________________
૨૮૪'
કર્મપ્રકૃતિ ભાગ-૨ ગાથાર્થ :- ટીકાની જેમ
ટીકાર્થ :- હવે આઠે પણ કરણોના જે અધ્યવસાયો હોય છે. તેઓનો પ્રતિનિયત પરિમાણ પ્રરૂપણા કરતાં કહે છે. - સ્થિતિબંધને વિષે ઉપલક્ષણથી અનુભાગબંધમાં જે કષાયના ઉદયવાળા બંધનકરણ અધ્યવસાયો તે સર્વથી અલ્પ, પ્રતિબંધ અને પ્રદેશબંધનું યોગ પ્રત્યયપણું હોવાથી તેના અધ્યવસાયોનું ગ્રહણ કર્યું નથી. (અને અનુભાગબંધને અહીં ઉપલક્ષણથી ગ્રહણ કર્યો છે અને તે કારણથી અનુભાગબંધ અધ્યવસાયથી સ્થિતિબંધ અધ્યવસાયો અલ્પ છે.) તેનાથી ઉદીરણાકરણના અધ્યવસાયો અસંખ્યયગુણ છે. તેથી પણ સંક્રમણકરણના અધ્યવસાયો - ઉદ્વર્તના - અપવર્તનાકરણના અધ્યવસાયો પણ ભેગા થયેલા અસંખ્યયગુણ જાણવાં. તેથી પણ ઉપશમનાકરણના અધ્યવસાયો અસંખ્યયગુણ છે. તેથી પણ નિધત્તિના અધ્યવસાયો અસંખ્યયગુણ છે. તેથી પણ નિકાચનાકરણના અધ્યવસાયો અસંખ્ય ગુણ છે.
ઇતિ ન્યાયાચાર્ય મહોપાધ્યાય શ્રીમદ યશોવિજયજી ગણિવર્ય વિરચિત
કર્મપ્રકૃતિ ટીકાનો ગુજરાતી ભાવાનુવાદ સમાપ્ત
કરણાષ્ટકં સમાપ્તમ્
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org