને ગ્રહણ કરનાર જે મનુષ્ય અને તિર્યંચ છે “ગોરતા', ત્તિ- દારિક શરીરનામકર્મના ઉપલક્ષણથી તે જ દારિક બંધન ચતુષ્ક અને ઔદારિક સંઘાતનના પણ ઉદીરક છે. શું વિશેષ ન હોવાથી સર્વ પણ આહારક મનુષ્ય-તિર્યંચ ઉદીરક છે ? નહીં બે શરીર-આહારક અને વૈક્રિયના વેદકવાળા તે સિવાયના, કારણ કે આહારક- વૈક્રિયશરીરવાળા દારિક નામના ઉદયે વર્તતાં નથી. તેથી સહેલાઇથી તેના ઉદીરક થતા નથી તેથી ત્યાગ કર્યો છે. તથા પૂર્વોક્ત કહ્યા પ્રમાણે “તકુવં' ત્તિ તેના અંગોપાંગ નામના જ ઉદીરક જાણવાં. ફક્ત તે ત્રસ જીવો જ છે, પણ સ્થાવર નથી, કારણ કે તે સ્થાવર જીવોને અંગોપાંગ નામના ઉદયનો અભાવ છે. અને પંચસંગ્રહ ઉદીરણાકરણ ગાથા ૭માં કહ્યું છે. ““મારી ઉત્તરત નતિરિ તત્રેયપનોત્ત" ઉકીરતી ૩રર્ત તે વ તા ૩ સે |' (અર્થઆહારકશરીરી તથા વૈક્રિયશરીરી દેવો, નારકીઓ અને તેના વેદક મનુષ્ય-તિર્યંચોને છોડી શેષ સઘળા જીવો ઔદારિક નામની ઉદીરણાના સ્વામી છે. તે જ સઘળા પરંતુ ત્રસ જીવો તેના ઉપાંગની ઉદીરણાના સ્વામી છે.) અહીં આહારી એટલે આહારકશરીરી ““ઉત્તરત'' ત્તિ વૈક્રિયશરીરી દેવ અને નારકો, તેમજ વૈક્રિયશરીરના વેદક એવા મનુષ્ય અને તિર્યંચનો પણ ત્યાગ કરીને એ પ્રમાણે પૂર્વાર્ધનો અર્થ છે. वेउबिगाइ सुरनेरइया आहारगा नरो तिरिओ । सन्नी बायरपवणो, य लद्धिपज्जत्तगो होज्जा ।। ८ ।। અહીં શરીરસ્થ એટલે ઉત્પત્તિ સ્થળે ઉત્પન્ન થયેલા અને શરીર પર્યાપ્તા એટલે જેઓએ શરીર પર્યાપ્તિ પૂરી કરી લીધી હોય તેવા, એટલે શરીરથ અને શરીર પર્યાપ્ત એ બેમાં ભેદ છે. જ્યાં જ્યાં ઉદય કે ઉદીરણાના સ્થાન બતાવ્યા છે ત્યાં ત્યાં એ ભેદ સ્પષ્ટપણે સમજાય છે. જેમકે એકેન્દ્રિયને ૨૧- ૨૪-૨૫-૨૬- ૨૭ એ પાંચ ઉદય કે ઉદીરણાસ્થાનો છે. તેમાં વિગ્રહ ગતિમાં ૨૧, પ્રત્યે ક કે સાધારણ, ઉપઘાત, દારિક શરીરનામકર્મ અને હુડકસંસ્થાન મેળવીય અને આનુપૂવ કાઢીએ એટલે શરીરને ૨૪ની ઉદીરણા થાય છે. ત્યારબાદ શરીર પર્યાપ્તિએ પર્યાપ્તાને પરાધાને સાથે ૨૫ની ઉદીરણા થાય છે. અહીં શરીરસ્થને ૨૪ની અને શરીરપર્યાપ્તિએ પર્યાપ્તન ૨૫ની ઉદીરણો કહી છે. કદાચ અહી શરીરથ એટલે શરીરપર્યાપ્તિએ પર્યાપ્તા, એવો જ અર્થ કરીએ તો પ્રત્યેક આદિ સાથે જ પરાઘાતની ઉદીરણા પણ શરૂ થવી જોઇએ આગળ-પાછળ નહીં. કદાચ શરીરસ્થ એટલે શરીરપર્યાપ્તિએ પર્યાપ્ત એમ અર્થ કરીને એમ કહીએ કે શરીર પર્યાપ્તિએ પર્યાપ્તાને પહેલાં પ્રત્યકાદિની ઉદીરણા. શરૂ થાય, ત્યારબાદ કેટલાએક સમય ગયા પછી પરાઘાતની ઉદીરણા શરૂ થાય તો શું વાંધો છે ? એમ કહેવું એ પણ ઠીક નથી, કેમકે શરીર પર્યાપ્તિ જ્યાં સુધી પૂર્ણ થઇ નથી ત્યાં સુધીના અંતર્મુહૂર્ત પર્યત દારિક આદિ પ્રવૃતિઓનો ઉદય ન હોય તે કેમ બને ? ઔદારિકનામકર્મના ઉદય વિના તો ઔદારિક વર્ગણામાંથી મુગલ જ ગ્રહણ કરી શકતો નથી. અને અંતર્મુહૂર્ત સુધી દારિક પુદ્ગલ જ ગ્રહણ કરતા નથી એમ પણ કહી શકાય તેમ નથી. કેમકે ઉત્પત્તિસ્થાને ઉત્પન્ન થઇને જ દરેક આત્માઓ આંદારિક પુદ્ગલોને ગ્રહણ કરવાની શરૂઆત કરી દે છે. • કદાચ અહીં એમ કહેવામાં આવે કે અહીં ઉદીરણા શરીરપર્યાપ્તિએ પર્યાપ્તને કહી છે. એટલે ઉદય ભલે ઉત્પત્તિસ્થળે ઉત્પન્ન થવાની સાથે જ શરૂ થાય છે. વળી ઉદીરણાના સ્થાનકો જ્યાં કહ્યાં છે, ત્યાં પ્રત્યકાદિની શરીરસ્થને અને પરાઘાતની શરીરપર્યાપ્તિએ પર્યાપ્તને ઉદીરણા સ્પષ્ટ રીતે કહી છે. વળી ગાથા-૭માં “માલએટલે આહારપર્યાપ્તિએ પર્યાપ્તાને વૈક્રિય શરીરની ઉદીરણા કહી છે. પ્રત્યકાદિની ઉદીરણો શરીરની ઉદીરણા સાથે જ થાય છે. આગળ પાછળ નહીં. વળી કર્મપ્રકૃતિ ઉદીત ગાઇ ૬માં “ વરસ્ય ૩ તyત્યા' એ પદની ચૂર્ણિ આ પ્રમાણે છે. “ સરીરના સાહિરાસરીરનામાસં સરીરના વદના રીરના'' એટલે શરીર નામના ઉદય વર્તમાન પ્રત્યેક સાધારણની ઉદીરણાના સ્વામી છે એમ કહે છે. પરાઘાત માટે ગા) ૧૨માં Tીપાવસ ૩ ફ્રેન સ્નતા' અહીં ટ્રેન પ્રજ્ઞા' એટલે શરીર પર્યાપ્તિએ પર્યાપ્ત સ્પષ્ટ પાઠ છે. ચૂર્ણિમાં પણ એ પ્રકારે જ છે, અહીં ‘તyત્યા' અને રોગ પત્તા' નો સ્પષ્ટ ભેદ જણાય છે. માટે શરીરસ્થ એટલે ઉત્પત્તિ સ્થળે ઉત્પન્ન થયેલા એ અર્થ ઠીક લાગે છે. ઉપર શરીરસ્થ એટલે શરીરપર્યાપ્તિએ પર્યાપ્ત અર્થ કઇ રીતે કર્યો છે તે સમજાતું નથી. અહીં તત્ત્વ બહુશ્રુત જાણે. For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005573
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy