________________
ઉપશમનાકરણ સારસંગ્રહ
૩૦૭
ભાગ પ્રમાણ સ્થાનોમાં પૂર્વ-પૂર્વના સમયથી પછી પછીના સમયમાં અસંખ્યાતગુણાકારે થાય છે. તેથી આ ગુણસ્થાનકે થતી ગુણશ્રેણિ કાળ અને દલિકોની અપેક્ષાએ સમાન હોય છે.
દા. ત. આ ગુણસ્થાનકના અંતર્મુહૂર્તના અસત્કલ્પનાએ ૧૦૦ સમય અને સંખ્યાતમા ભાગના ૧૦ સમય કલ્પીએ તો પ્રથમ સમયે ઉપરથી ઉતારેલ દલિકોને ૧ થી ૧૦ સમયમાં ગોઠવે છે. બીજા સમયે ઉતારેલ દલિકોને ૨ થી ૧૧, ત્રીજા સમયે ઉતારેલ દલિકોને ૩ થી ૧૨ અને ચોથા સમયે ઉતારેલ દલિકોને ૪ થી ૧૩ સમયમાં ગોઠવે છે. એમ આ ગુણસ્થાનકના ચરમ સમય સુધી તે તે સમયે ઉતારેલ દલિકોને તે તે સમયથી ૧૦ સમય સુધીના કાળમાં અસંખ્યાત ગુણાકારે ગોઠવે છે. અને ઉપરથી પણ દરેક સમયે સરખા જ દલિકોને ઉતારે છે. માટે જ આ ગુણસ્થાનકમાં જે ગુણશ્રેણિ થાય છે તે કાળ અને દલિકોની અપેક્ષાએ તુલ્ય હોય છે.
આ ગુણસ્થાનકે મોહનીયકર્મનો સર્વથા ઉપશમ થયેલ હોવાથી તેની સત્તાગત કોઈપણ પ્રકૃતિઓમાં સંક્રમણ, ઉદ્વર્તના, અપવર્તના, ઉદીરણા, નિદ્ધત્તિ અને નિકાચના આ છમાંથી કોઈપણ કરણ લાગતાં નથી. તેમજ આ અંતર્મુહૂર્ત કાળમાં મોહનીયકર્મની કોઈપણ પ્રકૃતિઓનો ઉદય પણ થતો નથી, માત્ર સત્તાગત મિથ્યાત્વ અને મિશ્રનો સંક્રમ અને ત્રણે દર્શનમોહનીયની અપવર્નના થાય છે.
એમ ક્રોધોદયે શ્રેણિ માંડનારને સમજવું. પરંતુ માનોદયે શ્રેણિ માંડનારને નપુંસકવેદની જેમ ત્રણે ક્રોધ એકી સાથે ઉપશાંત થાય છે, માયોદયે શ્રેણિ ઉપર આરૂઢ થનારને પ્રથમ ત્રણ ક્રોધ પછી ત્રણ માન, તે જ પ્રમાણે લોભોદયે શ્રેણિ માંડનારને પ્રથમ ત્રણ ક્રોધ, પછી ત્રણ માન, અને ત્યાર બાદ ત્રણ માયા ઉપશાંત થાય છે. અને લોભને તો પ્રથમની જેમ જ ઉપશમાવે છે. - ક્રોધાદયે શ્રેણિ માંડનારને જ્યાં ક્રોધનો બંધવિચ્છેદ થાય છે તે જ સ્થાને માને શ્રેણિ માંડનારને પણ ક્રોધનો બંધવિચ્છેદ થાય છે. અને જે સમયે ક્રોધનો બંધવિચ્છેદ થાય છે તે જ સમયે સમય ન્યૂન બે આવલિકા કાળમાં બંધાયેલ ક્રોધ જે અનુપશાંત હોય છે. તેને પછીના સમયથી બે સમય ન્યૂન બે આવલિકા કાળમાં ક્રોધોદયે શ્રેણિ માંડનારની જેમ ઉપશમાવે છે અને યથાપ્રવૃત્તસંક્રમથી સંક્રમાવે છે.
એ જ પ્રમાણે માયોદયે શ્રેણિ માંડનારને પણ જે જગ્યાએ ક્રોધનો બંધવિચ્છેદ થાય છે તે જ જગ્યાએ ક્રોધનો, જે જગ્યાએ માનનો બંધવિચ્છેદ થાય છે તે જગ્યાએ માનનો અને લોભોદયે શ્રેણિ માંડનારને ક્રોધાદિ ત્રણેનો, ક્રોધોદયે શ્રેણિ માંડનારને જે જે સ્થાને બંધવિચ્છેદ થાય છે તે તે સ્થાને જ ક્રમશઃ સં૦ ક્રોધ, માન અને માયાનો બંધવિચ્છેદ થાય છે અને પોત-પોતાના બંધવિચ્છેદ સમયે સમય ન્યૂન બે આવલિકા કાળમાં બંધાયેલ છે તે કષાયનું જે દલિક અનુશાંત હોય છે તેને પોતપોતાના બંધવિચ્છેદ પછીના સમયથી બે સમય ન્યૂન બે આવલિકા કાળમાં પ્રથમની જેમ જ ઉપશમાવે છે અને યથાપ્રવૃત્તસંક્રમથી સંક્રમાવે છે.
અંતર્મુહર્ત પ્રમાણ ૧૧મા ગુણસ્થાનકનો કાળ પૂર્ણ થયા પહેલાં જ જો મનુષ્ય ભવનું આયુષ્ય પૂર્ણ થઈ જાય તો તે કાળ કરી સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થાય અને તે ભવક્ષયે પતન થયું કહેવાય અને તે આત્માને મરણના ચરમ સમય સુધી ૧૧મું ગુણસ્થાનક હોય છે, પરંતુ દેવભવના પ્રથમ સમયે જ વચ્ચેના છ ગુણસ્થાનકોનો સ્પર્શ થયા વિના ૧૧માથી સીધું ચોથું ગુણસ્થાનક પ્રાપ્ત થાય છે. અને તે સમયથી બધાં કરણો પ્રવર્તે છે.
દેવભવના પ્રથમ સમયે જે જે જીવને ચારિત્ર મોહનીયકર્મની જે જે કર્મપ્રકૃતિઓનો ઉદય થાય છે તે કર્મપ્રકૃતિઓની દ્વિતીયસ્થિતિમાં જે પ્રથમ દલિકો ઉપશાંત થયેલા હતાં તેમાંથી અપવર્તના દ્વારા અંતરકરણરૂપ ખાલી જગ્યામાં દલિકો લાવી ઉદય સમયથી આવલિકા પ્રમાણ કાળમાં ગોપુચ્છાકારે અને આવલિકા ઉપરના પ્રથમ સમયથી ગુણશ્રેણિના શિર સુધી અસંખ્યાત ગુણાકારે અને પછી પુનઃ વિશેષહીન-હીન ગોઠવે છે. તથા મોહનીયકર્મની જે પ્રકૃતિઓ દેવભવના પ્રથમ સમયે ઉદયમાં નથી આવતી તે પ્રકૃતિઓના દલિકોને દ્વિતીય સ્થિતિમાંથી અપવર્તનાકરણ દ્વારા અંતરકરણરૂપ ખાલી જગ્યામાં લાવી ઉદયાવલિકાની ઉપરના પ્રથમ સમયથી ગુણશ્રેણિના શિર સુધી અસંખ્યાતગુણાકારે અને તેની ઉપર વિશેષ હીન હીન ગોઠવે છે. અને તેથી પ્રથમ જે અંતરકરણરૂપ ખાલી જગ્યા હતી ત્યાં પણ પુનઃ દલિકો ગોઠવાઈ જવાથી અને ખાલી જગ્યા પૂરાઈ જવાથી અંતરકરણ રહેતું નથી.
આયુષ્ય પૂર્ણ ન થાય તો પણ આ ગુણસ્થાનકનો કાળ અંતર્મુહૂર્ત પ્રમાણ જ હોવાથી તે પૂર્ણ થયે જીવ અવશ્ય પડે છે અને તે અદ્ધાલયે પતન થયું કહેવાય. તેથી જે ક્રમે ચડ્યો હતો તે જ ક્રમે એટલે કે ૧૧મે થી ૧૦મે, ૯મે, ૮ મે આવી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org