________________
૩૦૦
કર્મપ્રકૃતિ ભાગ - ૨ પ્રકૃતિઓના દલિકોને ત્યાંથી દૂર કરી હવે પછી બતાવવામાં આવશે, તે પ્રમાણે અન્યત્ર ગોઠવી તેની સાથે ભોગવવા યોગ્ય કરે છે.
ત્યાં નપુંસકવેદ વિગેરે ત્રણ વેદોદયવાળા ત્રણ અલગ અલગ જીવો શ્રેણિનો પ્રારંભ કરે, તો જે સ્થાને નપુંસકવેદે શ્રેણિ માંડનારને નપુંસકવેદનો ઉદય વિચ્છેદ થાય છે તે સ્થાને સ્ત્રીવેદે શ્રેણિ માંડનારને સ્ત્રીવેદનો પણ ઉદય વિચ્છેદ થાય છે. માટે આ બન્ને વેદનો સ્વોદયકાળ સમાન છે. અને આ બે વેદે શ્રેણિ માંડનારને જ્યાં વેદોદયનો વિચ્છેદ થાય છે તેના કરતાં પુરુષવેદે શ્રેણિ માંડનારને સંખ્યાતગુણ કાળ ગયા પછી પુરુષવેદનો ઉદય વિચ્છેદ થાય છે, આમ અહીં જણાવેલ છે. તેથી પૂર્વોક્ત બે વેદોની અપેક્ષાએ પુરુષવેદનો ઉદયકાળ સંખ્યાતગુણ આવે. પરંતુ ચૂર્ણિકારના મતે પૂર્વોક્ત બે વેદનો ઉદય વિચ્છેદ થયા પછી સંખ્યાત ભાગું પ્રમાણ કાળ ગયા બાદ પુરુષવેદનો ઉદય વિચ્છેદ થાય છે. તેથી પૂર્વોક્ત બે વેદોના સ્વોદયકાળથી પુરુષવેદનો સ્વોદયકાળ સંખ્યાતભાગ અધિક હોય છે.
પુરુષવેદે શ્રેણિ માંડનારને જે જગ્યાએ પુરુષવેદનો ઉદય વિચ્છેદ થાય છે, તેના કરતાં સં૦ ક્રોધોદયે શ્રેણિ માંડનારને ક્રોધનો ઉદય અમુક કાળ પછી વિચ્છેદ થાય છે. તેના કરતાં સંજ્વલન માનોદયે શ્રેણિ માંડનારને માનનો ઉદય અમુક કાળ પછી વિચ્છેદ થાય છે. તેના કરતાં સંઇ માયાએ શ્રેણિ માંડનારને અમુક કાળ પછી માયાનો અને તેના કરતાં પણ સંવ લોભે શ્રેણિ માંડનારને અમુક કાળ ગયા પછી બાદરલોભનો ઉદય વિચ્છેદ થાય છે. માટે પુરુષવેદના ઉદયથી સંતુ ક્રોધાદિ ચારેનો ઉદયકાળ ક્રમશઃ વિશેષાધિક છે. અને પ્રથમસ્થિતિ પણ પોતપોતાના ઉદયકાળ પ્રમાણ થાય છે. તથા શેષ અનુદિત પ્રકૃતિઓની પ્રથમસ્થિતિ આવલિકા માત્ર હોય છે, માટે જ પ્રથમ સ્થિતિની અપેક્ષાએ એકવીસે પ્રકૃતિઓની અંતરકરણ રૂ૫ ખાલી જગ્યા એક સરખી હોતી નથી, પરંતુ સહેજ આગળ પાછળ હોવાથી વિષમ હોય છે. અને બીજી ઉપરની સ્થિતિની અપેક્ષાએ અંતરકરણરૂપ ખાલી જગ્યા સમાન હોય છે.
અહીં જે વેદના ઉદયે શ્રેણિ ઉપર આરૂઢ થયો હોય તે વેદનો ઉદય વિચ્છેદ થયા પછી અન્ય વેદનો ઉદય થતો નથી તેથી આત્મા અવેદી થાય છે, પરંતુ સંજ્વલન કષાયો માટે તેમ નથી. કારણ કે જો ક્રોધોદયે શ્રેણિ ઉપર આરૂઢ થયો હોય તો ક્રોધના ઉદયના વિચ્છેદ થયા બાદ ક્રમશઃ માન, માયા અને લોભનો. સંવમાનોદયે શ્રેણિ ઉપર ચઢયો હોય તો માનનો ઉદય વિચ્છેદ થયા બાદ ક્રમશઃ માયા અને લોભનો, સંજ્વલન માયાના ઉદયે શ્રેણિ ઉપર આરૂઢ થયો હોય તો માયાનો ઉદય વિચ્છેદ થયા બાદ સંલોભનો ઉદય થાય છે. સંઇ લોભના ઉદયે શ્રેણિ પર ચડયો હોય તો નવમા ગુણકસ્થાનકના, ચરમ સમય સુધી બાદ લોભનો જ ઉદય હોય છે, અને પછી દસમા ગુણસ્થાનકે સૂક્ષ્મ લોભનો ઉદય હોય છે. તે
અનુદિત પ્રકૃતિઓની આવલિકા પ્રમાણ પ્રથમસ્થિતિ સ્તિબુકસંક્રમથી વેદ્યમાન પ્રવૃતિઓમાં સંક્રમાવી ભોગવી દૂર કરે છે અને વેદ્યમાન પ્રકૃતિઓની પ્રથમસ્થિતિ ભોગવીને સત્તામાંથી દૂર કરે છે. જે પ્રકૃતિના બંધ અને ઉદય ચાલુ હોય તે પ્રકૃતિઓના અંતરકરણના દલિકો ત્યાંથી લઈ અંતરકરણની ઉપરની અને નીચેની એમ બન્ને સ્થિતિઓમાં પ્રક્ષેપે છે. જે પ્રકૃતિઓનો કેવલ બંધ હોય પણ ઉદય ન હોય તે પ્રકૃતિઓના અંતરકરણના દલિકોને પોતાની ઉપરની સ્થિતિમાં, જે પ્રકૃતિઓનો બંધ ન હોય પરંતુ કેવલ ઉદય હોય તે પ્રકૃતિઓના અંતરકરણના દલિકોને પોતાની પ્રથમસ્થિતિમાં, તેમ જ જે પ્રકૃતિઓનો બંધ કે ઉદય બેમાંથી એકે ન હોય તે પ્રકૃતિઓના અંતરકરણના દલિકોને બધ્ધમાન સ્વજાતીય પરપ્રકૃતિમાં પ્રક્ષેપે છે.
જેમ-પુરુષવેદના ઉદયે શ્રેણિ માંડનારને પુરુષવેદનો બંધ અને ઉદય બને હોવાથી તેના અંતરકરણના દલિકોને નીચેની અને ઉપરની એમ બન્ને સ્થિતિઓમાં નાંખે છે. સ્ત્રીવેદ અથવા નપુંસકવેદના ઉદયે શ્રેણિ માંડનારને પુરુષવેદનો બંધ હોય છે પરંતુ ઉદય ન હોવાથી પુરુષવેદના દલિકોને માત્ર બીજી સ્થિતિમાં, સ્ત્રીવેદે શ્રેણિ માંડનારને સ્ત્રીવેદનો ઉદય હોય છે પરંતુ બંધ હોતો નથી માટે તેના અંતરકરણના દલિકોને પ્રથમ સ્થિતિમાં અને મધ્યના આઠ કષાય તેમજ હાસ્યષક આ ચૌદ પ્રકતિઓનો બંધ કે ઉદય બેમાંથી એકે ન હોવાથી તે પ્રકૃતિઓના અંતરકરણના દલિકોને બધ્યમાન સંઇ કષાયોમાં સંક્રમાવે છે.
શંકા-સંજ્વલન ક્રોધ-માન-માયા અને લોભના ઉદયે શ્રેણિ ઉપર આરૂઢ થનારને ક્રોધાદિ ચારેની પ્રથમ સ્થિતિ પોત-પોતાના ઉદયકાળ પ્રમાણ હોવાથી ત્યાં સુધી ક્રોધાદિનો ઉદય હોઈ શકે, પરંતુ અન્ય ત્રણ સંજ્વલન કષાયની પ્રથમ સ્થિતિ એક આવલિકા પ્રમાણ જ હોય છે, અને તે પણ નપુંસકવેદાદિના ઉપશમ થયા પહેલાં જ સિબુકસંક્રમથી દૂર થઈ જાય છે. અને પછી તો અંતરકરણરૂપ ખાલી જગ્યા જ હોય છે. તેથી ક્રોધના ઉદયે શ્રેણિ માંડનારને ક્રોધના ઉદય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org