SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદ્દ્વના અને અપનાકરણ ૩૩ દા.ત, અસાતાવેદનીયનો પાંચ કોડાકોડી સાગરોપમ પ્રમાણ નવીન બંધ થતો હોય તે વખતે પૂર્વબદ્ધ અસતાવેદનીયની સત્તા દસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ હોય તો પણ સમયાધિક પાંચ કોડાકોડી સાગરોપમથી દસ કોડાકોડી સાગરોપમ સુધીની સ્થિતિની (કે તે સ્થિતિસ્થાનોના દલિકોમાં રહેલ રસની) ઉદ્વર્તના થતી નથી, પરંતુ અમુક સ્થિતિસ્થાનો છોડી કંઇક ન્યૂન શરૂઆતના પાંચ કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિ અને તેના દલિકોમાં રહેલ રસની જ ઉદ્વર્તન થાય છે. અને અપવર્તનાનો સંબંધ બંધ સાથે ન હોવાથી વિવણિત પ્રકૃતિનો બંધ હોય કે ન હોય તો પણ તે પ્રકૃતિના સ્થિતિ અને રસની અપવર્ણના થાય છે. ત્યાં પ્રથમ સ્થિતિની ઉદ્વર્તના બતાવે છે. સત્તાગત સ્થિતિથી ઓછો અથવા સમાન નવીન સ્થિતિબંધ થાય ત્યારે નિર્વાઘાત ઉદ્વર્તન અને સત્તાગત સ્થિતિથી અધિક સ્થિતિબંધ થાય ત્યારે જે ઉદ્વર્તન તે વ્યાઘાત ઉદ્વર્તના અર્થાત્ સત્તાગત સ્થિતિથી અધિક નવીન બંધ થાય તે વ્યાઘાત કહેવાય છે, -: નિર્ચાઘાત સ્થિતિ ઉદ્વર્તના:-) બધ્યમાન કર્યપ્રકૃતિની બંધાવલિકા વ્યતીત થતાં જ ઉદયાવલિકાની ઉપરના પ્રથમ સ્થિતિસ્થાનથી બધ્યમાન સ્થિતિના ચરમ સ્થિતિસ્થાનથી એક આવલિકા અને બીજી આવલિકાના અસંખ્યાતમા ભાગ જેટલાં સ્થિતિસ્થાનો છોડી શેષ પૂર્વબદ્ધ સત્તાગત બધી સ્થિતિસ્થાનોમાં રહેલ દલિકોની ઉવર્ણના થાય છે. અર્થાત્ પૂર્વબદ્ધ સત્તાગત ગમે તેટલી સ્થિતિ હોય તો પણ તેનાથી ઓછો અગર તેની સમાન નવીન સ્થિતિબંધ થાય ત્યારે બધ્યમાન સ્થિતિ કરતાં બંધાવલિકા, ઉદયાવલિકા અને અંતિમ આવલિકાના અસંખ્યાતમા ભાગ અધિક એક આવલિકા પ્રમાણ તેમજ બધ્યમાન પ્રકૃતિની અબાધાની અંદરના છેલ્લા આવલિકાના અસંખ્યાતમા ભાગ સહિત એક આવલિકા પ્રમાણ સ્થિતિસ્થાનો વર્જી શેષ સર્વ સ્થિતિસ્થાનોની ઉદ્ધના થાય છે. તેથી તેટલી સ્થિતિઓ ઉદ્વર્તનાને યોગ્ય છે. પરંતુ બધ્યમાન પ્રકૃતિના અબાધાસ્થાનમાં રહેલ પૂર્વબદ્ધ સત્તાગત સ્થિતિસ્થાનોના દલિકોને બધ્યમાન લતાના અબાધાસ્થાનના ઉપરના સ્થિતિસ્થાનોમાં રહેલ દલિકો સાથે ભોગવવા યોગ્ય કરી શકાતાં નથી. તેથી અબાધાગત સ્થિતિસ્થાનો ઉત્કૃષ્ટ અતીત્થાપના કહેવાય છે. અર્થાત્ તેટલાં સ્થિતિસ્થાનોની ઉદ્વર્તના થતી નથી, પરંતુ બધ્યમાન પ્રકૃતિના અબાધાસ્થાનમાં રહેલ પૂર્વબદ્ધ સત્તાગત ઉદયાવલિકાની ઉપરની સ્થિતિસ્થાનોના દલિકોને તે જ અબાધાના ચરમસ્થિતિસ્થાન સુધીના દલિકોની સાથે ભોગવવા યોગ્ય બનાવી શકે છે તેથી ઉદયાવલિકાની ઉપરના બધ્યમાન લતાના અબાધાસ્થાનમાં રહેલ સ્થિતિસ્થાનો સર્વથા ઉદ્વર્તનાને અયોગ્ય છે એમ નથી. આ હકીકત બરાબર યાદ રાખવી, તેથી ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય ત્યારે ઉત્કૃષ્ટ અબાધા પ્રમાણ, મધ્યમ સ્થિતિબંધ થાય ત્યારે મધ્યમ અબાધા પ્રમાણ અને જધન્ય સ્થિતિબંધ થાય ત્યારે અંતર્મુહૂર્ત - જઘન્ય અબાધાપ્રમાણ જઘન્ય અતીત્થાપના અર્થાત્ ઉદ્વર્તનાને અયોગ્ય સ્થિતિસ્થાનો હોય છે. અને તેથી પણ જઘન્ય આવલિકા પ્રમાણ ઉદ્વર્તનને અયોગ્ય સ્થિતિસ્થાનોરૂપ જઘન્ય અતીત્થાપના હોય છે. જ્યારે વ્યાઘાત સ્થિતિ ઉદ્વર્તનામાં તો આવલિકાથી પણ સમય - સમય ન્યૂન યાવતું આવલિકાના અસંખ્યાતમા ભાગ જેટલી જઘન્ય અતીત્થાપના હોય છે. બંધાવલિકા અને ઉદયાવલિકામાં કોઇપણ કરણ લાગતું નથી માટે પ્રથમ બે આવલિકાનું વર્જન કરેલ છે. અને જે સ્થિતિસ્થાનમાંથી દલિકોની ઉદ્વર્તન કરે છે. તે દલિકોને તેના ઉપરના સ્થિતિસ્થાનથી એક આવલિકાગત સમય પ્રમાણ સ્થિતિસ્થાનો ઓળંગી તેની ઉપરના ઓછામાં ઓછા આવલિકાના અસંખ્યાતમા ભાગમાં રહેલ અસંખ્યાતા સ્થિતિસ્થાનોમાં નાંખે છે, અર્થાત્ તે સ્થિતિસ્થાનોમાં રહેલ દલિકોની સાથે ભોગવવા યોગ્ય કરે છે. તેથી જ આવલિકાના અસંખ્યાતમા ભાગે અધિક એક આવલિકા પ્રમાણ ચરમ સ્થિતિસ્થાનોનું વર્જન કરવામાં આવેલ છે. જે સ્થિતિસ્થાનના દલિકોને ઉપાડી જેટલાં સ્થિતિસ્થાનોમાં નાંખવામાં આવે છે અર્થાત્ જેટલાં સ્થિતિસ્થાનોમાં રહેલ દલિકોની સાથે ભોગવવા યોગ્ય કરે છે તે સઘળા સ્થિતિસ્થાનો નિક્ષેપના વિષયભૂત ગણાય છે. તેથી જેટલો નવો સ્થિતિબંધ થાય તેના ચરમ સ્થિતિસ્થાનના સમાન પૂર્વબદ્ધ સત્તાગત સ્થિતિસ્થાનથી આવલિકાના અસંખ્યાતમા ભાગ અધિક એક આવલિકાના સમય પ્રમાણ સ્થિતિસ્થાનોની ઉદ્વર્તના થતી જ નથી. પરંતુ તેની નીચેના સ્થિતિસ્થાનની ઉર્નના થાય છે. અને જ્યારે તેમાંના ઉપરના પ્રથમ સ્થિતિસ્થાનની ઉદ્વર્તન કરે ત્યારે તેની ઉપરના આવલિકા પ્રમાણ અતીત્થાપના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005573
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy