SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૪ કર્મપ્રકૃતિ ભાગ-૨ (૪૦) હજારો સ્થિતિબંધ પછી અસંસમયમબદ્ધની ઉદીરણા અટકે છે અને સમયમબદ્ધના અસંતુલોકમાં ભાગ જેટલી ઉદીરણા પ્રવર્તે છે. (અર્થાતુ અત્યાર સુધી પ્રત્યેક સમયે, અસં. સમયોમાં જેટલું દલિક બંધાય એટલી ઉદીરણા થતી હતી હવેથી એક સમયમાં બંધાયેલા દલિકરાશિને અસંવલોક પ્રદેશ પ્રમાણ રાશિથી ભાગવાથી જે આવે એટલા દલિકોની એક એક સમયમાં ઉદીરણા થાય છે) આ વખતે સ્થિતિબંધનું અલ્પબદુત્વ પૂર્વવતું હોય છે. (૪૧) આ પ્રમાણે હજારો સ્થિતિબંધ ગયા બાદ, એક જ ઝાટકે સ્થિતિબંધનું અલ્પબહુત આવું થઇ જાય છે. - મોહનીય - અલ્પ, નામ-ગોત્ર - , જ્ઞાના ૩ - V, વેદનીય - V. (૪૨) સંખ્યાતા હજારો સ્થિતિબંધ આ રીતે ગયા પછી એક ઝાટકે, મોહનીય - અલ્પ, નામ ગોત્ર - 8, જ્ઞાના૦૩, વેદનીય -V. (પરસ્પર તુલ્ય). (૪૩) સંખ્યાતા હજાર સ્થિતિબંધ પછી એક સાથે, મોહનીય - અલ્પ, નામ-ગોત્ર - V, જ્ઞાના૦૪ - V. (૪૪) હજારો સ્થિતિબંધ પછી એકી કલમે, નામ-ગોત્ર - અલ્પ, જ્ઞાના૦૪ - V, મોહનીય - V. (૪૫) પતમાન જીવના સ્થિતિબંધોની આ પ્રક્રિયામાં જ્યારથી અસંવર્ષનો બંધ શરૂ થાય છે ત્યારથી નવો-નવો બંધ અસં ગુણ જાણવો. (૪૬) ઉપરોક્ત ક્રમે સ્થિતિબંધ થતાં એક સ્થિતિબંધ એવો થાય છે કે જેથી સાતેય કર્મોનો સ્થિતિબંધ P la થી સીધો | P | s થઇ જાય છે. (૪૭) હવેથી નવો-નવો સ્થિતિબંધ સંખ્યાતગુણ થાય છે. આ દરેકમાં સ્થિતિબંધની અપૂર્વ વૃદ્ધિ Pls પ્રમાણ હોય છે. (૪૮) આવા સંખ્યાતા હજારો સ્થિતિબંધ PIs વૃદ્ધિવાળા પસાર થયા પછી એક સ્થિતિબંધ એવો થાય છે કે જેથી મોહનીયમાં સ્થિતિબંધ ની અપૂર્વ વૃદ્ધિ પલ્યોપમના સંખ્યાત બહુભાગ પ્રમાણ થાય છે. જ્ઞાના, વિગેરે ૪માં દેશોને ૩/૪ પલ્યો, જેટલી અને નામ ગોત્રમાં દેશોન (સંખ્યાતમો ભાગ હીન) ૧/૨ પલ્યો૦ જેટલી વૃદ્ધિ થાય છે. આ વૃદ્ધિ થવાના કારણે થતો મોહનીયનો યસ્થિતિબંધ -૧ પલ્યો, જ્ઞાના૦૪ - ૩/૪ પલ્યો, નામ-ગોત્ર - ૧/૨ પલ્યો હોય છે. (૪૯) હવેથી અનિવૃત્તિકરણના શેષ કાળ અને અપૂર્વકરણના સંપૂર્ણ કાળ દરમ્યાન નવા નવા બંધમાં P/s વૃદ્ધિ હોય (૫૦) હજારો સ્થિતિબંધ બાદ એકે ને તુલ્ય સ્થિતિબંધ થાય છે. એ જ રીતે હજારો સ્થિતિબંધોના આંતરે આંતરે ક્રમશ: બેઇ, તેઈડ, ચઉ0 અને અસંજ્ઞી પંચે તુલ્ય સ્થિતિબંધ થાય છે. (૫૧) ત્યારબાદ હજારો સ્થિતિબંધ ગયે અનિવૃત્તિકરણનો ચરમ સમય આવે છે. એ વખતે સ્થિતિબંધ અંતઃ કોડી સાગરો, (સાગરોપમ લક્ષપૃથત્વ) હોય છે. (પ્રત્યન્તરમાં અંતઃ ક્રોડના સ્થાને અંતઃ કો.કો. સાગરોવે છે.) (૫૨) પછીના સમયે અપૂર્વકરણમાં પ્રવેશ થતાની સાથે દેશોપશમના, નિદ્ધત્તિ અને નિકાચના કરણ ચાલુ થઇ જાય છે. (૫૩) એ જ વખતથી મોહનીયનો નવવિધ બંધક બને છે, હાસ્ય-રતિ કે અરતિ શોકમાંથી એક યુગલની ઉદય ઉદીરણા થાય છે, ભય-જુગુપ્સાનો ઉદય-ઉદીરણા ભજનાએ થાય છે. (૫૪) અપૂર્વકરણકાળનો સંખ્યામાં ભાગ વિત્યે પરભવ સંબંધી (દેવપ્રાયોગ્ય) નામ પ્રકૃતિઓનો બંધ શરૂ થાય છે. (૫૫) હજારો સ્થિતિબંધ પછી કે જ્યારે અપુર્વકરણના સંખ્યાત બહુભાગ પસાર થઇ ગયા છે ત્યારથી નિદ્રાદિકનો બંધ શરૂ થાય છે. (૫૬) સંખ્યાતા હજારો સ્થિતિબંધ ગયા પછી અપૂર્વકરણનો ચરમ સમય આવે છે. અત્યાર સુધી ગુણશ્રેણિ નિક્ષેપ શેષ-શેષમાં હતો. (૫૭) હવે પછીના સમયે, એટલે કે યથાપ્રવૃત્તકરણના પ્રથમ સમયે, પૂર્વસમયે થયેલી ગુણશ્રેણિના આયામ કરતાં સંખ્યાતગુણ આયામવાળી ગુણશ્રેણિ રચે છે. (યથાપ્રવૃત્તકરણે શ્રેણિ નિમિત્તક ગુણશ્રેણિ હોતી નથી. પણ સંયતની યથાપ્રવૃત્તસંયત ગુણશ્રેણિ હોય છે. ઉપશમશ્રેણિ નિમિત્તક ગુણશ્રેણિ કરતાં એનો આયામ સંખ્યાતગુણ હોય છે.) હવેથી અંતર્મુ, સુધી એટલા જ આયામ વાળી ગુણશ્રેણિ ઉત્તરોત્તર સમયે કરે છે. (કારણ કે આઠમે ગુણઠાણેથી સાતમે આવ્યા બાદ અંતર્મુ તો સંયમપરિણામ હોય છે. અને સંયતની યથાપ્રવૃત્તસંવત ગુણશ્રેણિનો આયામ અવસ્થિત હોય છે.) ત્યારબાદ એ આયામ વધે છે, ઘટે છે કે અવસ્થિત રહે છે. (જો નીચે પડે તો ગુણશ્રેણિ આયામ વધે છે. ક્ષાયિક સમ્ય, પામવા વગેરેની પ્રક્રિયા કરે તો આયામમાં હાનિ થાય છે, અન્યથા આયામ અવસ્થિત રહે છે.) For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005573
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy