SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ પ્ર. ૬ ઉ. પ્ર. ૭ ઉ. Jain Education International કર્મપ્રકૃતિ ભાગ-૨ આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિસ્થાનોમાં નિક્ષેપ થાય છે. અને એજ જઘન્ય નિક્ષેપ છે. જ્યારે બધ્યમાન લતાના અબાધાસ્થાનની ઉપરના પૂર્વબદ્ધ પ્રથમ સ્થિતિસ્થાનના દલિકોની ઉર્જાના થાય ત્યારે આવલિકા પ્રમાણ અતીસ્થાપના છોડી તેની ઉપરના બધા સ્થિતિસ્થાનોમાં નિક્ષેપ થાય છે. અને તે સમયાધિક આવલિકા રહિત અબાધા ન્યૂન ઉત્કૃષ્ટ કર્મસ્થિતિ પ્રમાણ છે. અને તેજ ઉત્કૃષ્ટ નિક્ષેપ છે. પૂર્વબદ્ધ સત્તાગત સ્થિતિથી અધિક બંધ થાય ત્યારે વ્યાઘાત ઉર્જાના થાય છે. તેમાં જઘન્ય નિક્ષેપ આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ નિક્ષેપ નિર્વ્યાઘાત ઉર્જાનાની સમાન હોય છે. અને પૂર્વબદ્ધ સત્તાથી આવલિકાના બે અસંખ્યાતમા ભાગ પ્રમાણ અધિક નવીન બંધ થાય ત્યારે જઘન્ય અતીત્થાપના આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ અતીસ્થાપના નિર્વ્યાઘાત ઉર્જાનાની સમાન હોય છે. સ્થિતિ અપવર્તનાના કેટલાં પ્રકાર છે ? અને તે દરેકમાં જઘન્ય તથા ઉત્કૃષ્ટ અતીત્થાપના તેમજ નિક્ષેપ કેટલો અને ક્યારે હોય ? નિર્વ્યાઘાત અને વ્યાઘાત એમ સ્થિતિ અપવર્ત્તના પણ બે પ્રકારે છે. બંધાવલિકા વીત્યા બાદ ઉદયાવલિકા ઉપરની સત્તાગત બધી સ્થિતિઓની સામાન્યથી હંમેશા અપવર્ઝના ચાલુ હોય છે. તે નિર્વ્યાઘાત અપવર્ઝના કહેવાય છે. અને સ્થિતિઘાત થાય ત્યારે તેના દ્વિચરમ સમય સુધી નિર્વ્યાધાત અને ચરમ સમયે વ્યાઘાત અપવર્ત્તના થાય છે. અર્થાત્ સ્થિતિઘાતના ચરમ સેમયનું કે આખા સ્થિતિઘાતનું જ બીજું નામ વ્યાઘાત અપવર્ત્તના છે. નિર્વ્યાઘાત અપવર્તનામાં ઉદયાવલિકા ઉપરના પ્રથમ સ્થિતિસ્થાનની અપવર્ઝના થાય ત્યારે સમય ન્યૂન આવલિકાના બે તૃતીયાંશ ભાગ પ્રમાણ સ્થિતિસ્થાનો જઘન્ય અતીત્થાપના હોય છે. અને તેની નીચેના શરૂઆતના સમયાધિક આવલિકાના ત્રીજા ભાગના સમય પ્રમાણ સ્થિતિસ્થાનો જધન્ય નિક્ષેપના વિષયભૂત હોય છે. તેમજ સત્તાગત અંતિમ સ્થિતિસ્થાનની અપવર્ઝના થાય ત્યારે આવલિકા પ્રમાણ સ્થિતિસ્થાનો ઉત્કૃષ્ટ અતીસ્થાપના હોય છે. અને તેની નીચેના બધા સ્થિતિસ્થાનોમાં નિક્ષેપ થાય છે. તેથી તે વખતે સમયાધિક બે આવલિકા ન્યૂન સંપૂર્ણ કર્મસ્થિતિ ઉત્કૃષ્ટ નિક્ષેપરૂપ હોય છે. વ્યાઘાત અપવર્તનામાં ઉત્કૃષ્ટ કંડક પ્રમાણ સ્થિતિઘાત થાય ત્યારે સમય ન્યૂન ડાયસ્થિતિ પ્રમાણ ઉત્કૃષ્ટ અતીત્થાપના હોય છે અને તેની નીચે અંતઃકોડાકોડી પ્રમાણ સ્થિતિસ્થાનો હોવાથી તે ઉત્કૃષ્ટ નિક્ષેપના વિષયભૂત હોય છે. પલ્યોપમના અસંખ્યાતમા ભાગના જઘન્ય કંડક પ્રમાણ સ્થિતિઘાત થાય ત્યારે સમય ન્યૂન કંડક પ્રમાણ જઘન્ય અતીત્થાપના અને તેની નીચેની યથાસંભવ અંતઃકોડાકોડી સાગરોપમથી અંતર્મુહૂર્ત પ્રમાણ સ્થિતિઓ જઘન્ય નિક્ષેપના વિષયભૂત હોય છે. અતીત્થાપના એટલે શું ? જે સ્થિતિસ્થાનના દલિકોની ઉર્જાના કરી તે સ્થિતિસ્થાનની ઉપર જેટલાં સ્થિતિસ્થાનોમાં તે દલિકો ન નાંખે, અર્થાત્ જેટલાં સ્થિતિસ્થાનો છોડી પછીના સ્થિતિસ્થાનોમાં નાંખે તે છોડવા યોગ્ય સ્થિતિસ્થાનો અતીસ્થાપના કહેવાય છે. અથવા જેટલાં સ્થિતિસ્થાનો ઉર્જાનાને યોગ્ય ન હોય તે પણ અતીત્થાપના કહેવાય છે. એજ પ્રમાણે - અપવર્તનામાં જે સ્થિતિસ્થાનના દલિકોની અપવર્ઝના થાય ત્યારે તે દલિકોને નીચેના જેટલાં સ્થિતિસ્થાનો છોડી તેની નીચેના સ્થિતિસ્થાનોમાં નાંખે તે છોડવા યોગ્ય સ્થિતિસ્થાનો અતીસ્થાપના કહેવાય છે. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005573
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy