SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ કર્મપ્રકૃતિ ભાગ - ૨ અનિવૃત્તિકરણના સંખ્યાતા ભાગ જાય અને એક ભાગ બાકી રહે ત્યારે સાતે કર્મનો સ્થિતિબંધ અસંક્ષિપંચેન્દ્રિયની સમાન થાય છે. સ્થિતિઘાત અને અપૂર્વ સ્થિતિબંધ સાથે જ શરૂ થાય છે, અને સાથે જ પૂર્ણ થાય છે. એથી ટીકામાં હજારો સ્થિતિઘાત જણાવેલ હોવાથી હજારો અપૂર્વ સ્થિતિબંધ પણ સમજી લેવાના છે. તેથી પુનઃ હજારો સ્થિતિઘાતો અને હજારો અપૂર્વ સ્થિતિબંધો ગયા પછી ચતુરિન્દ્રિયના બંધ સમાન સ્થિતિબંધ થાય છે. ત્યારબાદ હજારો સ્થિતિઘાત અને હજારો અપૂર્વ સ્થિતિબંધ ગયા પછી તે ઈન્દ્રિય સમાન, ત્યારબાદ પુનઃ તેટલાં જ સ્થિતિઘાત અને અપૂર્વ સ્થિતિબંધ વ્યતીત થયા પછી બેઈન્દ્રિય સમાન અને ત્યારબાદ તેટલાં જ સ્થિતિઘાત અને અપૂર્વ સ્થિતિબંધ વ્યતીત થયા પછી એકેન્દ્રિયના બંધ સમાન સાતે કર્મનો સ્થિતિબંધ થાય છે. ત્યારબાદ પુનઃ હજારો સ્થિતિઘાત અને સ્થિતિબંધ વ્યતીત થયે છતે નામ અને ગોત્રકર્મનો એક પલ્યોપમના પ્રમાણ, જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય અને અંતરાય આ ચાર કર્મનો દોઢ પલ્યોપમ પ્રમાણ અને મોહનીયકર્મનો બે પલ્યોપમ પ્રમાણ સ્થિતિબંધ થાય છે.. તેમજ સ્થિતિસત્તાનું અલ્પબદુત્વ પણ બંધની જેમ જ હોય છે અર્થાતુ નામ અને ગોત્રની સ્થિતિસત્તા અન્ય કર્મોની અપેક્ષાએ અલ્પ, તેનાથી જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય અને અંતરાય આ ચારની વિશેષાધિક અને તેનાથી પણ મોહનીયકર્મની સ્થિતિસત્તા વિશેષાધિક હોય છે. જ્યાં સુધી પલ્યોપમ પ્રમાણ સ્થિતિબંધ ન થાય ત્યાં સુધી તે તે કર્મના પહેલા-પહેલાના સ્થિતિબંધની અપેક્ષાએ પછી પછીના સ્થિતિબંધો પલ્યોપમના સંખ્યાતમા ભાગ પ્રમાણ ઓછા ઓછા થાય છે. પરંતુ પલ્યોપમ પ્રમાણ સ્થિતિબંધ થયા પછી તે-તે કર્મનો પૂર્વ-પૂર્વના સ્થિતિબંધની અપેક્ષાએ પછી પછીના સ્થિતિબંધ સંખ્યાતગુણ હીન-હીન અર્થાતુ સંખ્યાતમા ભાગ પ્રમાણ થાય છે. માટે પલ્યોપમ પ્રમાણ સ્થિતિબંધ થયા પછી નામ અને ગોત્રના નવા નવા સ્થિતિબંધો પૂર્વ-પૂર્વના સ્થિતિબંધની અપેક્ષાએ સંખ્યાતગુણ હીન-હીન થાય છે. પરંતુ શેષ પાંચ કર્મના તો પૂર્વની જેમ પલ્યોપમના સંખ્યામાં ભાગ પ્રમાણ ન્યૂન-ન્યૂન જ થાય છે. ત્યારપછી હજારો સ્થિતિઘાત ગયા બાદ જ્ઞાનાવરણ વગેરે ચારે કર્મોનો સ્થિતિબંધ પણ પલ્યોપમ પ્રમાણ થાય છે અને તે વખતે મોહનીયકર્મનો સ્થિતિબંધ દોઢ પલ્યોપમ પ્રમાણ થાય છે. જ્ઞાનાવરણીય વગેરે ચાર કર્મોનો પલ્યોપમ પ્રમાણ સ્થિતિબંધ થયા પછી તેઓનો પછીનો સ્થિતિબંધ પૂર્વ-પૂર્વના સ્થિતિબંધની અપેક્ષાએ સંખ્યાતગુણ હીન-હીન અર્થાતુ સંખ્યાતમા ભાગ જેટલો થાય છે. પરંતુ મોહનીયકર્મનો તો નવો નવો સ્થિતિબંધ પલ્યોપમના સંખ્યામાં ભાગ પ્રમાણ ઓછો ઓછો થાય છે. ત્યાર પછી હજારો સ્થિતિઘાત વ્યતીત થયે છતે મોહનીયકર્મનો સ્થિતિબંધ પણ એક પલ્યોપમ પ્રમાણ થાય છે. અને તે પછી અન્ય કર્મોની જેમ મોહનીયકર્મનો પણ પૂર્વ-પૂર્વના સ્થિતિબંધની અપેક્ષાએ નવો નવો સ્થિતિબંધ સંખ્યાતગુણ હીન-હીન થાય છે... - જ્યારે મોહનીયકર્મનો નવો સ્થિતિબંધ એક પલ્યોપમ પ્રમાણ થાય છે, ત્યારે સ્થિતિસત્તાની અપેક્ષાએ નામ અને ગોત્રકર્મની સ્થિતિસત્તા અલ્પ હોય છે, તેના કરતાં જ્ઞાનાવરણ વિગેરે ચાર કર્મની સ્થિતિસત્તા સંખ્યાતગુણ અને પરસ્પર સમાન હોય છે. અને તેથી મોહનીયકર્મની સ્થિતિસત્તા સંખ્યાતગુણ અધિક હોય છે. તેમજ જે વખતે મોહનીયકર્મનો સ્થિતિબંધ એક પલ્યોપમ પ્રમાણ થાય છે તે પછી પૂર્વના સ્થિતિબંધની અપેક્ષાએ નામ અને ગોત્રકર્મનો નવો સ્થિતિબંધ અસંખ્યાતગુણહીન એટલે કે પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ થાય છે. તેથી તે વખતે નામ તથા ગોત્રકર્મની સ્થિતિસત્તા અલ્પ અને પરસ્પર તુલ્ય હોય છે. આ બે કર્મથી જ્ઞાનાવરણ વિગેરે ચાર કર્મની અસંખ્યાતગુણ તથા પરસ્પર તુલ્ય અને તેથી મોહનીયકર્મની સ્થિતિસત્તા સંખ્યાતગુણ હોય છે. એમ નામ અને ગોત્રકર્મનો સ્થિતિબંધ પલ્યોપમના અસંખ્યાતમાભાગ પ્રમાણ થયા પછી હજારો સ્થિતિઘાત વ્યતીત થયે છતે જ્ઞાનાવરણ વિગેરે ચાર કર્મોનો નવો સ્થિતિબંધ પૂર્વના સ્થિતિબંધની અપેક્ષાએ અસંખ્યાતગુણહીન એટલે કે પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ થાય છે. તે વખતે નામ અને ગોત્રકર્મની સ્થિતિસત્તા અન્ય કર્મોની અપેક્ષાએ અલ્પ અને પરસ્પર તુલ્ય હોય છે. આ બે કર્મથી જ્ઞાનાવરણ વિગેરે ચાર કર્મોની અસંખ્યાતગુણ અને પરસ્પર તુલ્ય હોય છે. અને આ ચાર કર્મથી પણ મોહનીયકર્મની સ્થિતિસત્તા અસંખ્યાતગુણ હોય છે. ત્યારપછી હજારો સ્થિતિઘાત વ્યતીત થયે છતે એકી સાથે એકદમ મોહનીયકર્મનો સ્થિતિબંધ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ કરે છે એટલું જ નહિ પરંતુ મોહનીયકર્મનો નવો સ્થિતિબંધ જ્ઞાનાવરણીય વિગેરે ચાર કર્મના સ્થિતિબંધથી પણ અસંખ્યાતગુણહીન કરે છે. અને તે વખતે અપવર્તનાકરણ દ્વારા સત્તામાંથી પણ મોહનીયકર્મની એક જ સ્થિતિઘાતમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005573
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy