________________
૩૦૮
કર્મપ્રકૃતિ ભાગ - ૨ ત્યાંથી સાતમે અને છછું ગુણસ્થાનકે હજારો વાર પરાવર્તન કરી સ્થિર થાય છે. અને કોઈક જીવ પાંચમે તેમજ કોઈક ચોથે આવીને પણ સ્થિર થાય છે અને કોઈક ત્યાંથી પહેલે પણ જાય છે.
જે આચાર્યો અનંતાનુબંધિનો ઉપશમ કરીને ઉપશમશ્રેણિ કરી શકાય છે એમ માને છે. તેઓના મતે કોઈક જીવ છઠ્ઠા, પાંચમા કે ચોથાથી સાસ્વાદને આવીને પણ મિથ્યાત્વે જાય છે.
અદ્ધાલયે પડતાં ક્રમશઃ પ્રથમ સંત લોભ, પછી માયા, માન અને ક્રોધનો ઉદય થાય છે. અને જે જે પ્રકૃતિનો જે જે સમયે ઉદય થાય છે-તે સમયે તેના દ્વિતીયસ્થિતિમાં રહેલ દલિકોને આકર્ષી આવલિકા પ્રમાણ કાળમાં ગોપુચ્છાકારે, પછી ગુણશ્રેણિના શિર સુધી અસંખ્યાતગુણાકારે અને પછી પુનઃ હીન-હીન દલિકો ગોઠવે છે. તેમજ અવેદ્યમાન મોહનીયકર્મની અન્ય પ્રકૃતિના દ્વિતીયંસ્થિતિમાં રહેલ દલિકોને જ્યારે જ્યારે અનુપશાંત કરે ત્યારે ત્યારે ઉદયાવલિકાની ઉપર પ્રથમ સમયથી ગુણશ્રેણિના શિર સુધી અસંખ્યાતગુણાકારે અને પછી હીન-હીન ગોઠવે છે. તેમજ સ્થિતિઘાત વગેરે ચડતી વખતે જેમ થતા હતા તેમ પડતી વખતે પણ ઉલટાક્રમે થાય છે. એટલે ચડતી વખતે ક્રમશઃ સ્થિતિઘાતાદિ જે મોટા મોટા થતા હતા, તે પડતી વખતે ઓછા-ઓછા પ્રમાણમાં થાય છે. તેમજ ચડતી વખતે જે જે સ્થાને જે જે પ્રકૃતિઓનો બંધ, ઉદય તેમજ દેશોપશમના નિદ્ધત્તિ અને નિકાચના કરણો વિચ્છેદ થયા હતા તેજ રીતે પડતી વખતે તે તે સ્થાને તે સર્વે પુનઃ શરૂ થાય છે, પણ ચડતી વખતે અંતરકરણ કર્યા પછી પુરુષવેદ અને ચાર સંજ્વલનનો સંક્રમ જે ક્રમશઃ જ થતો હતો અને લોભના સંક્રમનોજ સર્વથા અભાવ હતો તેમજ બધ્યમાનકર્મની જે સમયથી છ આવલિકા પછી ઉદીરણા થતી હતી તેના બદલે પડતી વખતે પુરુષવેદ અને ચાર સંજ્વલનનો અરસપરસ પાંચેનો પાંચમાં સંક્રમ થાય, સંજ્વલન લોભનો પણ સંક્રમ થાય. અને બધ્યમાન કર્મલતાની બંધાવલિકા પછી ઉદીરણા થાય છે. તેમજ ચડતી વખતે ગુણશ્રેણિની રચના માટે પ્રતિસમયે ઉપરની સ્થિતિઓમાંથી અસંખ્યાતગુણ દલિતો ઉતરતા હતા તેના બદલે પડતી વખતે દરેક સમયે અસંખ્યાતગુણહીન-હીન દલિકો ઉતરે છે અને પૂર્વની જેમ ગોઠવાય છે.
ક્ષપકશ્રેણિમાં જે જે સ્થાને જે જે કર્મપ્રકૃતિઓનો જેટલો સ્થિતિબંધ થાય છે. તેની અપેક્ષાએ ચડતી વખતે ઉપશમશ્રેણિમાં તે તે સ્થાને બમણો અને પડતી વખતે તે તે સ્થાને તેનાથી પણ બમણો એટલે કે ક્ષપકશ્રેણિમાં થાય છે તેનાથી ચાર ગુણો સ્થિતિબંધ થાય છે..
