________________
ઉપશમનાકરણ
૨૭૫
(૫૮) યથાપ્રવૃત્તકરણના પ્રથમસમયથી ગુણસંક્રમનો વિચ્છેદ થઇ જાય છે. અને યથાયોગ્ય યથાપ્રવૃત્તસંક્રમ કે વિધ્યાસક્રમ
થાય છે. (૫૯) ઉપશમશ્રેણિમાં ચડતો જીવ ઉપશમક કહેવાય છે, પડતો જીવ પ્રતિપતમાન કહેવાય છે. ઉપશમકના અપૂર્વકરણના
પ્રથમસમયથી પ્રતિપતમાનના અપૂર્વકરણના ચરમ સમય સુધીમાં જેટલો કાળ (૮-૯-૧૦-૧૧-૧૦-૯-૮ ગુણઠાણા
સુધીમાં જેટલો કાળો પસાર થાય છે. તેના કરતાં પણ સંખ્યાતગુણ કાળ સુધી હજુ ઉપશમ સમ્યકત્વ ટકે છે. (૬૦) આ ઉપશમસમ્યકત્વના કાળમાં કોઇ જીવ અવિરતિ, દેશવિરતિ કે એ બન્ને પણ પામી શકે છે. (૬૧) આ ઉપશમસમ્યકત્વ કાળની ૬ આવલિકા શેષ હોય ત્યારે સાસ્વાદન ગુણઠાણું પણ પામી શકે છે. (કષાયમામૃત
ચુર્ણકારના મતે પણ અનંતા વિસંયોજક જીવ જ ઉપશમશ્રેણિ માંડે છે. એટલે પડતા જીવને પણ અનંતાની સત્તા હોતી નથી જ. તેમ છતાં બીજું ગુણઠાણું પામી શકવાનું જે જણાવ્યું છે તેનાથી સૂચિત થાય છે કે અન્ય કષાયોના તીવ્ર ઉદયથી પણ બીજું ગુણઠાણું પામી શકાય છે. એ વાત કષાયપ્રાભૃત ચૂર્ણિકારને પણ માન્ય છે. કર્મપ્રકૃતિ
ટીપ્પણમાં એ રીતે ખુલાસો પણ છે.) (૬૨) સાસ્વાદને જઈ મૃત્યુ પામનાર જીવ પણ નિયમા દેવગતિમાં જાય છે. કારણ કે એ પહેલાં જો કોઇ અન્ય આયુષ્ય
બાંધી દીધું હોય તો જીવ ઉપશમશ્રેણિ માંડી શકતો જ નથી.
આ બધી પ્રરૂપણા પુરુષવેદ અને ક્રોધના ઉદયથી શ્રેણિ માંડનાર જીવને આશ્રયી કહીં. પુરુષવેદ અને માનના ઉદયે મંડાતી શ્રેણિમાં નીચે મુજબ ફેરફાર હોય છે' ઉપશમક જીવ ૭ નોકષાયોને ઉપશમાવે ત્યાં સુધીમાં કોઇ ફરક હોતો નથી. ત્યારબાદ સંજ્વમાનને જ વેદતો જીવ સંખ્ત ક્રોધને ઉપશમાવે છે. એ વખતે સંક્વક્રોધની પ્રથમસ્થિતિ હોતી નથી. ક્રોધોદયારૂઢ જીવ જેટલાં કાળમાં સંજ્વકોધને ઉપશમાવે છે એટલા જ કાળમાં આ જીવ પણ એને ઉપશમાવી દે છે. ક્રોધોદયારૂઢ જીવને જ્યાં સંજ્વમાનના બંધોદયવિચ્છેદ થાય છે, ત્યાં જ માનોદયારૂઢ જીવને પણ એ વિચ્છેદ થાય છે. અને ત્યાર બાદ પણ ૧ આવલિકા જેટલી સંવમાનની પ્રથમ સ્થિતિ હોય છે. એટલે કે સંજ્વમાનની પ્રથમ સ્થિતિ, ક્રોધોદયરૂઢ જીવ ક્રોધની પ્રથમ સ્થિતિ અને પછી માનની પ્રથમસ્થિતિ જેટલી કરે છે એ બન્ને ભેગી જેટલી કરે છે. ત્યાર પછી ઉપશમકની વિધિમાં કોઇ ફર્ક હોતો નથી. પછી પડતા જીવનો વિધિ પણ સંજ્વમાયાને વેદે ત્યાં સુધી તુલ્ય જ હોય છે. માનવેદક અદ્ધામાં ફેર પડે છે. ૩ લોભ, ૩ માયા અને ૩ માનનો ગુણશ્રેણિ નિક્ષેપ શેષકર્મોને તુલ્ય કરે છે અને શેષ શેષમાં નિક્ષેપ કરે છે. ક્રોધોદયે શ્રેણિ માંડીને પડનાર જીવને જેટલો માનોદયકાળ હોય એટલો માનોદયારૂઢ જીવને કાળ પસાર થાય ત્યારે ત્રિવિધ ક્રોધને એક જ સમયમાં અનુપશાંત કરી શેષકર્મો જેટલી ગુણશ્રેણિ ઉદયાવલિકાની બહાર કરે છે, શેષ-શેષમાં નિક્ષેપ કરે છે. બાકીનું બધું ક્રોધોદયારૂઢવતું.
