________________
ઉપશમનાકરણ સારસંગ્રહ
૨૮૫
( – અથ ઉપશમનાકરણ સારસંગ્રહ :-) કરણકૃત અને અકરણકૃત એમ ઉપશમના બે પ્રકારની છે. ત્યાં યથાપ્રવૃત્તાદિકરણો વિના જ વેદનાદિ અનુભવ દ્વારા જે ઉપશમના થાય છે તે અકરણકૃત ઉપશમના કહેવાય છે અને તે અકરણકૃત ઉપશમનાનું જ્ઞાન કર્મપ્રકૃતિ અથવા પંચસંગ્રહકાર મહર્ષિઓના વખતમાં વિદ્યમાન ન હોવાથી તેઓશ્રીએ બતાવેલ નથી. તેથી અહીં ફક્ત કરણકત ઉપશમનાનું જ સ્વરૂપ બતાવેલ છે.
યથાપ્રવત્તાદિ કરણરૂપ ક્રિયાથી જે ઉપશમના થાય છે તે કરણકત ઉપશમના કહેવાય છે તેના પણ દેશોપશમના અને સર્વોપશમના એવા મુખ્ય બે પ્રકાર છે.
યથાપ્રવૃત અને અપૂર્વકરણરૂપ બે કરણો વડે જે ઉપશમના થાય છે તે દેશોપશમના કહેવાય છે. અને તે આઠે કર્મોમાં થાય છે. દેશોપશમનામાં સત્તાગત દલિકોને અસંખ્યાત ગુણાકારે સર્વથા સર્વ પ્રકારે ઉપશમ થતો નથી માટે તેને દેશોપશમના અથવા અગુણોપશમના કહેવાય છે. જે પ્રકૃતિઓની દેશોપશમના થાય છે તેઓનો ઉદય પણ ચાલુ હોય છે માટે અનુદીરણોપશમના કહેવાય છે. તેમજ દેશોપશમના થવાથી દબાયેલ ગુણો પ્રગટ થતા નથી માટે અપ્રશસ્તોપશમના પણ કહેવામાં આવે છે.... જેનું સ્વરૂપ સર્વોપશમનાની પછી બતાવવામાં આવશે.
યથાપ્રવૃત્તાદિ ત્રણ કરણરૂપ ક્રિયા દ્વારા જે ઉપશમના થાય છે તે સર્વોપશમના કહેવાય છે અને તે મોહનીય કર્મની જ થાય છે.... સર્વોપશમનામાં ઉપશમન ક્રિયા દ્વારા સત્તાગત મોહનીયકર્મના દલિકોનો અસંખ્યાત ગુણાકારે સર્વથા-સર્વપ્રકારે ઉપશમ થાય છે તેથી તેનું ગુણોપશમના એવું પણ નામ છે. અને સર્વોપશમ થયેલ પ્રકૃતિઓનો ઉદય હોતો નથી. માટે ઉદયોપશમના તેમજ દબાયેલ ગુણો સર્વથા પ્રગટ થાય છે માટે પ્રશસ્તોપશમના એવું પણ નામ છે...
ત્યાં ગ્રંથકાર મહર્ષિએ સર્વોપશમનાના સમ્યક્ત્વોત્પાદ પ્રરૂપણા, દેશવિરતિલાભ, સર્વવિરતિલાભ, અનંતાનુબંધિ વિસંયોજના, દર્શનમોહનીય ક્ષપણા, દર્શનમોહનીય ઉપશમના, ચારિત્રમોહનીયની સર્વોપશમના અને ચારિત્રમોહનીયની દેશોપશમના એમ ૮ વિષયાધિકાર બતાવેલ છે. પરંતુ દેશવિરતિલાભ વગેરે ચાર વિષયાધિકારોમાં મોહનીયકર્મની કોઈપણ પ્રકૃતિની સર્વથા ઉપશમના થતી નથી છતાં સર્વોપશમના અધિકારમાં બતાવેલ છે... તેનું કારણ-ચારિત્રમોહનીયની ઉપશમના દેશવિરતિ અને સર્વવિરતિની પ્રાપ્તિ પછી જ થાય છે.... તેમજ મૂળમતે અનંતાનુબંધિની વિસંયોજના કર્યા પછી જ ચારિત્રમોહનીયની ઉપશમના થાય છે..... અને દર્શનત્રિકનો ક્ષય કર્યા પછી પણ ચારિત્રમોહનીયની ઉપશમના થાય છે. માટે આ ચાર અર્થાધિકારો પણ સર્વોપશમનાના પ્રસંગમાં બતાવેલ છે. એમ લાગે છે. અન્યથા મૂળમતે સર્વોપશનાના સમ્યકત્વોત્પાદ પ્રરૂપણા, દર્શનત્રિક ઉપશમના, ચારિત્રમોહનીય ઉપશમના આ ત્રણ અને અન્ય આચાર્યોના મતે અનંતાનુબંધિની ઉપશમના સહિત ચાર અર્થાધિકારો હોય છે..... એમ સમજાય છે.
(–ઃ અથ ૧લું સમ્યકત્વોત્પાદ અધિકાર દ્વાર :-) ચારે ગતિમાં રહેલ સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત સંક્ષિપંચેન્દ્રિય ઉપશમ, ઉપદેશશ્રવણ અને ઉપશમન ક્રિયાને યોગ્ય ઉત્કૃષ્ટયોગ આ ત્રણ લબ્ધિયુક્ત જીવો યથાપ્રવૃત્તાદિ ત્રણ કરણ કરી ઉપશમ સમ્યકત્વ પામી શકે છે. પરંતુ કરણકાળની પહેલાં પણ અંતર્મુહૂર્ણ કાળ પર્યન્ત આ યોગ્યતાઓ હોય છે.
(૧) ગ્રંથિપ્રદેશ પાસે આવેલ અભવ્યની વિશુદ્ધિથી પણ ઉત્તરોત્તર પ્રતિસમયે અનંતગુણ વર્ધમાન વિશુદ્ધિ હોય છે.
(૨) આયુષ્ય વિના સાત કર્મની અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિસત્તા અને અશુભપ્રકૃતિઓના સત્તાગત ચતુઃસ્થાનક રસને દ્વિસ્થાનક તેમજ શુભપ્રકૃતિઓના દ્રિસ્થાનક સત્તાગત રસને ચતુઃસ્થાનક કરે છે...એમ આ ગ્રંથમાં ઉપશમનાકરણ ગાથા પાંચમાં તથા તેની ચૂર્ણિ અને બન્ને ટીકામાં કહેલ છે પરંતુ પંચસંગ્રહ મૂલ અને એની ટીકાઓમાં શુભપ્રકૃતિઓના સત્તાગત રસને અનંતગુણ અધિક અને અશુભપ્રકૃતિઓના રસને અનંતગુણહીન કરે છે...એમ સામાન્યથી જ બતાવેલ છે...છતાં અર્થ સમાન હોય તેમ લાગે છે.
(૩) મતિ અજ્ઞાન, શ્રત અજ્ઞાન અને વિર્ભાગજ્ઞાનમાંથી કોઇપણ એક સાકારોપયોગમાં વર્તતાં અને જઘન્ય પરિણામે તેમજ ઉત્કૃષ્ટ પરિણામે શુક્લલેશ્યામાં વર્તતાં હોય છે....
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org