SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ કર્મપ્રકૃતિ ભાગ-૨ રૂપ સ્થિતિસ્થાનોને છોડી તેની ઉપરના આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિસ્થાનોમાં નિક્ષેપ કરે છે તેથી આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિસ્થાનો જઘન્ય નિક્ષેપરૂપ છે. તે પ્રથમ ઉદ્વર્તના યોગ્ય સ્થિતિસ્થાનના નીચે નીચેના સ્થિતિસ્થાનોથી અબાધાસ્થાનની ઉપરના બીજા સ્થિતિસ્થાન સુધીના કોઇપણ સ્થિતિસ્થાનની ઉદ્ધના થાય ત્યારે સમયાધિક આવલિકાના અસંખ્યાતમા ભાગથી થાવત્ બે સમય અધિક આવલિકા સહિત અબાધા ન્યૂન સંપૂર્ણ કર્મસ્થિતિ મધ્યમ નિક્ષેપરૂપ હોય છે. - જ્યારે નવીન બંધાતી લતાના અબાધાસ્થાનથી ઉપરના પ્રથમ સ્થિતિસ્થાનના સમાન સ્થાનની ઉદ્વર્તન કરે ત્યારે અબાધાગત સ્થિતિસ્થાનો, ઉદ્વર્યમાન એક સ્થિતિસ્થાન તથા તેની ઉપર અતીત્થાપનારૂપ એક આવલિકાના સ્થિતિસ્થાનો છોડી તેની ઉપરના બધા સ્થિતિસ્થાનોમાં દલિક નિક્ષેપ થાય છે. અને તે વખતે સમયાધિક આવલિકા સહિત અબાધાન્યૂન સંપૂર્ણ કર્મસ્થિતિ પ્રમાણ સ્થિતિઓ ઉત્કૃષ્ટ નિક્ષેપરૂપ હોય છે. આ હકીકત કંઇક સરળતાથી સમજાય તેથી અસત્કલ્પના દ્વારા બતાવવામાં આવે છે. આવલિકાના અસંખ્યાત સમયો હોવા છતાં અસત્કલ્પનાએ નવ, દસ કોડાકોડી સાગરોપમ સ્થિતિબંધને દસહજાર સમયપ્રમાણ, ઉત્કૃષ્ટ અબાધા એક હજાર વર્ષ પ્રમાણ હોવા છતાં સો સમય પ્રમાણ, જઘન્ય અબાધા અંતર્મુહૂર્ત પ્રમાણ હોવા છતાં પચ્ચીશ સમય પ્રમાણ અને આવલિકાના અસંખ્યાતમા ભાગને અસત્કલ્પનાએ ત્રણ સમય પ્રમાણ સમજવો. પૂર્વબદ્ધ દસહજાર સમય પ્રમાણ સાતાવેદનીયની નવ સમય પ્રમાણ બંધાવલિકા પૂર્ણ થાય અને તે વખતે સત્તાગત સ્થિતિ જેટલો જ અર્થાત્ નવ સમયનૂન દસહજાર સમય પ્રમાણ સતાવેદનીયનો નવો બંધ ચાલુ હોય ત્યારે બધ્યમાન લતાની અબાધા સો સમય પ્રમાણ હોય છે. અને તેમાં દસથી અઢાર સુધીના નવ સ્થિતિસ્થાનો ઉદયાવલિકારૂપ હોવાથી તે સ્થિતિસ્થાનોમાં ઉદ્વર્તના થતી જ નથી. તેની ઉપરના ઓગણીસમા સ્થિતિસ્થાનથી સત્તાણુમાં સ્થિતિસ્થાન સુધીના અબાધાગત સ્થિતિસ્થાનોમાં રહેલ દલિકોની ઉદ્વર્તન થાય છે. એટલે તેમાંના કોઇપણ સ્થિતિસ્થાનના અમુક દલિકોને તેની ઉપરના આવલિકા પ્રમાણ સ્થિતિસ્થાનો છોડી તેની ઉપરના બધ્યમાન લતાના અબાધાસ્થાનના છેલ્લા સ્થિતિસ્થાન સુધીના સ્થિતિસ્થાનોમાં