આમ માનોદયારૂઢ જીવને ચડતી વખતે યથાપ્રવૃતકરણથી પુરુષવેદ ચરમ ઉદય સુધી કોઇ ફર્ક હોતો નથી. અવેદી પ્રથમસમયથી ક્રોધના ઉપશમના કાળ સુધી તફાવત હોય છે. ત્યાર બાદ માન માયા લોભની ઉપશમ અદ્ધામાં, ઉપશાંત ગુણઠાણે, અને પડતી વખતે લોભ માયા વેદનકાળમાં કોઇ તફાવત હોતો નથી. પછી માનવેદનકાળમાં જ્યાં સુધી ક્રોધ અનુપશાંત નથી થતો ત્યાં સુધી ભિન્નતા હોય છે( શેષકર્મ તુલ્ય ગુણશ્રેણિ થાય છે એ તફાવત જાણવો.) પછી ક્રોધની ઉદયસમયથી ગુણશ્રેણિ હોતી નથી, (કારણ કે માનોદય જ ચાલુ હોય છે) કિન્તુ ઉદયાવલિકા બહાર હોય છે. ત્યાર પછી કોઇ તફાવત હોતો નથી.
૫૦ વેદ સાથે માયોદયારૂઢ જીવના વિધિમાં તફાવત :- ક્રોધોદયારૂઢ જીવને ક્રમશઃ ક્રોધ, માન અને માયાની જેટલી પ્રથમ સ્થિતિ થાય એટલી માયોદયારૂઢજીવને પહેલેથી જ માયાની થાય. માયાને ભોગવતાં જ ક્રોધ, માન અને માયાને ઉપશમાવે છે. પછી લોભને ઉપશમાવવામાં કોઇ તફાવત નથી. પડતી વખતે લોભવેદનકાળમાં કોઇ ભિન્નતા હોતી નથી. માયાનો ઉદય થાય ત્યારથી જ શેષકર્મોને તુલ્ય ગુણશ્રેણિ કરે અને શેષ-શેષમાં નિક્ષેપ કરે. માયાને ભોગવતાં ભોગવતાં જ યથાક્રમ માન, ક્રોધને સ્વકાળે અપવર્તી ઉદયાવલિકા બહાર ગુણશ્રેણિ કરે ...... શેષ ક્રોધારૂઢવતું
લોભથી શ્રેણિમાંડનાર જીવના વિધિમાં તફાવત :- ક્રમશઃ ક્રોધ, માન,માયા અને બાદરલોભની જેટલી પ્રથમસ્થિતિ હોય એટલી અંતરકરણ કરે ત્યારથી જ સંજવલોભની પ્રથમસ્થિતિ કરે. એને ભોગવતા ક્રમશઃ ક્રોધ, માન, માયાને ઉપશમાવે, પછી પડતી વખતે ૯મે આવે ત્યાં સુધી કોઇ તફાવત હોતો નથી. માના પ્રથમસમયથી જ ત્રણ લોભની શેષકર્મોને તુલ્ય ગુણશ્રેણિ કરે છે. લોભને વેદતાં વેદતાં જ યથાક્રમે શેષ કષાયને અનુપશાંત કરી અપવર્તે છે અને શેષકર્મો ને તુલ્ય ઉદયાવલિકા બહાર ગુણશ્રેણિ કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org