SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મપ્રકૃતિ ભાગ-૨ (-: અથ ૩જા - ૪થા - ઉદ્વર્તના - અપવર્તનાકરણ – સારસંગ્રહ :-) હવે ઉદ્દ્વના અને અપવર્તનાકરણ કહેવાનો અવસર છે. અન્ય પ્રકૃતિરૂપે રહેલ પ્રકૃતિ, સ્થિતિ, રસ અને દલિકને સ્વજાતીય પતઘ્રહ પ્રકૃતિ, સ્થિતિ, રસ અને દલિકરૂપે કરવા તે પરપ્રકૃતિરૂપ સંક્રમ કહેવાય છે, અને તેનો વિચાર આગળ કરવામાં આવેલ છે. સંક્રમણકરણથી જે દલિકોનો સંક્રમ થાય છે, તે દલિકો તે જ સ્થિતિસ્થાનમાં રહે છે. દા.ત. ૧૧ થી ૧૦૦ સ્થિતિસ્થાનોમાં રહેલ સતાવેદનીયના દલિકોનો અસતાવેદનીયમાં સંક્રમ થાય ત્યારે તે દલિકો સાતાને બદલે અસાતા ઉત્પન્ન કરવાનું કાર્ય બજાવે છે. પરંતુ દલિકો ૧૧ થી ૧૦૦ સુધીના સ્થિતિસ્થાનોમાંજ રહે છે. અર્થાત્ જે દલિકો જે સમયે સાતારૂપે ફળ આપવાના હતા તે દલિકો તે જ સમયે ફળ આપે, પણ સાતાને બદલે અસાતારૂપે. ત્યારે ઉદ્વર્તના અપવર્ણનામાં તેમ નથી. વળી પરપ્રકૃતિરૂપ સંક્રમ પ્રકૃતિ વગેરે ચારેયનો થાય છે, ત્યારે ઉર્તના - અપવર્તના સંક્રમ માત્ર સ્થિતિ અને રસનો જ થાય છે. જે વીર્ય વિશેષથી વિવક્ષિત પ્રકૃતિના અમુક દલિકોની સ્થિતિ અને રસ વધે તે ઉદ્વર્તનાકરણ અને વીર્ય વિશેષથી વિવક્ષિત પ્રકૃતિના અમુક દલિકોની સ્થિતિ અને રસ ઘટે તે અપવર્તનાકરણ કહેવાય છે. ' અર્થાત્ વિવક્ષિત પ્રકૃતિના અમુક સ્થિતિસ્થાનોમાં રહેલા દલિકો તેની પછીના સ્થિતિસ્થાનોમાં રહેલ દલિકો સાથે ભોગવવા યોગ્ય કરવા તે સ્થિતિ ઉદ્વર્તના અને ઉપરના પછીના સ્થિતિસ્થાનોના દલિકોમાં રહેલ રસના પ્રમાણમાં વધારે રસવાળા કરવા તે રસની ઉદ્વર્તના કહેવાય છે. એજ પ્રમાણે ઉપર - ઉપરના સ્થિતિસ્થાનોમાં રહેલ અમુક - અમુક દલિકોને શરૂઆતના નીચેના સ્થિતિસ્થાનોમાં રહેલ દલિકોની સાથે ભોગવવા યોગ્ય કરવા તે સ્થિતિ અપવર્ણના. અને ઉપર - ઉપરના સ્થિતિસ્થાનોના દલિકોના રસને ઘટાડી શરૂઆતના નીચેના સ્થિતિસ્થાનોના દલિકોમાં રહેલ રસના પ્રમાણમાં ઓછા રસવાળા કરવા તે રસની અપવર્તના કહેવાય છે. દા.ત. અસાતાવેદનીયના ૧૦મા સ્થિતિસ્થાનમાંના અમુક – અમુક દલિકોને ૧૯ થી ૧૦૦મા સ્થિતિસ્થાનમાં રહેલ દલિકો સાથે ભોગવવા યોગ્ય કરવા તે સ્થિતિ - ઉદ્વર્તન અને તે જ ૧૦મા સ્થિતિસ્થાનના અમુક અમુક દલિકોમાં રહેલ રસને ૧૯ થી ૧૦૦મા સ્થિતિસ્થાનના દલિકોમાં રહેલ રસના પ્રમાણમાં અધિક રસવાળા કરવા તે રસ - ઉદ્વર્તના. એજ પ્રમાણે અસાતા વેદનીયના ૧૦૦માં સ્થિતિસ્થાનમાં રહેલ અમુક - અમુક દલિકોને ૧ થી ૯૦માં સ્થિતિસ્થાનમાં રહેલ દલિકો સાથે ભોગવવા યોગ્ય કરવા તે સ્થિતિ અપવર્ણના અને ૧૦૦મા સ્થિતિસ્થાનના અમુક અમુક દલિકોના રસને ઘટાડી ૧ થી ૯૦ મા સ્થિતિસ્થાનના દલિકોમાં રહેલ રસની સમાન ઓછા રસવાળા કરવા તે રસ અપવર્નના કહેવાય છે. તેથી સ્થિતિ ઉદ્ધના અને અપવર્ણનામાં દલિતોના સ્થિતિસ્થાનો પણ બદલાઇ જાય છે, અર્થાત્ અમુક સ્થિતિસ્થાનોમાં રહેલ અમુક અમુક દલિકો તેની ઉપરના કે નીચેના સ્થિતિસ્થાનોમાં ગોઠવાઇ જાય છે. અહીં એ પણ યાદ રાખવું કે વ્યાઘાત અપવર્તન અને ઉદ્ધના વગેરે અમુક પ્રકારના વિશિષ્ટ સંક્રમ સિવાય સંક્રમ, ઉદ્વર્તન, અપવર્નના કે ઉદીરણાથી કોઇપણ સ્થિતિસ્થાનમાં રહેલ સંપૂર્ણ દલિકો ત્યાંથી ખલાસ થતા નથી, પરંતુ વિવક્ષિત સ્થિતિસ્થાનોમાં રહેલ અમુક દલિકોનો અન્ય પ્રવૃતિઓમાં સંક્રમ થાય છે. તેમજ અમુક દલિકોની ઉદ્વર્તના, અમુક દલિકોની અપવર્તના અને અમુક દલિકોની ઉદીરણા થાય છે. છતાં તે તે સ્થિતિસ્થાનોમાં પણ અમુક દલિકો કાયમ રહી જાય છે. આ સામાન્ય નિયમ છે. શરૂઆતના નીચે નીચેના સ્થિતિસ્થાનોમાં દલિકો ઘણાં ઘણાં હોવા છતાં રસ ઓછો ઓછો હોય છે. અને ક્રમશ: ઉપર ઉપરના સ્થિતિસ્થાનોમાં દલિકો ઓછા ઓછા હોવા છતાં રસ અધિક અધિક પ્રમાણમાં હોય છે. ઉદ્વર્તનાનો સંબંધ બંધ સાથે છે, અર્થાત્ જે પ્રકૃતિનો જ્યારે બંધ ચાલુ હોય અને જેટલો નવો સ્થિતિબંધ થતો હોય ત્યારે જ પૂર્વબદ્ધ સત્તામાં રહેલ તે પ્રકૃતિના તે સમયે બધ્યમાન સ્થિતિના પ્રમાણમાં સ્થિતિ અને રસ વધે છે. પણ બંધ ન હોય ત્યારે ઉદ્વર્તના થતી નથી અને બધ્યમાન સ્થિતિ કે રસથી પૂર્વબદ્ધ સત્તામાં રહેલ ઉપરની સ્થિતિ કે રસની પણ ઉદ્વર્તના થતી નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005573
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy