________________
ઉદ્દવના અને અપવર્ણનાકરણ
યંત્ર નંબર - ૫ના પદોનું પ્રમાણ અને કારણ સહિત સમજુતી :
અહીં ૧લું પદ રસની એક દ્વિગુણહાનિના અન્તર્ગત રસસ્પર્ધક પ્રમાણ હોવાથી સૌથી અલ્પ છે, અને તે અનંત સ્પર્ધક છે. તેના કરતાં ૨ - ૩ - ૪ પદોના અનંત દ્વિગુણહાનિ જેટલાં રસસ્પર્ધકો હોવાથી ત્રણે પદો અનંતગુણ છે. અને પરસ્પર તુલ્ય છે.
૫ થી ૧૦ સુધીના ૬ પદો વાસ્તવમાં જઘન્ય - ઉત્કૃષ્ટ ભેદો ન હોવાથી ૩ પદો પરસ્પર તુલ્ય છે. અને પૂર્વના ૩ પદો (૨ થી ૪) કરતાં અનંતગુણ છે. તેના કરતાં ૧૧મું પદ ક્ષપકશ્રેણિમાં ચરમ રસઘાત વખતે અથવા અભવ્યને જઘન્ય રસ સત્તાક થતાં ચરમ રસઘાત વખતે હોવાથી અનંતગુણ છે. આ ૧૧મું પદ ૨ - ૩ - ૪ એ ત્રણ પદોની સાથે તુલ્ય પ્રમાણવાળુ નથી. પરંતુ તેના કરતાં અનંતગુણ અને પરસ્પર તુલ્ય એવા ૫ થી ૧૦ સુધી ૬ પદો પછી પણ અનંતગુણ છે.
તેના કરતાં ૧૨મું પદ ઉપર જણાવેલ અને શેષ રહેલ રસ કરતાં ઘાયમાન રસ અનંતગુણ હોવાથી અનંતગુણ છે. તેના કરતાં ૧૩મું પદ ઉત્કૃષ્ટ રસ વૃદ્ધિરૂપ હોવાથી અનંતગુણ છે. અહીં ૧૩મું પદ અનંતબહુભાગ રસસ્પર્ધક હોવાથી હવે પછીના યથાસંભવ ઉત્તરોત્તરના પદો વિશેષાધિક જ છે. તે ૧૩મા પદ કરતાં ૧૪મું પદ ઉત્કૃષ્ટ રસ સત્તાકવાળાને જઘન્ય રસઘાત પ્રયુક્ત હોવાથી વિશેષાધિક છે.
તેના કરતાં ૧૫મું પદ ઉત્કૃષ્ટ રસ સત્તાક વાળાને જેટલો વધારેમાં વધારે સંભવી શકે તેટલો ઉત્કૃષ્ટ રસઘાત કરનારને હોવાથી વિશેષાધિક છે. ૧૨મા ઘાયમાન રસમાં જે સ્પર્ધકો છે તેના ચરમ સ્પર્ધક અપેક્ષાએ આ જઘન્ય અતીત્થાપના લેવી, પ્રથમ સ્પર્ધક અપેક્ષાએ ૫ થી ૧૦મા પદ ભેગી અતીત્થાપના આવે. (જો જઘન્ય રસઘાત શેષ રસના અનંતમા ભાગે હોય તો ૧૨ નંબર ૧૧મા સ્થાનમાં આવે અને ૧૧મું સ્થાન ૧૨માં આવે. એટલે કે વ્યાઘાતભાવી જઘન્ય અતીત્થાપના અનંતગુણ અને વ્યાઘાતભાવી જઘન્ય નિક્ષેપ અનંતગુણ થાય.)
૧૫મા પદ કરતાં ૧૬ - ૧૭મા બે પદો સ્વસ્પર્ધક + જઘન્ય અતીત્થાપના ન્યૂન સર્વ સ્પર્ધક પ્રમાણ હોવાથી વિશેષાધિક છે. અને પરસ્પર તુલ્ય છે. ખાસ ધ્યાન એ રાખવાનું છે કે ૧૩ - ૧૪મા પદોમાં પૂર્વે સત્તામાં રહેલ રસની જે વૃદ્ધિ કે હાનિ થાય છે તેનો નિક્ષેપ લેવો. પરંતુ ઉત્કૃષ્ટ વૃદ્ધિ કે હાનિ વખતનો સર્વ નિક્ષેપ ન લેવો કારણ કે એ ૧૬ ૧૭માં પદરૂપ છે. માટે જો એ ભેદ ન પાડીએ તો ૧૩ અને ૧૬મું પદ એક થઇ જાય. ૧૪ અને ૧૭મું પદ પણ એક થઇ જાય. અને ૧૫મા પદ કરતાં ૧૩ – ૧૪ ઓછા છે, ૧૬ – ૧૭ વધારે છે, તે અલ્પબદુત્વ પણ ખોટુ થાય.
તે ૧૬ - ૧૭માં પદ કરતાં ૧૮ થી ૨૧ =૪ પદો ઉપરના ન્યૂન કરેલા (સ્વસ્પર્ધક + જઘન્ય અતીત્થાપના) પણ ભળી જવાથી અર્થાત્ સર્વ સ્પર્ધકો પ્રમાણ હોવાથી વિશેષાધિક છે. અને પરસ્પર તુલ્ય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org