________________
કર્મપ્રકૃતિ ભાગ-૨
નવહજાર નવસો નવ્વાણુમા સ્થિતિસ્થાનની અપવર્ઝના કરે ત્યારે તેના દલિકોનો નવહજાર નવસો અઠ્ઠાણુથી નવહજાર નવસો નેવુ સુધીના આવલિકા પ્રમાણ નવ સ્થિતિસ્થાનો છોડી તેની નીચેના નવહજાર નવસો નેવ્યાસીથી દસમા સ્થિતિસ્થાન સુધીના નવહજા૨ નવસો એંસી સ્થિતિસ્થાનોમાં નિક્ષેપ કરે. નવહજાર નવસો અઠ્ઠાણુમા સ્થિતિસ્થાનની અપવર્ઝના કરે ત્યારે તેના દલિકોનો તેની નીચેના આવલિકા પ્રમાણ નવ સ્થિતિસ્થાનો છોડી તેની નીચેના દસમા સ્થિતિસ્થાન સુધીના કુલ નવ હજાર નવસો ઓગણ્યાએંસી સ્થિતિસ્થાનોમાં નિક્ષેપ કરે છે. એમ નીચે . નીચેના સ્થિતિસ્થાનની અપવર્ઝના કરે ત્યારે તેની નીચેના નવ નવ સ્થિતિસ્થાનો છોડી તેની નીચેના સ્થિતિસ્થાનથી દસમા સ્થિતિસ્થાન સુધીના બધા સ્થિતિસ્થાનોમાં દલિક નિક્ષેપ કરે છે.
૩૮
એમ ત્રેવીસમા સ્થિતિસ્થાન સુધી સમજવું, અર્થાત્ ત્રેવીસમા સ્થિતિસ્થાનની અપવર્ઝના કરે ત્યારે આવલિકા પ્રમાણ બાવીસથી ચૌદમા સુધીના નવ સ્થિતિસ્થાનો છોડી તેની નીચેના દસથી તેર સુધીના સ્થિતિસ્થાનોમાં દલિક નિક્ષેપ કરે છે તેની નીચેના ક્રમશઃ બાવીસમા, એકવીસમા અને વીસમા સ્થિતિસ્થાનની અપવર્ત્તના કરે ત્યારે તેની નીચેના ક્રમશઃ આઠ, સાત અને છ સ્થિતિસ્થાનો છોડી તેની નીચેના દસથી તેર સુધીના સ્થિતિસ્થાનોમાં જ નિક્ષેપ કરે છે. તેથી ત્રેવીસમા સ્થિતિસ્થાનથી ક્રમશઃ નીચે નીચેના સ્થિતિસ્થાનોની અપવર્ઝના કરે ત્યારે નવ સમય પ્રમાણ આવલિકારૂપ અતીસ્થાપના એક એક સમય ઓછી ઓછી થાય છે પણ નિક્ષેપના વિષયભૂત સ્થિતિઓ તેટલી જ રહે છે. છેવટે નવ સમયાત્મક ઉદયાવલિકાની ઉપરના પહેલા એટલે કે ઓગણીસમા સ્થિતિસ્થાનની અપવર્ત્તના કરે ત્યારે તેના દલિકોનો અઢારથી ચૌદમા સુધીના પાંચ સ્થિતિસ્થાનો છોડી શરૂઆતના દસ થી તેર એમ ચાર સ્થિતિસ્થાનોમાં નિક્ષેપ કરે છે. ત્યારે અસત્કલ્પનાએ આવલિકાનો ત્રીજો ભાગ પણ ત્રણ સમય પ્રમાણ હોવાથી એ પાંચ સ્થિતિસ્થાનો સમય ન્યૂન આવલિકાના બે તૃતીયાંશ ભાગ પ્રમાણ છે અને તે જઘન્ય અતીસ્થાપના છે તથા જઘન્ય નિક્ષેપના વિષયભૂત જે ચાર સ્થિતિસ્થાનો છે તે સમયાધિક આવલિકાના ત્રીજા ભાગ પ્રમાણ છે.
આ નિર્વ્યાઘાત અપવર્ષના છે તેથી આ અપવર્નના દ્વારા કોઇપણ સ્થિતિસ્થાનના સંપૂર્ણ દલિકો અન્ય
સ્થિતિસ્થાનમાં જતા નથી પરંતુ અમુક અમુક દલિકો નીચેના સ્થિતિસ્થાનોમાં જાય છે. છતાં અમુક અમુક દલિકો તે તે સ્થિતિસ્થાનોમાં પણ રહી જાય છે. આ વાત પ્રથમ પણ બતાવેલ છે.
જ્યારે સ્થિતિઘાત થાય છે, ત્યારે વ્યાઘાત અપવર્તના કહેવાય છે. તેથી વ્યાધાત અપવર્તનાનું બીજુ નામ સ્થિતિઘાત છે. તેથી જ્યારે જેટલી સ્થિતિઓનો ઘાત થાય અર્થાત્ જેટલી સ્થિતિઓની વ્યાઘાત અપવર્ત્તના થાય તેટલી સ્થિતિઓ સત્તામાંથી સંપૂર્ણ ક્ષય થઇ જાય છે અને તે સ્થિતિસ્થાનોના બધા દલિકોને તેની નીચેના સ્થિતિસ્થાનોમાં રહેલ દલિકો સાથે ભોગવવાની યોગ્યતાવાળા કરે છે.
આ વ્યાઘાત અપવર્ઝના મુખ્યત્વે અપૂર્વકરણ સંજ્ઞાવાળા કરણથી તથા અપૂર્વકરણ ગુણસ્થાનકથી થાય છે અને ગૌણપણે એકેન્દ્રિયથી અસંશિ સુધીના જીવોમાં પણ વ્યાઘાત અપવર્ઝના થાય છે કારણ કે એકેન્દ્રિયાદિકમાં ઉત્પન્ન થયેલા જીવોને અમુક ટાઇમ પછી એકેન્દ્રિયાદિક જીવોના બંધ જેટલી જ સ્થિતિસત્તા રહે છે અને તે વ્યાઘાત અપવર્તનાથી જ થાય છે એમ મને લાગે છે.
વ્યાઘાત અપવર્તનામાં સમય ન્યૂન ઉત્કૃષ્ટ કંડક પ્રમાણ સ્થિતિઓ અતીત્થાપનારૂપ હોય છે. અને તે કંડકની નીચે સત્તામાં જેટલી કર્મસ્થિતિ હોય તેટલી સ્થિતિમાં નિક્ષેપ થતો હોવાથી કંડકની નીચેની બધી સ્થિતિઓ નિક્ષેપના વિષયભૂત હોય છે.
ઉત્કૃષ્ટ કંડક પંચસંગ્રહના મતે બદ્ધડાયસ્થિતિ પ્રમાણ છે અને કર્મપ્રકૃતિના મતે કંઇક ન્યૂન બદ્ધડાયસ્થિતિ પ્રમાણ
છે.
સંજ્ઞિ પંચેન્દ્રિય પર્યાપ્ત પોતાને પ્રાયોગ્ય જઘન્ય અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ બંધ કરી તુરત જ બીજા સમયે ત્યાંથી કૂદકો મારી સીત્તેર કોડાકોડી સાગરોપમ પ્રમાણ વગેરે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે છે. તે અંતઃકોડાકોડી સાગરોપમ ન્યૂન સંપૂર્ણ કર્મસ્થિતિ બદ્ધડાયસ્થિતિ કહેવાય છે. અને તે જ ઉત્કૃષ્ટ કંડકનું પ્રમાણ છે. માટે અંતઃકોડાકોડી સાગરોપમ ન્યૂન સંપૂર્ણ સત્તાગત સ્થિતિરૂપ ઉત્કૃષ્ટ કંડકની તે સમયથી અપવર્ઝના કરાતી કંડક પ્રમાણ સ્થિતિઓમાંના દરેક સ્થિતિસ્થાનોના અમુક અમુક દલિકો અંતર્મુહૂર્ત પ્રમાણ કાળમાં કંડકની નીચેના સ્થિતિસ્થાનોમાં ગોઠવાઇ જાય છે. એમ તે અંતર્મુહૂર્તના ચરમ સમય સુધીમાં તે કંડક પ્રમાણ સ્થિતિઓના બધા દલિકો દરેક સમયે તેની નીચેના સ્થિતિસ્થાનોમાં ગોઠવાઇ કંડક પ્રમાણ સ્થિતિઓ સત્તામાંથી ચરમ સમયે એક સાથે ક્ષય પામતી હોવાથી ઓછી થઇ જાય છે તેથી તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org