રહેલ દલિકો સાથે ભોગવવા યોગ્ય કરે છે. અર્થાતુ ઓગણીસમા સ્થિતિસ્થાનથી સત્તાણમા સ્થિતિસ્થાન સુધીના દલિકોની ઉદ્વર્તના થઇ શકે છે. પૂર્વબદ્ધની અપેક્ષાએ અઠ્ઠાણુથી એકસો નવ સુધીના સ્થિતિસ્થાનોની ઉદ્દ્વના થતી નથી. કારણ કે અઠ્ઠાણુથી એકસો છ સુધીના અસત્કલ્પનાએ આવલિકા પ્રમાણ નવ સ્થિતિસ્થાનો અતીત્થાપનારૂપ છે. અને એકસો સાતથી એકસો નવ સુધીના ત્રણ સ્થિતિસ્થાનો જઘન્ય નિક્ષેપના વિષયભૂત છે, વળી ઓગણીસથી એકસો નવ સુધીના કોઇપણ સ્થિતિસ્થાનમાં રહેલ દલિકો સાથે ભોગવવા યોગ્ય થતા નથી કારણ કે ઓગણીસથી એકસો નવ સુધીના સ્થિતિસ્થાનો બધ્યમાન લતાની અબાધાના અંતર્ગત છે, તેથી તે ઉત્કૃષ્ટ અતીત્થાપનારૂપ છે. ' બધ્યમાન લતાની અબાધાસ્થાનના ઉપરના એટલે પૂર્વબદ્ધ લતાના એકસો દસમા સ્થિતિસ્થાનના દલિકો એકસો અગિયારથી એકસો ઓગણીસ સુધીની અસત્કલ્પનાએ નવ સમયાત્મક આવલિકા પ્રમાણ અતીત્થાપના છોડી તેની ઉપર એકસો વીસથી દસહજાર સમય સુધીના કુલ નવહજાર આઠસો એકાસી સ્થિતિસ્થાનોમાં પડે. કારણ કે અસત્કલ્પનાએ પ્રાબુદ્ધની બંધાવલિકા નવ સમય પ્રમાણ, નવીન બધ્યમાન લતાની અબાધા સો સમય પ્રમાણ, ઉદ્વત્ત્વમાન એક સ્થિતિસ્થાન અને નવ સમયરૂપ આવલિકા પ્રમાણ અતીત્થાપના =એકસો ઓગણીસ સમયો દસહજારમાંથી ઓછા થાય, તેથી શેષ બધ્યમાન લતાના ચરમ સમય સુધીના નવજાર આઠસો એકાસી સમયોમાં નિક્ષેપ થાય છે. એ જ પ્રમાણે જ્યારે સત્તાગત સ્થિતિથી =નવ સમય ન્યૂન દસહજાર સમયથી ઓછો - ઓછો સ્થિતિબંધ થાય ત્યારે અબાધા ઓછી - ઓછી થવાથી અતીત્થાપના પણ ઓછી ઓછી હોય છે. અને તે મધ્યમ અતીત્થાપના છે. એમ સર્વ જઘન્ય સ્થિતિબંધ થાય ત્યારે પચ્ચીસ સમય પ્રમાણ જઘન્ય અબાધા તે જઘન્ય અતીત્થાપના છે. બધ્યમાન લતાના અબાધાસ્થાનની ઉપરના અર્થાતુ એકસો દસમા સ્થિતિસ્થાનના પૂર્વબદ્ધ સત્તાગત અમુક દલિકો તેની ઉપર એટલે એકસો અગિયારથી એકસો ઓગણીસમા સ્થિતિસ્થાન સુધીના નવ સ્થિતિસ્થાનરૂપ આવલિકામાં તથા સ્વભાવે જ પડતાં નથી. અર્થાતુ તે સ્થિતિસ્થાનોમાં રહેલ દલિકો સાથે ભોગવવા યોગ્ય થતાં નથી. કારણ કે નવ સ્થિતિસ્થાનાત્મક આવલિકા એ અતીત્થાપના છે. તેથી એકસો વીસમા સ્થિતિસ્થાનથી દસ હજારમાં સ્થિતિસ્થાન સુધીના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005573
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy