________________
ઉદ્વર્તન અને અપવર્તનાકરણ
૪૧
(-: અથ ઉદ્વર્તના - અપવર્તનાકરણ પ્રસ્નોત્તરી :
પ્ર. ૧ ઉ. પ્ર. ૨ ઉ.
પ્ર. ૩
પ્ર. ૪
સંક્રમના કુલ કેટલા પ્રકાર છે ? અને તે કયા કયા ? ત્રણ, (૧) અન્ય પ્રકૃતિનયન સંક્રમ (૨) ઉદ્વર્તના સંક્રમ (૩) અપવર્તના સંક્રમ આ ત્રણે સંક્રમ પ્રકૃતિ વગેરે ચારેયના થાય ? અન્ય પ્રકૃતિનયન સંક્રમ પ્રકૃતિ આદિ ચારેયનો અને ઉદ્ધના તથા અપવર્તના સંક્રમ માત્ર સ્થિતિ અને રસનો જ થાય છે. આ ત્રણમાંથી મૂળ અને ઉત્તર પ્રવૃતિઓમાં કેટલાં અને કયા કયા સંક્રમ થાય ? મૂળ આઠેય કર્મપ્રકૃતિઓમાં અને આયુષ્યકર્મની ચારેય ઉત્તર પ્રવૃતિઓમાં ઉદ્વર્તના અને અપવર્તનારૂપ ફક્ત બે પ્રકારના અને ચાર આયુષ્ય વિના એકસો ચોપ્પન ઉત્તર પ્રવૃતિઓમાં ત્રણેય પ્રકારના સંક્રમ થાય છે. ઉદ્વર્તના, અપવર્ણના અને અન્ય પ્રકૃતિનયન સંક્રમમાં શું તફાવત છે ? ઉદવર્તના સંક્રમ તે તે પ્રકૃતિનો બંધ હોય ત્યારે જ તથા સ્થિતિ અને રસનો થાય છે. અપવર્તના સંક્રમ તે તે પ્રકૃતિનો બંધ હોય કે ન હોય તો પણ થાય છે. અને તે પણ સ્થિતિ તથા રસનો થાય છે.
આ બન્ને પ્રકારના સંક્રમોથી પૂર્વના નિષેક સ્થાનો બદલાઇ જાય છે. અર્થાતુ બંધ સમયે જે દલિતો જ્યારે. અને જેટલાં રસયુક્ત ફળ આપવાની યોગ્યતાવાળા થયેલા હોય છે. તેના બદલે જ્યારે તેની જેટલી ઉદ્વર્તન થાય ત્યારે તે દલિકો તેટલાં મોડા અને વધારે રસયુક્ત ફળ આપવાની યોગ્યતાવાળા થાય છે. એજ રીતે બંધ સમયે જે દલિકો જ્યારે અને જેટલાં રસયુક્ત ફળ આપવાની યોગ્યતાવાળા નિયત થયેલા હોય તેના બદલે જ્યારે તેની જેટલી અપવર્નના થાય ત્યારે તે દલિકો તેટલાં વહેલા અને ઓછા રસયુક્ત ફળ આપવાની યોગ્યતાવાળા થઇ જાય છે.
અન્ય પ્રકૃતિનયન સંક્રમથી વિવક્ષિત પ્રકૃતિરૂપે રહેલ સ્થિતિ - રસયુક્ત દલિકો તે સમયે તેની સ્વજાતીય બધ્યમાન પ્રકૃતિના દલિનોરૂપે બની જાય છે. તેથી સ્થિતિ અને રસ પણ બધ્યમાન પ્રકૃતિરૂપે જ થઇ જાય છે તેથી આ સંક્રમથી બંધ સમયે થયેલ નિષેક રચના બદલાતી નથી, પરંતુ તેના તે સ્થાનમાં રહેલ હોવા છતાં તે પ્રકૃતિના બદલે જેમાં સંક્રમે તે પ્રકૃતિરૂપે ફળ આપવાની યોગ્યતા નિયત થાય છે. સ્થિતિ ઉદ્વર્તનાના કેટલા પ્રકાર છે ? અને તે દરેકમાં જઘન્ય તથા ઉત્કૃષ્ટ અતીત્થાપના તેમજ નિક્ષેપ
ક્યારે અને કેટલો હોય ? નિર્વાઘાત અને વ્યાઘાત એમ સ્થિતિ ઉદ્વર્તના બે પ્રકારે છે.
ત્યાં પૂર્વબદ્ધ સત્તાગત સ્થિતિની સમાન કે ઓછો નવો બંધ થાય ત્યારે નિર્વાઘાત ઉદ્વર્તના હોય છે તેમાં કોઇપણ સ્થિતિસ્થાનના દલિકોની ઉદ્વર્તન કરે ત્યારે તેની ઉપર આવલિકાગત સ્થિતિસ્થાનો છોડી તેની ઉપરના સ્થિતિસ્થાનોમાં ગોઠવે છે. માટે જઘન્ય અતીત્થાપના આવલિકા અને બધ્યમાન લતાના અબાધાસ્થાનોમાં રહેલ પૂર્વબદ્ધ સત્તાગત કોઇપણ સ્થિતિસ્થાનના દલિકોની ઉદ્વર્તન કરી તે દલિકોને બધ્યમાન લતાના અબાધાસ્થાનની ઉપરની સ્થિતિઓમાં ગોઠવતો નથી. તેથી બધ્યમાન પ્રકૃતિની અબાધા સમાન ઉત્કૃષ્ટ અતીત્થાપના છે.
આવલિકાના અસંખ્યાતમા ભાગ સહિત આવલિકા પ્રમાણ સત્તાગત અંતિમ સ્થિતિસ્થાનોની નીચેના પ્રથમ સ્થિતિસ્થાનની ઉદ્વત્તનો થાય ત્યારે આવલિકા પ્રમાણ અતીત્થાપના છોડી તેના ઉપરના છેલ્લા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org