________________
ઉર્જાના અને અપવર્તનાકરણ
ગાથાર્થ :- પ્રદેશની ગુણવૃદ્ધિ કે હાનિના આંતરે રહેલ સ્પર્ધકો અતિ અલ્પ છે. તેનાથી બન્નેમાં ઉર્જાના અપવર્તનામાં જઘન્ય નિક્ષેપ અનંતગુણ છે. પરસ્પર તુલ્ય છે. તેનાથી બન્નેમાં અતીત્થાપના અનંતગુણ છે, અને પરસ્પર તુલ્ય છે. । ૮ । તેનાથી વ્યાઘાતે એક વર્ગણા હીન અનુભાગ કંડક અનંતગુણ છે. તેનાથી (બન્નેમાં) ઉત્કૃષ્ટ નિક્ષેપ વિશેષાધિક છે. (પરસ્પર તુલ્ય છે) તેનાથી કુલ સત્તા વિશેષાધિક છે. II ૯ ॥
ટીકાર્થ :- હવે બન્ને પણ ઉર્જાના - અપવર્તનાનું અલ્પબહુત્વ સૂત્રકાર કહે છે. ૧૯એક સ્થિતિમાં જે સ્પર્ધકો છે. તે સ્પર્ધકોને અનુક્રમે સ્થાપીએ તે એવી રીતે કે સર્વ જઘન્ય રસસ્પર્ધક પ્રથમ, તેથી વિશેષાધિક રસ સ્પર્ધકને બીજુ, તેથી પણ વિશેષાધિક રસસ્પર્ધક ત્રીજુ એ પ્રમાણે સર્વ ઉત્કૃષ્ટ રસસ્પર્ધકને અન્તે સ્થાપીએ.
ત્યાં પ્રથમ સ્પર્ધકથી શરૂ કરીને ઉત્તરોત્તર રસસ્પર્ધકો પ્રદેશ અપેક્ષાએ વિશેષહીન હોય છે. અન્તિમ સ્પર્ધકથી શરૂ કરીને વળી નીચે નીચે ક્રમથી પ્રદેશ અપેક્ષાએ વિશેષાધિક હોય છે.
(૧) તેઓની મધ્યમાં એક ‘દ્વિગુણવૃદ્ધિ અથવા દ્વિગુણહાનિના એક અન્તરમાં જે સ્પર્ધકોનો સમુદાય છે તે સર્વથી અલ્પ છે. અથવા પહેલા કહેલ ઐસ્નેહ પ્રત્યય સ્પર્ધકના અનુભાગની દ્વિગુણવૃદ્ધિના કે દ્વિગુણહાનિના અન્તરમાં જે અનુભાગ સમૂહ છે તે સર્વથી અલ્પ છે.
(૨) તેથી ‘‘વ્રુત્તુ’’ ત્તિ – ઉર્જાના અને અપવત્તના એ બે નો જઘન્ય નિક્ષેપ અનંતગુણ સ્વસ્થાને પરસ્પર સરખા છે. તેમાં પણ જો કે ઉર્જાનામાં જઘન્ય નિક્ષેપ આવલિકાના અસંખ્યેયભાગમાં રહેલ સ્પર્ધકોના સમૂહનું પ્રમાણ છે. અને અપવર્તનામાં સમયાધિક ૧/૩ આવલિકામાં રહેલ સ્પર્ધકોનો નિક્ષેપ થાય છે. તો પણ કૈપ્રથમની સ્થિતિઓમાં સ્પર્ધકો ૨૪. ‘અલ્પ હોય છે. અને અન્તિમ સ્થિતિઓમાં સ્પર્ધકો ઘણાં હોય છે. તેથી સ્પર્ધકોની સંખ્યા અપેક્ષાએ બન્નેમાં પણ સરખો નિક્ષેપ હોય છે. તે વિરૂદ્ધ નથી. એ જ પ્રમાણે અતીત્થાપનામાં અને ઉત્કૃષ્ટ નિક્ષેપમાં પણ જાણવું.
૨૫
' 'મશ : '' આ મૂળમાં કહેલ પદ પ્રથમની અપેક્ષાએ બીજુ, બીજાની અપેક્ષાએ ત્રીજુ અનંતગુણ છે. તે રીતે સમજવું. પરંતુ પરસ્પર જે બે સરખા બતાવ્યા છે. તેઓ બેમાં અનંતગુણ સમજવાના નથી.
(૩) તે ઉર્જાના - અપવર્તનાના નિક્ષેપથી વ્યાઘાત બહારની એટલે નિર્વ્યાઘાતભાવે ૨૧ઉર્દૂ અપમાં અતીસ્થાપના અનંતગુણ છે. અને પરસ્પર તુલ્ય છે.
(૪) તેથી એક વર્ગણા વડે એટલે કે એક સમયમાત્ર સ્થિતિગત સ્પર્ધકોના સમુદાય વડે હીન જે આ અનુભાગ કંડક પ્રમાણ - વ્યાઘાતભાવી ઉત્કૃષ્ટ અતીત્થાપના તે અનંતગુણ છે.
(૫) તેથી ઉર્જાના - અપવર્તનાનો ઉત્કૃષ્ટ નિક્ષેપ વિશેષાધિક છે ને સ્વસ્થાને બન્ને પણ ઉત્કૃષ્ટ નિક્ષેપને વિષે પરસ્પર તુલ્ય છે.
(૬) તેથી સસવન્પ : ' ' પૂર્વબદ્ધ - ઉત્કૃષ્ટ સ્થિતિગત અનુભાગ સહિત ઉત્કૃષ્ટ સ્થિતિનો અનુભાગબંધ તે વિશેષાધિક છે. કારણ કે સમયાધિક અતીત્થાપના આવલિકાગત પૂર્વબદ્ધથી બધ્યમાન સ્પર્ધકોનું અધિકપણું હોવાથી.
ઇતિ ઉર્જાના – અપવર્તનામાં મિશ્ર અલ્પબહુત્વ સમાપ્ત
-
૧૯ અહીં ‘‘એક સ્થિતિ’' તે સ્થિતિલતામાંની એક સ્થિતિ પણ હોઇ શકે, અને સ્થિતિસ્થાનરૂપ એક સ્થિતિ પણ હોવી જોઇએ. કારણ કે સ્થિતિસ્થાનનો સમયો પંક્તિબદ્ધ જ હોવાથી સ્પર્ધકોને પંક્તિબદ્ધ ગોઠવવાનું પણ કહી શકાય .
૨૦ અહીં ‘વિશેષાધિકતા'' તે અનુભાગ અવિભાગરૂપ વર્ગણાઓનો સંબંધમાં છે.
૨૧ અહીં દ્વિગુણવૃદ્ધિ વા હાનિ તે સ્નેહપ્રત્યય સ્પર્ધકની પ્રરૂપણામાં દર્શાવ્યા પ્રમાણે અસંઘ તોને ટુથુળ ફ્રીના વચનવત્ અસંખ્યલોકને અંતરે સંભવે છે.
૨૨ ‘સ્નેહ પ્રત્યય સ્પર્ધકના અનુભાગની'' એ વાક્યનો પરમાર્થ સમજાતો નથી.
૨૩ અહીં પણ સ્થિતિલતામાંની જ પ્રથમ સ્થિતિઓ અને અન્તિમ સ્થિતિઓ ગ્રહણ કરવી સંભવે છે.
૨૪ અલ્પ સ્થિતિયુક્ત પુદ્ગલોમાં રસ પણ અલ્પ હોય છે, એવો સામાન્ય નિયમ હોવાથી આ નિયમ પણ પ્રાયઃ લતા સ્થિતિઓમાં જ સંભવે છે. પરંતુ સ્થિતિસ્થાનોમાં નહીં.
Jain Education International
૨૫ ૨સ ઉર્જાનામાં અતીસ્થાપના આવલિકાનો અસંખ્યાતમો ભાગ છે, અને ૨સ અપવર્તનામાં સમય ન્યૂન આવલિકાના બે તૃતીયાંશ ભાગ છે છતાં ઉપરોક્ત યુક્તિએ બન્નેમાં સ્પર્ધકો જ્ઞાની મહારાજે સરખા કહ્યા છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org