________________
ઉદીરણાકરણ
૫૩
ॐ ह्रीं श्री सिद्धाचल महातीर्थाधिराजाय श्री आदिनाथाय नमः । ( - અથ પમું ઉદીરણાકરણ :
-: અથ ૧લી પ્રકૃતિ ઉદીરણા - जं करणेणोकड्ढ्यि , उदए दिज्जइ उदीरणा एसा । पगइटिइअणुभाग - प्पएसमूलुत्तरविभागा ।। १ ।। यत् करणेनापकृष्योदये दीयत उदीरणैषा । प्रकृतिस्थित्यनुभाग - प्रदेशमूलोत्तरविभागा ।। १ ।।
ગાથાર્થ :- કરણ દ્વારા જે કર્મલિક ખેંચીને ઉદયમાં દેવાય = લવાય છે તે ઉદીરણા કહેવાય છે. અને તે પ્રકૃતિ - સ્થિતિ - રસ અને પ્રદેશ એ ચાર વિભાગવાળી છે. વળી એ ચાર વિભાગ પણ મૂલ અને ઉત્તરપ્રકૃતિ વિષયવાળા એમ બે બે ભેદવાળા છે. '
ટીકાર્થ :- પ્રમાણે ઉદ્વર્તના - અપવર્નના કહીં, હવે ઉદ્દેશના ક્રમથી આવેલ ઉદીરણાકરણ કહે છે. ત્યાં પ્રતિ ઉદીરણામાં આ અર્વાધિકાર છે. ૧- લક્ષણ, ૨ - ભેદ, ૩-સાધાદિ પ્રરૂપણા, ૪-સ્વામિત્વ, ૫-ઉદીરણા પ્રકૃતિસ્થાનો, અને ૬-તે સ્થાનના સ્વામી (એ ૬ અર્થાધિકાર કહેવાશે.)
-: અથ ૧-૨જી લક્ષણ-ભેદ પ્રરૂપણા :-) ત્યાં પ્રથમ લક્ષણ ભેદ-પ્રરૂપણા કરતાં કહે છે... અહીં ગાથાના પૂર્વાર્ધ વડે લક્ષણ અને ઉત્તરાર્ધ વડે ભેદ પ્રરૂપણા કહીં છે, ત્યાં જે પરમાણુરૂપ દલિકને કરણવડ એટલે કે કષાય સહિત અથવા કષાય રહિત એવા યોગસંજ્ઞકે વીર્યવર્ડ ઉદયાવલિકાથી બહાર રહેલી સ્થિતિઓમાંથી આકર્ષ આકર્ષીને અર્થાતું ખેંચી ખેંચીને ઉદયાવલિકામાં નંખાય તેને ઉદીરણા
તે ચાર પ્રકારે છે..... તે આ પ્રમાણે કહે છે, ૧-પ્રકૃતિ ઉદીરણા, ૨-સ્થિતિ ઉદીરણા, ૩-અનુભાગ ઉદીરણા અને 4 પ્રદેશ ઉદીરણા, વળી તે દરેકના બે પ્રકાર છે.... મૂલપ્રકૃતિ વિષય અને ઉત્તરપ્રકૃતિ વિષય, ત્યાં મૂલપ્રકૃતિ વિષયના ૮ મંદ, અને ઉત્તરપ્રકૃતિ વિષયના ૧૫૮ ભેદ છે. અને તે આ પ્રમાણે કહ્યું છે... ““પ્રતિરથ૦મારપ્રામૂનોત્તરવિમા II'' - પ્રકૃતિ - સ્થિતિ - અનુભાગ – પ્રદેશ એ ૪ વડે મૂલપ્રકૃતિ અને ઉત્તરપ્રકૃતિ વડે જેના વિભાગ એટલે ભેદ છે તે પ્રકૃતિ આદિ “દવાળી કહેવાય.
જો કે ઉદીરણામાં ઉદય સમાનપણું હોવાથી ૧૨૨ પ્રકૃતિઓ કર્મસ્તવની ટીકાદિમાં કહી છે. અહીં તો ૧૫૮ છે, તા પણ ત્યાં બંધનાદિની જુદી વિવેક્ષા નથી કરી, અહીં તો જુદી વિવેક્ષા છે તેથી બંધનાદિ સાથે ગણતાં ૧૫૮ થઈ જાય એટલે દોષ નથી. આ પ્રમાણે ભાવવું.
ઇતિ ૧-૨જી લક્ષણ-ભેદ પ્રરૂપણા સમાપ્ત (- અથ ૩જી સાધાદિ પ્રરૂપણા :-) मूलपगईसु पंचण्ह तिहा दोण्हं चउबिहा होइ । आउस्स साइ अधुवा, दसुत्तरसउत्तरासि पि ।। २ ।।
પૂજ્ય મલયગિરિ મસાની ટીકામાં કહ્યું છે “ યાત્તિવારિરિત્નટિરિતો સીટિvi સરિણા વા નો સનેન ઝરમાં નાના+ઢિય ૩યાતિયાણ પવેસ રીતિ '' અર્થ – ઉદયાવલિકાની બહારની સ્થિતિને કપાય સહિત કે અસહિત યોગસંજ્ઞક કરણવ દલિકને ખેંચીને
ઉદયાવલિકામાં નાંખે તે ઉદીરણા, Jain Education Interational For Personal Private Use Only
www.jainelibrary.org