SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મપ્રકૃતિ ભાગ-૨ (- અથ ઉદ્વર્તના - અપવર્તનામાં કાળનો વિષય અને વિષયનો નિયમ :-) आबंधा उक्कड्ढइ, सबहितोकड्ढणा ठिइरसाणं । किट्टिवज्जे उभये, किट्टिसु ओवट्टणा एक्का ।। १० ।। आवन्धादुत्कर्षयति, सर्वोत्कर्षना स्थितिरसाणाम् । किट्टीवर्ज उभयं, किट्टिष्वपवर्तनका ॥ १० ॥ ગાથાર્થ :- બંધ સુધી જ ઉવર્ણના થાય છે. સ્થિતિ રસની અપવર્નના સર્વત્ર પ્રવર્તે છે. કિટ્ટિ સિવાયના દલિકમાં બન્ને પ્રવર્તે છે. અને કિઓિમાં એક અપવર્નના જ પ્રવર્તે છે. ટીકાર્ય - હવે ઉદ્વર્તન અને અપવર્તનાનો કાલ નિયમ કહે છે. આવન્યાહૂ જેટલાં કાળ સુધી કર્મબંધ પ્રવર્તે છે તેટલાં કાળ સુધી (પૂર્વબદ્ધ કર્મની) ઉદ્ઘના પ્રવર્તે છે. પરંતુ તેનાથી આગળ (એટલે બંધકાળ વર્જીને શેષ કાળમાં પ્રવર્તે નહીં.) તેમજ સર્વત્ર એટલે બંધકાલે અથવા અબંધકાલે પણ સ્થિતિ અને રસની અપવર્નના પ્રવર્તે છે. આ કાલ નિયમ થયો. અથવા માન્યત એટલે જેટલા પ્રમાણનો સ્થિતિબંધ તેટલા પ્રમાણના સ્થિતિ સત્તાવાળા કર્મની સ્થિતિ અને અનુભાગની ઉદ્દવર્ણના થાય છે. તેથી અધિક સ્થિતિ સત્તાવાળા કર્મની સ્થિતિ - અનુભાગ ઉદ્વર્તના પ્રવર્તે નહીં.' “અપર્ણા'' અર્થાત્ અપવના તો વળી બંધ પ્રમાણથી પહેલા અથવા પછી સ્થિતિ અને અનુભાગની પ્રવર્તે છે. તેમજ જે કર્મદલિયા કિટ્ટીકત નથી. તેની ઉદ્વર્તન અને અપવર્નના બન્ને થાય છે. અને જે કર્મલિક કિટ્ટીકૃત છે, તેની તો ફક્ત અપવર્નના જ થાય છે. ઉદ્વર્તન નહીં. આ અહીં વિષયનો નિયમ છે. (યંત્ર નં ૩ - ૪ - ૫ જુઓ) ઇતિ ઉદ્વર્તના - અપવર્ણનામાં કાળનો વિષય અને વિષયનો નિયમ સમાપ્ત. ઇતિ મહોપાધ્યાય શ્રી યશોવિજય ગણિવર્ય વિરચિત કર્મપ્રકૃતિ ટીકાનું ઉદ્વર્તના - અપવર્તનાકરણનો ભાવાનુવાદ સમાપ્ત વિશેષ નોંધ : આ ઉદ્વર્તના - અપવર્નના સંબંધી ટીપ્પણો બનતા પ્રયત્ન ઘણું વિચારીને લખ્યા છે. છતાં વિષય અતિગહન હોવાથી મતિદોષથી અથવા દૃષ્ટિદોષથી કદાચ ભૂલચૂક રહી હોય તો સુજ્ઞ વર્ગ સુધારીને વાંચશે. ૨૬ પ્રશ્ન : જેટલી સ્થિતિ કે જેટલો રસબંધ થાય ત્યાં સુધી સત્તામાંહીની સ્થિતિ અને રસ વધે. સત્તાની સમાન સ્થિતિ કે રસ બંધાય ત્યારે અને સત્તાથી અધિક સ્થિતિ રસ બંધ થાય ત્યારે ઉદ્વના કઇ રીતે થાય તે હકીકત કહેવાઇ ગઇ છે. પરંતુ એવું બને કે સત્તાથી બંધ ઓછો થાય ત્યારે ઉદ્વર્તના થાય કે નહીં ? અને થાય તો કઇ રીતે થાય ? દાખલા તરીકે ૧૦ કોડાકોડી સાગરોપમની સત્તા છે. અને બંધ ૫ કોડાકોડી સાગરોપમ થાય ત્યારે કઇ રીતે ઉદ્વના થાય ? જવાબ : અહીં અથવા આવશ્વ કહીને જે હકીકત કહી છે તે ઉપરથી એમ સમજાય છે કે ૫૦૦ વર્ષ પ્રમાણ અબાધા છોડી પ00 વર્ષ જૂન ૫ કોકો સાગરોપમ પ્રમાણ સત્તાગત સ્થાનોની ઉદ્વર્તના થઇ શકે. એટલે કે અબાઘાના ઉપરના સ્થાનની ઉવના થાય તો તેના દલિ કો તેની ઉપરના સ્થાનકની આવલિકા પ્રમાણ અતીત્થાપના ઓળંગી સમયાધિક આવલિકા અધિક ૫00 વર્ષ ન્યૂને ૫ કોકોસ માંહેના સ્થાને કોમાં નિક્ષેપ થાય. રસની ઉવના પણ એ પ્રમાણે થાય. અર્થાત્ બંધ સ્થિતિ સુધી જ સત્તાગત સ્થિતિ વધે. સત્તાગત રસ પણ જે ટલો બંધાયો હોય તેની સમાન થાય. સત્તાગત સ્થિતિ અને રસ બંધાતી સ્થિતિ કે રસથી વધી શકે નહીં. કેમ કે ઉદ્વર્તનાનો સંબંધ બંધ સાથે જ છે. ૨૭ બંધ સમયે જે સ્થિતિલતાની ઉદ્વના થઇને પુનઃ અપવર્નના થાય તો તે - ઉદ્વર્તીત સ્થિતિલતામાં બંધ સ્થિતિની અપેક્ષાએ હીન, તુલ્ય અને અધિક એમ ત્રણે પ્રકારની સ્થિતિ છે ને તે ત્રણે સ્થિતિ અપવર્નના સાધ્ય સંભવ છે. વળી કદાચ ઉદ્વના ન થઇ હોય તો બંધ તુલ્ય અને બંધથી હીન એ બે સ્થિતિનો જ અપવર્ણના થાય છે. કારણ કે અત્રે બંધથી અધિક સ્થિતિનો અભાવ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005573
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy