________________
ઉદ્વર્તન અને અપવર્ણનાકરણ
૧૧
સ્થિતિ ઉદ્વર્તાય છે. (ત્યારે આવલિકાને અતિક્રમીને) સમયાધિક અસંખ્યાતમા ભાગમાં નિક્ષેપ થાય છે એ પ્રમાણે વિચારવું.
અલ્પબહુત કહે છે. સર્વથી અલ્પ જઘન્ય અતીત્થાપના અને જઘન્ય નિક્ષેપ છે, પરસ્પર તે બન્ને સરખી છે. તે બને પણ આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ જ છે. તેથી ઉત્કૃષ્ટ અતીત્થાપના અસંખ્યયગુણ, તે ઉત્કૃષ્ટ અબાધારૂપપણું હોવાથી, તેથી પણ ઉત્કૃષ્ટ નિક્ષેપ અસંખ્યયગુણ છે, તે સમયાધિક આવલિકા અને અબાધાહીન સર્વ કર્મસ્થિતિ પ્રમાણ હોવાથી, તેથી પણ સર્વ કર્મસ્થિતિ વિશેષાધિક છે, કારણ કે ઉત્કૃષ્ટ જે નિક્ષેપ તેમાંથી ઓછી કરેલી સ્થિતિ તેમાં ઉમેરાતી હોવાથી. (ચિત્ર નં. ૨ - ૩ - ૪ - ૫ જુઓ)
ઇતિ વ્યાઘાતભાવે ઉદ્વર્તનાનું સ્વરૂપ સમાપ્ત
- અથ નિર્ચાઘાતભાવે સ્થિતિ અપવર્નના :-)
उबटुंतो य ठिई, उदयावलिबाहिरा ठिइविसेसा । णिक्खिवइ तइयभागे, समयहिगे सेसमइवइय ।। ४ ।। वडूढइ तत्तोऽइत्थावणाओं जावालिगा हवइ पुन्ना । तो णिक्खेवो समयाहिगालिगदुगूणकम्मठिई ।। ५ ।। अपवर्त्तयंश्च स्थिति-मुदयावलिकाबाह्यान् स्थितिविशेषान् । निक्षिपति तृतीये भागे, समयाधिके शेषमतिक्रम्य ।। ४ ।। वर्धत ततोऽतीत्थापना, यावदावलिका भवति पूर्णा ।
तस्मान्निक्षेपः समयाधिकावलिकाद्विकोनकर्मस्थितिः ।। ५ ।। . ગાથાર્થ :- કર્મસ્થિતિની અપવર્તન કરતો જીવ ઉદયાવલિકાથી બહારના સ્થિતિ વિશેષને (શેષ સ્થિતિઓને) અતિક્રમીને સમયાધિક આવલિકાના ત્રીજા ભાગમાં નિક્ષેપે છે. // ૫ //.
ત્યાંથી લાવતું આવલિકા પરિપૂર્ણ થાય ત્યાં સુધી અતીત્થાપના વધે છે. તેથી સમયાધિક આવલિકાદ્ધિકહીન સર્વ કર્મસ્થિતિ પ્રમાણ ઉત્કૃષ્ટ નિક્ષેપ વિષય છે. || |
૧૨ ગાથા ૧માં ૩ નંબરની ટીપ્પણમાં ઉદાહરણમાં સત્તાગત સ્થિતિ સમાન બંધ થાય ત્યારે નિર્ણાઘાતપણે ઉદ્વર્તના બતાવી હવે સત્તાગત સ્થિતિ
આવલિકાના બે અસંખ્યાતમા ભાગ પ્રમાણ અધિક એટલે કે છ અધિક (૧000 +૬) સ્થિતિસ્થાનનો બંધ ન થાય ત્યાં સુધી પણ ઉવર્નના ગાથા-૧માં કહ્યા પ્રમાણે જ થાય છે. એટલે જ્યાં સુધી ૧૦00 +૫ અધિક સ્થિતિસ્થાનો બાંધે ત્યાં સુધી છેલ્લા ૧૨ સ્થાનોની ઉદ્વર્તન ન થાય, પરંતુ ૯૮૮ સ્થાનની જ ઉદ્વર્તન થાય, અને તેના દલિકને અતીત્થાપના આવલિકા ૯ સમય પ્રમાણ ઓળંગી ૯૯૮ આદિ ઉપરના તમામ સ્થાનમાં નાંખ, જ્યારે સત્તાગત 1000 સ્થિતિસ્થાનથી આવલિકાના બે અસંખ્યાતમા ભાગ અધિક એટલે કે ૧૦૦૦ +, સ્થાનક પ્રમાણ સ્થિતિબંધ કરે ત્યારે ૧000માં સ્થિતિસ્થાનની ઉદવર્નના થોય, અને તેના દલિકને આવલિકાનો અસંખ્યાતમો ભાગ ઓળંગી એટલે કે ૧000 ઉપરના ૧ - ૨ - ૩જા સ્થિતિસ્થાનને ઓળંગી ઉપરના આવલિકા અસંખ્યાતમા ભાગમાં એટલે કે ૧000 ઉપરના ૪ - ૫ -૬ઠ્ઠા સ્થિતિસ્થાનોમાં નાંખે. એક અધિક સ્થિતિ બાંધે એટલે કે ૧૦૦૦ ઉપર ૭ સ્થાનકનો બંધ કરે તો ૧થી૪ ઓળંગી ૫ થી ૭ સુધીમાં નાંખે. અહીં અતીત્થાપનામાં સમય વધ્યો પણ નિક્ષેપના સ્થાનકો તેટલાં જ રહ્યા. એ પ્રમાણે અતીત્થાપનાની આવલિકા પૂર્ણ ન થાય ત્યાં સુધી અતીત્થાપના વધે અને આવલિકા પૂર્ણ થયા પછી નિક્ષેપ વધે.
અહીં આવલિકાના બે અસંખ્યાતમાં ભાગ કે તેથી અધિક બંધ થાય ત્યારે ૧000મા સ્થાનકની અપેક્ષાએ નિક્ષેપ ક્યાં થાય એ કહ્યું. પરંતુ આવલિકાના બે અસંખ્યાતમાં ભાગ અધિક બંધ થાય ત્યારે ૯૯૯મા સ્થિતિસ્થાનની ઉદુવર્ણના થાય કે નહિ અને થાય તો તેના દલિકને ક્યાં નાંખે તે કહ્યું નથી, પરંતુ તેની પણ ઉદ્વર્નના થાય અને ઉપરના હિસાબે જ પ્રક્ષેપ કરે. એટલે ૯૯૯મા સ્થાનકની ઉદ્વના કરે અને તેના દલિકને ૧000 - ૧ - ૨ - ૩ સ્થાનકને ઓળંગી ૪ - ૫ - ૬ઠ્ઠા સ્થિતિસ્થાનમાં નાંખે. આ પ્રમાણે અતીત્થાપનાની આવલિકા પૂર્ણ ન થાય ત્યાં સુધી નિક્ષેપના સ્થાનકો તેટલાં જ રહે ત્યારબાદ નિક્ષેપ વધે.
અબાધાના સ્થાનોની ઉદ્દ્વના અબાધાના સ્થાનોમાં જ થાય છે. એટલે ઉદયાવલિકા સંકલ કરણને અયોગ્ય હોવાથી ૯ સ્થાનકો ઓળંગી ૧૦મા સ્થાનકની ઉદ્દવર્નના થાય અને તેના દલિકને ૧૧ થી ૧૯ રૂ૫ અતીત્થાપના આવલિકા ઓળંગી ૨૦મા સ્થાનકથી ૧૦૦ સુધીના સ્થાનમાં નાંખે. આ પ્રમાણે અબાધા સ્થાનોની પણ ઉદ્વર્તન થાય છે. અહીં ૧ થી ૧૦૦ અબાધાસ્થાન અસતુકલ્પનાથી ગણેલ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org