SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપશમનાકરણ સારસંગ્રહ ૨૯૯ ઘણી જ સ્થિતિસત્તા ઘટાડી જ્ઞાનાવરણ વગેરે ચાર કર્મથી અસંખ્યાતગુણ જે સ્થિતિસત્તા હતી તેના બદલે અસંખ્યાતગુણહીન કરે છે. અને અસંખ્યાતગુણહીન કર્યા પછી સત્તાની અપેક્ષાએ પણ અન્ય કર્મોથી નામ અને ગોત્રકર્મની સ્થિતિસત્તા અલ્પ અને પરસ્પર તુલ્ય, તેનાથી મોહનીયકર્મની અસંખ્યાતગુણ અને તેથી પણ જ્ઞાનાવરણ વિગેરે ચાર કર્મની સ્થિતિસત્તા અસંખ્યાતગુણ અને પરસ્પર તુલ્ય હોય છે. મોહનીયકર્મનો એકી સાથે મોટો સ્થિતિઘાત અને ઘણો સ્થિતિબંધ ઓછો કરી જ્ઞાનાવરણાદિ ચાર કર્મની અપેક્ષાએ અસંખ્યાતગુણ હીન સ્થિતિસત્તા અને સ્થિતિબંધ કર્યા પછી પુનઃ હજારો સ્થિતિઘાત ગયા બાદ નામ અને ગોત્રકર્મ કરતાં પણ મોહનીય કર્મનો સ્થિતિબંધ એકદમ ઘટાડી અસંખ્યાતગુણહીન કરે છે. અને જ્યારે મોહનીયનો અસંખ્યાતગુણહીન સ્થિતિબંધ કરે છે ત્યારે બંધની અપેક્ષાએ મોહનીયકર્મનો સ્થિતિબંધ સૌથી અલ્પ, તે થકી નામ અને ગોત્રકર્મનો અસંખ્યાતગુણ અને પરસ્પર તુલ્ય અને તેથી પણ જ્ઞાનાવરણ વિગેરે ચારકર્મનો સ્થિતિબંધ અસંખ્યાતગુણ અને પરસ્પર સમાન થાય છે. હમણાં સુધી જ્ઞાનાવરણ વિગેરે ચાર કર્મનો સ્થિતિબંધ સમાન હતો, પરંતુ હવે પછી હજારો સ્થિતિઘાત અથવા હજારો સ્થિતિબંધ જાય ત્યારે જ્ઞાનાવરણીય વિગેરે ત્રણ ઘાતકર્મનો સ્થિતિબંધ એકદમ ઘટાડી વેદનીયકર્મ કરતાં અસંખ્યાતગુણહીન કરે છે. એટલે કે આ ત્રણ કર્મની અપેક્ષાએ વેદનીયકર્મનો સ્થિતિબંધ અસંખ્યાત ગુણ થઇ જાય છે. તેથી તે વખતે મોહનીયકર્મનો સ્થિતિબંધ સૌથી અલ્પ, તે થકી નામ અને ગોત્રકર્મનો અસંખ્યાતગુણ અને પરસ્પર તુલ્ય. આ બે કર્મ થકી જ્ઞાનાવરણ; દર્શનાવરણ અને અંતરાયનો અસંખ્યાતગુણ અને પરસ્પર તુલ્ય તેમ જ જ્ઞાનાવરણ વિગેરેથી પણ વેદનીયકર્મનો સ્થિતિબંધ અસંખ્યાતગુણ હોય છે. - ત્યારબાદ હજારો સ્થિતિઘાત જાય ત્યારે પહેલાં જે જ્ઞાનાવરણ વિગેરે ત્રણ કર્મનો સ્થિતિબંધ નામ અને ગોત્ર કરતાં અસંખ્યાતગુણ હતો તેના બદલે અસંખ્યાતગુણહીન અર્થાતું નામ અને ગોત્રકર્મની અપેક્ષાએ અસંખ્યાતમા ભાગ પ્રમાણ થઈ જાય છે. અહીં બંધ આશ્રયી અલ્પ-બહુત્વ વિચારીએ-તો મોહનીયકર્મનો સૌથી અલ્પ, તે થકી જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાય આ ત્રણ કર્મનો અસંખ્યાતગુણ અને પરસ્પર તુલ્ય, તે થકી નામ અને ગોત્રનો અસંખ્યાતગુણ અને પરસ્પર તુલ્ય અને તે થકી પણ વેદનીયકર્મનો સ્થિતિબંધ વિશેષાધિક હોય છે. આ સ્થળે પંચસંગ્રહ ઉપશમનાકરણ ગાથા ૫૭માં નામ અને ગોત્ર થકી વેદનીયનો સ્થિતિબંધ અસંખ્યગુણ બતાવેલ છે...તત્ત્વ તો બહુશ્રુતો જાણે. અહીં તેમજ હવે પછી સર્વત્ર સ્થિતિબંધના અલ્પબદુત્વની જેમ જ સ્થિતિસત્તાનું અલ્પબહુત્વ પણ હોય છે. જે સમયે સાતે કર્મનો સ્થિતિબંધ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ થાય છે, તે સમયથી અસંખ્યાત સમયોમાં બંધાયેલ સત્તાગત દલિકોની જ ઉદીરણા થાય છે. પરંતુ તેથી અધિક કાળ પહેલાં બંધાયેલ સત્તાગત દલિકોની ઉદીરણા થતી નથી, ત્યારબાદ હજારો સ્થિતિઘાત વ્યતીત થયે છતે મન:પર્યવજ્ઞાનાવરણ અને દાનાન્તરાયનો દેશઘાતિ રસ બંધાય છે ત્યાર બાદ પુનઃ હજારો સ્થિતિઘાત જાય ત્યારે અવધિજ્ઞાનાવરણ, અવધિદર્શનાવરણ અને લાભાન્તરાય આ ત્રણનો, ત્યાર પછી પુનઃ હજારો સ્થિતિઘાત વ્યતીત થયે છતે શ્રુતજ્ઞાનાવરણ, અચક્ષુદર્શનાવરણ અને ભોગાન્તરાય આ ત્રણનો, ત્યારબાદ હજારો સ્થિતિઘાતો ગયે છતે અનુક્રમે ચક્ષુદર્શનાવરણ, ત્યારબાદ મતિજ્ઞાનાવરણ તથા ઉપભોગાન્તરાય અને ત્યારબાદ વિર્યાન્તરાયનો દેશઘાતિ રસ બંધાય છે. અહીં જે જે સમયે જે જે પ્રકૃતિઓનો દેશઘાતિ રસ બંધાય છે તેના પૂર્વના સમય સુધી બન્ને શ્રેણિઓમાં તે તે પ્રકૃતિઓનો સર્વથાતિ રસ પણ બંધાતો હતો, પરંતુ કેવલ દેશધાતિ નહિં. એમ સમજવું. વીર્યાન્તરાયનો દેશઘાતિ રસબંધ થયા પછી સંખ્યાતા હજારો સ્થિતિઘાત વ્યતીત થયે છતે અપ્રત્યાખ્યાનાવરણ વિગેરે બાર કષાય અને નવ નોકષાય એમ ચારિત્રમોહનીયની એકવીસ પ્રવૃતિઓનું અંતરકરણ કરવાની ક્રિયા શરૂ કરે છે. તે અંતરકરણ ક્રિયાનો કાળ એક સ્થિતિઘાત અથવા અપૂર્વ સ્થિતિબંધના કાળ સમાન અંતર્મુહૂર્ત પ્રમાણ છે. તે અંતર્મુહુર્ત પ્રમાણના કાળવાળી અંતરકરણક્રિયા દ્વારા એક જીવ આશ્રયી વેદ્યમાન ચાર સંજ્વલનમાંથી એક સંજ્વલન અને વેદ્યમાન ત્રણમાંથી એક વેદ, એમ બે પ્રકૃતિઓની પ્રથમ સ્થિતિ શ્રેણિમાં જ્યાં સુધી પોતપોતાનો ઉદય રહેવાનો છે, ત્યાં સુધી અંતર્મુહૂર્ત પ્રમાણ અને શેષ ઓગણીસ પ્રવૃતિઓની આવલિકા પ્રમાણ અને અનેક જીવો આશ્રયી ચાર સંજવલન અને ત્રણ વેદની પ્રથમસ્થિતિ શ્રેણિમાં પોતપોતાનો જ્યાં સુધી ઉદય રહેવાનો છે ત્યાં સુધી અંતર્મુહૂર્ત પ્રમાણ અને શેષ ચૌદ પ્રકૃતિઓની ઉદયાવલિકા પ્રમાણ રાખી, વચ્ચમાં અંતર્મુહૂર્ત પ્રમાણ જગ્યામાં રહેલ ભોગવવા યોગ્ય એકવીસ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005573
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy