________________
૨૪૮
કર્મપ્રકૃતિ ભાગ-૨ અનુભાગ અધિક કિટ્ટિને વિશેષહીન ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી પ્રથમ સમયે કરેલ કિઠ્ઠિઓની મધ્યમાં સર્વ ઉત્કૃષ્ટ કિટ્ટિ પૂર્ણ થાય. આ જ રીતથી સર્વ પણ સમયો વિષે દરેક કિટ્ટિ સમુદાયમાં કહેવું.
अणुभागोणंतगुणो, चाउम्मासाइ संखभागूणो । मोहे दिवसपुहुत्तं, किट्टीकरणाइसमयम्मि ॥ ५१ ॥ अनुभागोऽनन्तगुण - चातुर्मासिकात् संख्येयभागोनः ।
मोहे दिवसपृथक्त्वं, किट्टीकरणादिसमये ॥ ५१ । ગાથાર્થ - પ્રતિ સમયમાં કિઠ્ઠિઓનો અનુભાગ અનુક્રમે અનંતગુણ કહેવો, અને મોહનીયના ચાતુર્માસિક સ્થિતિબંધથી આગળના અન્ય સ્થિતિબંધો સંખ્યાતભાગહીન થતાં કિટ્ટિકરણાદ્ધાના પ્રથમ સમયે દિવસ પૃથકત્વનો સ્થિતિબંધ થાય.
ટીકાર્થ - પ્રથમ સમયે કિહિનો અનુભાગ:- પ્રથમ સમયે કરેલ કિઠ્ઠિઓનો અનુભાગ અનુક્રમે અનંતગુણ કહેવો. તે આ પ્રમાણે કહે છે. - પ્રથમ સમયે કરેલ કિઢિઓની મધ્યમાં જે સર્વ મન્દ અનુભાગ કિષ્ટિ છે તેનો અનુભાગ સર્વથી અલ્પ છે, તેથી બીજી કિટ્ટિમાં અનુભાગ અનંતગુણ, તેથી પણ ત્રીજી કિટ્ટિમાં અનુભાગ અનંતગુણ, એ પ્રમાણે ત્યાં સુધી કહેવું જ્યાં સુધી પ્રથમ સમયે કરેલ કિઠ્ઠિઓની મધ્યમાં સર્વ ઉત્કૃષ્ટ કિટ્ટિ થાય. અને પંચસંગ્રહ ઉપશમનાકરણની ગાથા-૭૯માં કહ્યું છે. “ગામવેયાન મંડળ રસ ગાળો' - પહલે સમયે કરાયેલી જઘન્ય રસવાળી કિટ્ટિથી માંડીને સર્વોત્કૃષ્ટ રસવાળી કિટ્ટિ પર્યત ઉત્તરોત્તર અનંતગુણ રસ કહેવો. એ પ્રમાણે બીજા સમયાદિ વિષે રહેલ પણ કિટ્ટિઓની પ્રરૂપણા કરવી.
કિષ્ક્રિના પ્રદેશોનું અલ્પબહુત :- હવે આ જ કિઠ્ઠિઓના પરસ્પર પ્રદેશોનું અલ્પબદુત્વ કહે છે. પ્રથમ સમયે કરેલ કિઓિની મધ્યમાં જે સર્વ ઉત્કૃષ્ટ પ્રદેશવાળી કિટ્ટિ છે તેના અલ્પ પ્રદેશો છે. તે અપેક્ષાએ બીજા સમયે કરેલ કિટ્ટિની મધ્યમાં જે સર્વ અલ્પ પ્રદેશવાળી કિટ્ટિ તેના પ્રદેશો અસંખ્યયગુણ, એ પ્રમાણે ત્યાં સુધી કહેવું જ્યાં સુધી અન્ય સમય
આવે.
અનુભાગ અપેક્ષાએ અલ્પબહુત્વઃ- અને અનુભાગ અપેક્ષાએ પ્રથમ સમયે કરેલ કિષ્ટિઓની મધ્યમાં જે સર્વ મન્દ અનુભાગવાળી કિટ્ટિ છે તેનો સર્વે ઉત્કૃષ્ટ અનુભાગ, તેથી બીજા સમયે કરેલ કિઠ્ઠિઓની મધ્યમાં જે સર્વ ઉત્કૃષ્ટ અનુભાગવાળી કિષ્ટિ તેનો અનુભાગ અનંતગુણહીન, તેથી પણ ત્રીજા સમયે કરેલ કિટ્ટિઓની મધ્યમાં જે સર્વ ઉત્કૃષ્ટ અનુભાગ તે અનંતગુણહીન, એ પ્રમાણે ત્યાં સુધી કહેવું જ્યાં સુધી અન્ય સમય આવે.
નૉ - મોહનીયકર્મમાં સંજ્વલનનો ચાર માસનો સ્થિતિબંધ શરૂ કરીને અન્ય અન્ય સ્થિતિબંધ સંખ્યયભાગ હીન હિનતર ત્યાં સુધી કહેવો જ્યાં સુધી કિટ્રિકરણાદ્ધાના પ્રથમ સમયે દિન પૃથકત્વ પ્રમાણ સ્થિતિબંધ થાય. અને તે તે સ્થિતિબંધ પ્રાય: તે જ પ્રમાણે સ્થાને કહ્યો છે. (ચિત્ર નંબર ૧૮ જુઓ)
भिन्नमुहुत्तो संखेज्जेसु य, घाईण दिणपुहुत्तं तु । वाससहस्सपुहुत्तं, अन्तो दिवसस्स अंते सिं ।। ५२ ।। वाससहस्सपहुत्ता, बिवरिसअन्तो अघाइकम्माणं । નમસ્ત ગુવાસંd, વિટ્ટીગો જે ૨ વૃત્ત . ૧૨ || भिन्नमुहूर्तः संख्येयेषु च, घातिना दिनपृथक्त्वं तु । वर्षसहस्रपृथक्त्व - मन्तर्दिवसस्याऽन्ते तेषाम् ।। ५२ ॥ वर्षसहस्रपृथक्त्वाद्, द्विवर्षान्तोऽघातिकर्मणाम् ।
लोभस्याऽनुपशान्तं, किट्टयो यच्च पूर्वोक्तम् ।। ५३ ॥ ગાથાર્થ :- સંખ્યાત સ્થિતિબંધ વ્યતીત થયે સંજ્વલન લોભનો અંતર્મુહૂર્ત સ્થિતિબંધ થાય છે, અને ઘાતિકર્મોનો ઘણાં દિવસ પ્રમાણ તથા નામ-ગોત્ર-વેદનીયનો ઘણાં હજાર વર્ષ પ્રમાણ સ્થિતિ બંધ થાય છે. પુનઃ કિકિરણોદ્ધાના અન્ત એ ત્રણે કર્મોનો અનુક્રમે અંતર્મુહૂર્ત અંતર્દિવસ. | પર છે .
તથા અઘાતિ કર્મોના ઘણાં હજાર વર્ષ પ્રમાણથી હીન હીનતર થતો અન્ય સમયે સ્થિતિબંધ બે વર્ષથી ન્યૂન થાય છે. તથા સંજ્વલન લોભની જે પૂર્વોક્ત (સમયોનાવલિકા દ્વિકબદ્ધ) અને કિકિત દલિક તે અનુપશાત્ત છે. | પ૩ |
પર
અહીં કારણનો વિચાર કરીએ તો ઉત્તરોત્તર સમયે પરિણામની નિર્મળતા હોવાથી રસ ઓછો ઓછો થાય છે. તથાસ્વભાવે અલ્પ રસવાળા દલિકો વધારે હોય છે, અને અધિક રસવાળા દલિકો અલ્પ હોય છે, તેથી પૂર્વ પૂર્વ સમયથી ઉત્તરોત્તર સમયના દલિકનું પ્રમાણ વધારે કહ્યું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org