________________
ઉપશમનાકરણ પ્રશ્નોત્તરી
૩૧૭
પ્ર ૨૩ ગુણશ્રેણિ એટલે શું? અને તે કેટલાં સ્થાનોમાં દલિક રચના કરે? તેમજ ઉપરના સ્થાનોમાંથી દલિકો ઉતારવાની
ક્રિયા કેટલો કાળ ચાલે ? ઉ. ઉદયવતી પ્રવૃતિઓની ઉદય સમયથી અને અનુદયવતી પ્રવૃતિઓની ઉદયાવલિકા ઉપરના પ્રથમ સમયથી
અંતર્મુહૂર્તના સમયોમાં અસંખ્યાતગુણાકારે કરાતી દલિકોની રચના તે ગુણશ્રેણિ કહેવાય છે. અને તે કરવાની
ક્રિયા અંતર્મુહૂર્ત સુધી ચાલે છે. પ્ર. ૨૪ ગુણશ્રેણિની રચના માટે કયા સ્થિતિસ્થાનોમાંથી દલિકો લાવે ? ઉ. ગુણશ્રેણિની રચના માટે ઘાયમાન સ્થિતિસ્થાનોમાંથી દલિકો લાવે છે એમ-કેટલાકનું માનવું છે. પરંતુ ઘાયમાન
તેમજ અઘાયમાન સઘળા સ્થિતિસ્થાનોમાંથી દલિકો લાવે છે એમ-અન્ય કેટલાક મહર્ષિઓ કહે છે. કેમ કે સ્વસ્થાનમાં રહેલ સ્વભાવસ્થ દેશવિરત અને સર્વવિરત જીવો સ્થિતિઘાત કરતા નથી. પરંતુ ગુણશ્રેણિ કરે છે અને તે ગુણશ્રેણિ પણ પ્રથમ સમ્યત્ત્વની પ્રાપ્તિ કરતાં ક્રમશઃ અસંખ્યાતગુણ દલિકવાળી હોય છે. ઈત્યાદિ યુકિતઓ
પણ આપે છે. પ્ર. ૨૫ અનિવૃત્તિકરણમાં અંતરકરણ કરવાની ક્રિયાનો કાળ કેટલો ? તેમજ તેના પછીનો અને પહેલાંનો અનિવૃત્તિકરણનો
કાળ કેટલો ? અંતરકરણ કરવાની ક્રિયા એક સ્થિતિઘાત જેટલાં કાળમાં કરે છે. અને સ્થિતિઘાતનો કાળ માત્ર આવલિકાના સંખ્યાતમા ભાગ પ્રમાણ જ છે, તેથી અલ્પ છે. અને તેના કરતાં અંતરકરણ કર્યા પછીનો અનિવૃત્તિકરણનો કાળ ઘણી આવલિકા પ્રમાણ હોવાથી સંખ્યાતગુણ છે. પરંતુ કેટલાક મહર્ષિઓ વિશેષાધિક કહે છે, તેની યુક્તિ હું સમજી શકતો નથી. અને અંતરકરણક્રિયાના પછીના કાળથી અંતરકરણક્રિયાની પહેલાંનો અનિવૃત્તિકરણનો કાળ સંખ્યાતગુણ હોય છે. કારણ કે અનિવૃત્તિકરણ કાળના ઘણાં સંખ્યાતભાગ ગયા પછી અંતરકરણની ક્રિયા
શરૂ કરે છે. પ્ર. ૨૬ અવિરતિ આદિના લક્ષણમાં વિરતિના જ્ઞાન, સ્વીકાર અને પાલનવાળાને વિરતિ બતાવેલ છે. પરંતુ શરૂઆતના
ચરે ભાંગામાં મિથ્યાષ્ટિ અને પછીના ત્રણ ભાંગામાં અવિરત બતાવ્યા છે. તો જ્ઞાન અને સ્વીકાર વિના કરાતી ધર્મક્રિયાઓ અને પાલન કરાતાં વ્રતો શું સર્વથા વિરતિમાં ન જ આવે ? યથાર્થ જ્ઞાન ન હોય અને જેમ માસતુસ મુનિ આદિને જ્ઞાનીના વચનની પરતત્રતા હતી તેમ પરતત્રતા પણ ન હોય તો મિથ્યાત્વ હોવાથી વિરતિ ન જ ગણાય અને યથાર્થ જ્ઞાન અથવા જ્ઞાનીના વચનની પરતત્રતા હોવા છતાં વિધિપૂર્વક સ્વીકાર કર્યા વિના પાલન કરવામાં આવતાં વ્રતો વગેરે પણ યથાર્થ રીતે સ્વીકારેલ ન હોવાથી વ્યવહારથી મોટા ભાગે વિરતિમાં ગણાતાં નથી પરંતુ અવિરતિમાં ગણાય છે. માટે યથાર્થ જ્ઞાન, ગ્રહણ અને
પાલનવાળા જીવોને જ દેશવિરતિ અથવા સર્વવિરતિ હોય છે. પ્ર. ૨૭ દેશવિરતિ કે સર્વવિરતિની પ્રાપ્તિમાં કેટલા કરણો કરવાં પડે ? ઉ. મોહનીયકર્મની કોઇપણ પ્રકૃતિઓનો ક્ષય અથવા ઉપશમ કરવાનો હોય ત્યારે ત્રણ કરણો કરવાં પડે છે. પરંતુ
ક્ષયોપશમ કરવાનો હોય ત્યારે ત્રીજો અનિવૃત્તિકરણ કરવું પડતું નથી. અને આ બે ગુણોની પ્રાપ્તિમાં કોઇપણ પ્રકૃતિઓનો સર્વથા ક્ષય કે ઉપશમ થતો નથી, પણ ક્ષયોપશમ થાય છે. માટે યથાપ્રવૃત્તકરણ અને અપૂર્વકરણ
કરી અનિવૃત્તિકરણ કર્યા વિના તુરત જ દેશવિરતિ અથવા સર્વવિરતિ પ્રાપ્ત કરે છે. પ્ર. ૨૮ દેશવિરતિ તથા સર્વવિરતિ પ્રાપ્ત કરનાર આત્માઓને દેશવિરતિ અને સર્વવિરતિની ગુણશ્રેણિ ક્યારે શરૂ થાય
? અને તે ગુણશ્રેણિ કરવાની ક્રિયા કયાં સુધી ચાલુ રહે ? આ બન્ને પ્રકારના આત્માઓને ગુણપ્રાપ્તિના અપૂર્વકરણમાં ગુણશ્રેણિ શરૂ થતી નથી. પરંતુ જે સમયે ગુણની પ્રાપ્તિ થાય તે જ સમયથી જ્યાં સુધી દેશવિરતિ કે સર્વવિરતિ રહે ત્યાં સુધી ગુણશ્રેણિ કરવાની ક્રિયા ચાલુ રહે છે અને દરેક સમયે ઉપરની સ્થિતિઓમાંથી લાવેલ દલિકોને ઉદયવતી પ્રવૃતિઓના ઉદય સમયથી અને શેષ પ્રકૃતિઓના ઉદયાવલિકાના ઉપરના પ્રથમ સમયથી અંતર્મુહૂર્ત પ્રમાણ કાળના સમયોમાં ગોઠવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org