જેમ-ક્ષપકશ્રેણિમાં બંધવિચ્છેદ સમયે પુરુષવેદનો આઠ વર્ષનો, ઉપશમશ્રેણિમાં ચડતી વખતે ૧૬ વર્ષનો અને પડતી વખતે તે જ સ્થાને ૩૨ વર્ષનો સ્થિતિબંધ થાય છે. એ જ પ્રમાણે ક્ષપકશ્રેણિમાં ૧૦માં ગુણસ્થાનકના ચરમસમયે જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાયનો અંતર્મુહૂર્ત પ્રમાણ, નામ અને ગોત્રમો આઠ મુહૂર્ત પ્રમાણ અને વેદનીયનો ૧૨ મુહૂર્ત પ્રમાણ સ્થિતિબંધ થાય છે. ત્યારે ઉપશમશ્રેણિમાં ચડતી વખતે ૧૦મા ગુણસ્થાનકના ચરમસમયે જ્ઞાનાવરણ વિગેરે કર્મનો ક્ષપકશ્રેણિના અંતર્મુહૂર્તની અપેક્ષાએ બમણાં અંતર્મુહૂર્ત પ્રમાણ, નામ અને ગોત્રનો ૧૬ મુહૂર્ત પ્રમાણ અને વેદનીયનો ૨૪ મુહૂર્ત પ્રમાણ સ્થિતિબંધ થાય છે. ત્યારે પડતી વખતે દસમા ગુણસ્થાનક પ્રથમ સમયે તેથી પણ બમણો એટલે કે-જ્ઞાનાવરણ-વિગેરે ત્રણ કર્મનો પૂર્વની અપેક્ષાએ બમણો અને ક્ષપકશ્રેણિની અપેક્ષાએ ચારગણા મોટા અંતર્મુહૂર્ત પ્રમાણ, નામ અને ગોત્રનો ૩૨ મુહુર્ત પ્રમાણ અને વેદનીયનો ૪૮ મુહુર્ત પ્રમાણ સ્થિતિબંધ થાય છે.
ક્ષપકશ્રેણિમાં જે જે સ્થાને શુભ અને અશુભપ્રકૃતિઓનો જેટલો રસબંધ થાય છે તેની અપેક્ષાએ ઉપશમશ્રેણિમાં ચડતી વખતે ક્રમશઃ અનંતગુણહીન અને અનંતગણ અધિક અને પડતી વખતે તેનાથી પણ શુભનો અનંતગુણ હીન અને અશુભનો અનંતગુણ અધિક રસબંધ થાય છે.
શ્રેણિ પરથી પડતો જીવ મોહનીયકર્મની પ્રકૃતિઓની ગુણશ્રેણિ કાળની અપેક્ષાએ વેદ્યમાન સંજ્વલનના કાળથી અધિક કાળવાળી બનાવે છે. અને ચડવાના કાળની ગુણશ્રેણીની અપેક્ષાએ તુલ્ય બનાવે છે. જે કષાયના ઉદયે ઉપશમશ્રેણિ ઉપર આરૂઢ થયો હતો,પડતી વખતે જ્યારે તે કષાયનો ઉદય થાય ત્યારે તે કષાયની ગુણશ્રેણિ શેષ કર્મની ગુણશ્રેણિની સમાન કરે છે.
- દાઝ તo-સંક્રોધના ઉદયે શ્રેણિ ઉપર આરૂઢ થનાર શ્રેણિથી પડતા પણ જ્યારે સંત ક્રોધનો ઉદય થાય ત્યારથી સંક્રોધની ગુણશ્રેણિ કાળની અપેક્ષાએ શેષકર્મોની સમાન થાય છે. એમ સંવમાન માયા માટે પણ સમજવું. પરંતુ સંત લોભના ઉદયે શ્રેણિ માંડનારને તો પડે ત્યારે લોભોદયના પ્રથમ સમયથી જ તેની ગુણશ્રેણિ શેષકર્મોની ગુણશ્રેણિની સમાન થાય છે. અને શેષ કર્મોની ગુણશ્રેણિ તો જેમ ચડતી વખતે કરે છે, તેમ પડતી વખતે પણ કરે છે. તેમાં કોઇ વિશેષતા
નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org