________________
ઉદ્દવના અને અપવર્તનાકરણ
૩૯ કંડકની અપવર્નના કરતા પહેલા સમયે ઉપરના પહેલા સ્થિતિસ્થાનમાં રહેલ દલિકોમાંના અમુક દલિકો સમય ન્યૂન કંડક પ્રમાણ સ્થિતિઓની નીચેના સ્થિતિસ્થાનોમાં ગોઠવાઇ છે. માટે જ સમયનૂન ઉત્કૃષ્ટ કંડક પ્રમાણ ઉત્કૃષ્ટ અતીત્થાપના છે અને જઘન્યથી પલ્યોપમના અસંખ્યાતમાં ભાગપ્રમાણ એક કંડક હોય છે, તેથી વ્યાઘાત અપવર્ણનામાં સમય ન્યૂન પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ જઘન્ય કંડક તે જઘન્ય અતીત્થાપના છે.
અહીં વ્યાઘાત અપવર્ણનામાં નિક્ષેપના વિષયભૂત સ્થિતિઓ અપવર્તન કરાતા કંડકની નીચે સત્તામાં જેટલી સ્થિતિઓ હોય તેટલી સ્થિતિઓ થાય છે. માટે તેટલી સ્થિતિઓ નિક્ષેપના વિષયભૂત છે.
આ સ્થિતિ અપવર્નનાના પદાર્થોનું અલ્પબદુત્વ અને સ્થિતિ ઉદ્વર્તન - અપવર્નનાના આવતા વિષયોનું સંયુક્ત અલ્પબહુત યંત્ર નંબર ૧ - ૨ જુઓ.
-: અનુભાગ ઉદ્વર્તના :-) જે જે સ્થિતિસ્થાનમાં રહેલ દલિકોની સ્થિતિની ઉદ્વર્તના અથવા અપવર્ણના થાય છે, તે તે દલિકોના અનુભાગની પણ ઉદ્વર્તના અને અપવર્ણના થાય છે. માટે સામાન્યથી સ્થિતિ ઉદ્વર્તન અને સ્થિતિ અપવર્તનાની જેમ જ અનુભાગ ઉદ્વર્તન અને અનુભાગ અપવર્તના પણ હોય છે. પરંતુ કોઇપણ એક સ્થિતિસ્થાનના દલિકોમાં રસસ્પર્ધકો અનંતા હોય છે. માટે અનુભાગના વિષયમાં સ્પર્ધકોની અપેક્ષાએ કેટલાક ઠેકાણે અનંતગુણ આવશે.
જેમ નિર્વાઘાત ઉદ્વર્તનામાં ચરમ સ્થિતિસ્થાનથી આવલિકાના અસંખ્યાતમા ભાગ સહિત આવલિકા પ્રમાણ ચરમ સ્થિતિસ્થાનો નિક્ષેપ અને અતીત્થાપનારૂપ હોવાથી ઉદ્વર્તનાને યોગ્ય નથી. તેમ તેટલાં સ્થિતિસ્થાનમાં રહેલ રસસ્પર્ધકો પણ ઉદ્વર્તનાને યોગ્ય નથી. પરંતુ તેની નીચેના પ્રથમ સ્થિતિસ્થાનગત રસસ્પર્ધકોની ઉદ્વર્તન થાય ત્યારે તે દલિકોના સ્પર્ધકોને તેની ઉપરના આવલિકાગત સ્પર્ધકોને છોડી તેની ઉપરના ચરમ આવલિકાના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ સ્થિતિસ્થાનોના દલિકોમાં રહેલ અનંત સ્પર્ધકોની સમાન અધિક રસવાળા કરે છે. અને તેની નીચે નીચેના સ્થિતિસ્થાનોના રસની ઉદ્ધના થાય ત્યારે તે તે સ્થિતિસ્થાનની ઉપર આવલિકા પ્રમાણ સ્થિતિગત રસસ્પર્ધકો છોડી તેની ઉપર નવીન બધ્યમાન પ્રકૃતિના ચરમ સમય સુધીના સ્થિતિસ્થાનોમાં રહેલ અનુભાગ સ્પર્ધકોમાં નિક્ષેપ થાય છે. તેથી જેમ સ્થિતિ ઉદ્વર્તનામાં અબાધાની ઉપરના પ્રથમ સ્થિતિસ્થાનની ઉદ્ધના થાય ત્યારે તેની ઉપર આવલિકા પ્રમાણ સ્થિતિસ્થાનો છોડી બધ્યમાન સ્થિતિના ચરમસમય સુધીના દરેક સ્થિતિસ્થાનોમાં નિક્ષેપ થાય છે. તેમ રસ ઉદ્વર્તનામાં અબાધાની ઉપરના પ્રથમ સ્થિતિસ્થાનગત રસસ્પર્ધકોની ઉદ્વર્તન થાય ત્યારે તે સ્થિતિસ્થાનની ઉપરના આવલિકા પ્રમાણ સ્થિતિસ્થાનગત રસસ્પર્ધકો છોડી બધ્યમાન સ્થિતિના ચરમ સમય સુધીના દરેક સ્થિતિસ્થાનગત રસસ્પર્ધકોમાં તેનો નિક્ષેપ થાય છે.
વ્યાઘાત અનુભાગ ઉદ્વર્તનામાં વ્યાઘાત સ્થિતિ ઉદ્વર્તનાની જેમ જઘન્ય નિક્ષેપ અને જઘન્ય અતીત્થાપના એ બંને આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિસ્થાનોમાં રહેલ અનંત રસસ્પર્ધક પ્રમાણ હોય છે. તો પણ નિક્ષેપના વિષયભૂત સ્થિતિસ્થાનો ઉપરના છે, અને અતીત્થાપના વિષયભૂત સ્થિતિસ્થાનો તેની નીચેના છે અને ઉપર ઉપરના સ્થિતિસ્થાનોથી નીચે નીચેના સ્થિતિસ્થાનોમાં રહેલ દલિકોમાં રસ ઓછો ઓછો હોય છે. તેથી નિક્ષેપના વિષયભૂત અનુભાગથી અતીત્થાપનારૂપ અનુભાગ હીન હોય એમ લાગે છે. પણ કેટલો હીન હોય છે તે બહુશ્રતો જાણે. તેનાથી આવલિકારૂપ ઉત્કૃષ્ટ અતીત્થાપનામત સ્પર્ધકો અનંતગુણ, તેનાથી ઉત્કૃષ્ટ નિક્ષેપના વિષયભૂત અનુભાગ સ્પર્ધકો અનંતગુણ અને તેથી પણ સર્વસત્તાગત અનુભાગ વિશેષાધિક હોય છે.
( અનુભાગ અપવર્નના :-) અહીં પણ સ્થિતિ અપવર્તનાની જેમ બંધાવલિકા વીત્યા પછી ઉદયાવલિકાની ઉપરના સ્થિતિસ્થાનોમાં રહેલ રસસ્પર્ધકોની જ અપવર્ણના થાય છે. તેથી ઉદયાવલિકાની ઉપરના પ્રથમ સ્થિતિગત રસસ્પર્ધકોની અપવર્તન કરે ત્યારે તે દલિતોના રસસ્પર્ધકોને તેની નીચેના સમય ન્યૂન આવલિકાના બે તૃતીયાંશ ભાગના સમય પ્રમાણ સ્થિતિસ્થાનોગત સ્પર્ધકોને છોડી તેની નીચેના આવલિકાના સમયાધિક ત્રીજા ભાગના સમયપ્રમાણ સ્થિતિસ્થાનોના દલિકોમાં રહેલ રસની સમાન ઓછા રસવાળા કરે છે. અર્થાત્ તેમાં નિક્ષેપ કરે છે. અને સત્તાગત અંતિમ સ્થિતિસ્થાનના અનુભાગની અપવર્તના કરે ત્યારે તેની નીચેના આવલિકાના સમય પ્રમાણ સ્થિતિગત રસસ્પર્ધકોને છોડી તેની નીચેના ઉદયના પ્રથમ સ્થિતિસ્થાને સુધીના બધા સ્થિતિસ્થાનોમાં રહેલ અનુભાગ સ્પર્ધકોમાં નિક્ષેપ કરે છે. અર્થાતુ તેની સમાન ઓછો રસ કરે છે. માટે અનુભાગ અપવર્ણનામાં ઉદયાવલિકા પ્રમાણ સ્થિતિસ્થાનોમાં રહેલ શરૂઆતના અનંતા રસસ્પર્ધકોની અપવર્ણના થતી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org