SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપશમનાકરણ ૨૭૩ ના (૨૩) હજારો સ્થિતિબંધ બાદ માનોદયનો ચરમસમય આવે ત્યારે સ્થિતિબંધ - સંજવલન - અંતર્મ ન્યૂન ૮ મહિના, શેષ - ૬ કર્મોનો - સંખ્યાતા હજાર વર્ષો (૨૪) પછીના સમયે ૩ ક્રોધને અપકર્ષે છે. સંજ્વલન ક્રોધની ઉદય સમયથી અને શેષ બે ક્રોધની તેમજ અન્ય ૯ કષાયોની ઉદયાવલિકા બહાર ગણશ્રેણિ કરે છે. બારેય કષાયોનો ગુણશ્રેણિ નિક્ષેપ જ્ઞાનાતુ આદિ શેષકર્મોને તુલ્ય થાય છે. અને તેથી બારે કષાયોનો શેષ કર્મોની જેમ શેષ-શેષમાં નિક્ષેપ થાય છે. (પ્રથમ સમયે કરેલી ગુણશ્રેણિનું શીર્ષ સ્થિર રહે અને પછીના સમયમાં એ જ શીર્ષને શીર્ષ તરીકે રાખી નીચેથી ૧-૧ સમય કપાતો જતો હોવાથી શેષ-શેષ આયામમાં ગુણશ્રેણિ નિક્ષેપ થાય એને શેષ-શેષમાં નિક્ષેપ થયો કહેવાય છે. (૨૫) પ્રથમસમય ક્રોધવેદકને બારે કષાયોનો ૪ સંજવલનમાં સંક્રમ હોય છે. (૨૬) ત્યારે સ્થિતિબંધ –સંજવલન ૪-૮ મહિના, શેષ ૬ કર્મોના - સંખ્યાતા હજાર વર્ષો (૨૭) સંખ્યાતા હજારો સ્થિતિબંધ પછી મોહનીયના ચતુર્વિધબંધનો ચરમ સમય આવે છે. એ વખતે સ્થિતિબંધ સંવલન - ૪ - અંતર્મુ-ન્યૂન ૬૪ વર્ષ, શેષ ૬ કર્મોનો –સંખ્યાતા હજાર વર્ષો. (૨૮) પછીના સમયે પુવેદના બંધ ઉદયનો પ્રારંભ થાય છે. (૨૯) એ જ સમયે સાતે નોકષાયોનો સર્વોપશમ પરિણામ નષ્ટ થઇ જાય છે. અને અપવર્તનાથી પુવેદની ઉદય સમયથી અને શેષ ૬ કર્મોની ઉદયાવલિકા બહાર ગુણશ્રેણિ થાય છે. બાર કષાયો અને જ્ઞાનાવરણાદિ-૬ કર્મોની ગુણશ્રેણિ જેટલી જ આ ૭ની પણ ગુણશ્રેણિ થાય છે. તેમજ શેષ-શેષમાં નિક્ષેપ થાય છે. (૩૦) સવેદીના પ્રથમ સમયે સ્થિતિબંધ પુવેદ - ૩૨ વર્ષ, ૪ સંજ્વ૦ - ૬૪ વર્ષ, શેષ ૬ કર્મોનો – સંખ્યાતા હજાર વર્ષો. (૩૧) આ પ્રથમ સમયથી ૫૦વેદ અનુપશાંત છે. સ્ત્રીવેદ હજુ ઉપશાંત છે. એ પણ અનુપશાંત થાય એ સમયથી પૂર્વના સમય સુધીના સવેદીપણાના કાળના સંખ્યાતા બહુભાગ પસાર થાય ત્યારે નામ, ગોત્ર અને વેદનીયકર્મનો અસંતુ વર્ષ સ્થિતિબંધ થાય છે. (૩૨) ત્યારે અલ્પબદુત્વ મોહનીય - અલ્પ, જ્ઞાના૦૩ - S, નામ ગોત્ર - a, વેદનીય - V. (૩૩) હજારો સ્થિતિબંધ બાદ એક જ સમયમાં સ્ત્રીવેદ અનુપશાંત થઇ જાય છે તેની ઉદયાવલિકા બહાર શેષકર્મોને તુલ્ય ગુણશ્રેણિ થાય છે શેષ-શેષમાં નિક્ષેપ થાય છે. (૩૪) સ્ત્રીવેદ જે સમયે અનુપશાંત થયો તે સમયથી, નપુસંકવેદ અનુપશાંત થવાના સમય સુધીના વચલા કાળના સંખ્યાત બહુભાગ પસાર થાય ત્યારે જ્ઞાનાd૩નો અસંતવર્ષ સ્થિતિબંધ થાય છે. એ વખતે સ્થિતિબંધનું અલ્પબદુત્વ મોહનીય - અલ્પ, જ્ઞાના૦૩ - 2, નામ ગોત્ર - a, વેદનીય - V. (૩૫) જે સમયથી જ્ઞાના૦૩નો અસંવર્ષ સ્થિતિબંધ થાય છે એ જ સમયથી કેવલદ્ધિક વિનાની જ્ઞાના૦૧૨નો(દેશઘાતી) બે ઠo રસ બંધાવાનો શરૂ થાય છે. (૩૬) સંખ્યાતા હજારો સ્થિતિબંધ પછી નપુંવેદ અનુપશાંત થાય છે. ઉદયાવલિકાની બહાર શેષકર્મોને તુલ્ય ગુણશ્રેણિ ન થાય છે. ' (૩૭) નપું વેદ અનુપશાંત થવાના સમયથી માંડીને અંતરકરણક્રિયાનો કાળ ન આવે ત્યાં સુધીના કાળના સંખ્યાતા બહુભાગ ગયે મોહનીયનો પણ અસંવર્ષ નો બંધ થાય છે. ત્યારથી જ મોહનીયના ૨ ઠાd રસના બંધ ઉદય પ્રવર્તે છે. આ વખતે સ્થિતિબંધમાં અલ્પબદુત્વ :- મોહનીય - અલ્પ, જ્ઞાના ૩ - 2, નામ-ગોત્ર - 8, વેદનીય - V. (૩૮) પ્રતિપતમાન બધા જીવોને ઉદીરણા માટે ૬ આવલિકાનો નિયમ હોતો નથી. બંધાવલિકા વીત્યે ઉદીરણા થાય છે. ૯મા ગુણઠાણાથી મોહનીયનો અનાનુપૂર્વી સંક્રમ હોવાથી લોભનો પણ સંક્રમ હોય છે. (૩૯) હજારો સ્થિતિબંધ પછી વિર્યાન્તરાયનો સર્વધાતી રસ બંધાય છે. સ્થિતિબંધ પૃથકત્વ પછી મતિ, ઉપભોગા સર્વઘાતી રસ બંધાય. સ્થિતિબંધ પૃથકૃત્વ પછી ચક્ષુ સર્વઘાતી બંધાય. સ્થિતિબંધ પૃથકત્વ પછી શ્રત- અચક્ષુભોગા સર્વઘાતી બંધાય. સ્થિતિબંધ પૃથકત્વ પછી અવધિદ્ધિક લાભાઇ સર્વઘાતી બંધાય. સ્થિતિબંધ પૃથકૃત્વ પછી મનપર્યવ દાના, સર્વઘાતી બંધાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005573
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy