SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ मूलप्रकृतिषु पञ्चानां त्रिधा द्वयोश्चतुर्विधा भवति । આયુષ: સાઘધુવા, વશોત્તરશતોત્તરાસાવિ ॥ ૨ ॥ ગાથાર્થ :- ૫ મૂળપ્રકૃતિની ઉદીરણા ૩ પ્રકારે - ૨ મૂળપ્રકૃતિની ઉદીરણા ૪ પ્રકાર - આયુષ્યની ઉદીરણા સાદિ-અધ્રુવ, અને ૧૧૦ ઉત્તરપ્રકૃતિની ઉદીરણા પણ સાદિ-અધ્રુવ છે. ટીકાર્થ :- તે પ્રમાણે લક્ષણ અને ભેદ પ્રરૂપણા કહીં, હવે સાધાદિ પ્રરૂપણા કરે છે. અને તે બે પ્રકારે છે... મૂલપ્રકૃતિ સંબંધી અને ઉત્તરપ્રકૃતિ સંબંધી. ત્યાં પ્રથમ મૂલપ્રકૃતિ સંબંધીને કહે છે. મૂલપ્રકૃતિઓની મધ્યમાં જ્ઞાનાવરણ - દર્શનાવરણ - નામ - ગોત્ર - અંતરાય એ પાંચ મૂલપ્રકૃતિઓની ઉદીરણા ‘ત્રિયા' = ત્રણ પ્રકારે છે. તે આ પ્રમાણે - અનાદિ - ધ્રુવ અને અધ્રુવ છે. તે આ રીતે કહે છે... જ્ઞાનાવરણ - દર્શનાવરણ - અંતરાયકર્મ એ ૩ મૂલપ્રકૃતિઓની જ્યાં સુધી ક્ષીણમોહ ગુણસ્થાનકની સમયાધિક આવલિકા બાકી ન ૨હે ત્યાં સુધી, અને નામ-ગોત્રકર્મની જ્યાં સુધી સયોગીના અન્ય સમય છે ત્યાં સુધી સર્વ જીવોને અવશ્ય ઉદીરણા હોય છે, તેથી એ અનાદિ ઉદીરણા થઈ, ધ્રુવ તે અભવ્યને અને અધ્રુવ ભવ્ય જીવોને હોય છે. તથા વેદનીય – મોહનીયકર્મ એ બે મૂલપ્રકૃતિની ઉદીરણા ૪ પ્રકારે છે. તે આ પ્રમાણે - સાદિ - અનાદિ - ધ્રુવ અને અધ્રુવ છે. ત્યાં વેદનીયકર્મની પ્રમત્ત ગુણસ્થાનક સુધી ઉદીરણા થાય છે. આગળ (અપ્રમત્તાદિ ગુણ) ઉદીરણા નથી. મોહનીયકર્મની સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનક સુધી ઉદીરણા થાય છે. આગળ (૧૧ આદિ ગુણ) ઉદીરણા નથી. તેથી અપ્રમત્તાદિ ગુણસ્થાનકેથી પડેલાને વેદનીયની અને ઉપશાંતમોહ ગુણસ્થાનકેથી પડેલાને મોહનીયની ઉદીરણા થાય છે તે સાદિ, તે તે સ્થાન નહીં પામેલાને અનાદિ, ધ્રુવ-અધ્રુવ પૂર્વની જેમ અભવ્ય-ભવ્ય અપેક્ષાએ હોય છે. કર્મપ્રકૃતિ ભાગ-૨ વળી આયુષ્યકર્મની ઉદીરણા સાદિ-અધ્રુવ છે. તે આ પ્રમાણે કહે છે... આયુષ્યની અન્ય આવલિકામાં નિશ્ચયથી ઉદીરણા નથી તેથી અધ્રુવ, અને પરભવના ઉત્પત્તિના પ્રથમ સમયે જ ઉદીરણા પ્રવર્તે છે તેથી સાદિ તે પ્રમાણે મૂલપ્રકૃતિઓને વિષે સાદિ-અનાદિ પ્રરૂપણા કરી. હવે ઉત્તરપ્રકૃતિઓને વિષે તે સાદિ-અનાદિ પ્રરૂપણા કહે છે... ‘વસુત્તર' ઇત્યાદિ ઉત્તરપ્રકૃતિઓની પણ જ્ઞાનાવરણ-૫, દર્શનાવરણ-૪, મિથ્યાત્વ, તૈજસસપ્તક, વર્ણાદિ-૨૦, સ્થિર-અસ્થિર, શુભ-અશુભ, અગુરુલઘુ, નિર્માણ, અંતરાય-૫, = ૪૮ પ્રકૃતિઓ સિવાયની બાકી સર્વ-૧૧૦ પ્રકૃતિઓની ઉદીરણા સાદિ અને અવ છે. અને તે સાદિ-અવતાં અવોદયપણું હોવાથી જ સિદ્ધ છે. मिच्छत्तस्स चउद्धा, तिहा य आवरणविग्घचउदसगे । थिरसुभसेयर उवघाय- वज्ज धुवबंधिनामे य ।। ३ ।। मिथ्यात्वस्य चतुर्धा, त्रिधा चावरणविघ्नचतुर्दश । સ્થિરણુમસેતરોવધાત - વર્ગ ધ્રુવન્થિનાનિ ચ ।। ૩ ।। ગાથાર્થ મિથ્યાત્વની ઉદીરણા - ૪ પ્રકારે, ૯ આવરણ, ૫ અંતરાય =એ ૧૪ પ્રકૃતિઓની ઉદીરણા તથા સ્થિર-અસ્થિર, શુભ-અશુભ ને ઉપઘાત સિવાયની અને તૈજસ-૭, અગુરુલઘુ, વર્ગાદિ-૨૦, નિર્માણ એ ધ્રુવબંધિ નામની પ્રકૃતિઓની ઉદીરણા ૩ પ્રકારે છે. 3 ટીકાર્થ મિથ્યાત્વની ઉદીરણા-૪ પ્રકારે છે. તે આ પ્રમાણે સાદિ-અનાદિ - ધ્રુવ અને અધ્રુવ છે. ત્યાં સમ્યક્ત્વ સ્વીકાર કરતા જીવને મિથ્યાત્વનો ઉદય નથી, તેથી ઉદીરણા થતી નથી, ત્યાંથી - સમ્યક્ત્વથી પડીને મિથ્યાત્વની પ્રાપ્તિમાં ફરી પણ ઉદય-ઉદીરણા હોય છે, તેથી આ સાદિ, સમ્યક્ત્વ નહીં પામેલ જીવને અનાદિ, અભવ્યને ધ્રુવ, ભવ્યને અધ્રુવ. Jain Education International તથા જ્ઞાનાવરણ-૫, દર્શનાવરણ-૪, અંતરાય-૫ =૧૪ પ્રકૃતિઓની ઉદીરણા - ૩ પ્રકારે છે. અનાદિ - ધ્રુવ અને અધ્રુવ છે. તે આ પ્રમાણે કહે છે...... આ પ્રકૃતિઓનું ધ્રુવોદયપણું હોવાથી ઉદીરણા અનાદિ, અભવ્યને આશ્રયીને ધ્રુવ, ભવ્યને ક્ષીણમોહગુણસ્થાનકે વૈ(સમયાધિક) આવલિકા બાકી રહે ઉદીરણા વિચ્છેદ થવાથી અધ્રુવ છે. ૨ અહીં ટીકામાં સમાધિષ્ઠાતિષ્ઠા નાર્વાશષ્યતે છે તે અશુદ્ધિ છે. સર્વાશતે અર્થાત્ બાકી રહે ત્યાં સુધી જોઇએ કારણ કે ચૂર્ણિમાં બાકી રહે ત્યાં સુધી કહેલ છે. અહીં ટીકામાં સમાધિ આપેલ નથી પણ તે જરૂરી છે. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005573
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy