SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ કર્મપ્રકૃતિ ભાગ -૨ તેથી આગળ હજારો સ્થિતિબંધ ગયે છતે મોહનીયનો સ્થિતિબંધ પલ્યોપમ પ્રમાણ થાય છે. પછી મોહનીયનો અન્ય સ્થિતિબંધ સંખ્યયગુણહીન પ્રવર્તે છે. અને ત્યારે બાકીના કર્મનો પલ્યોપમનો સંખ્યયભાગ પ્રમાણ સ્થિતિબંધ થાય છે. અહીં આ અલ્પબદુત્વ છે. નામ-ગોત્રની સ્થિતિસત્તા સર્વથી અલ્પ, જ્ઞાનાવરણ-દર્શનાવરણ–વેદનીય-અંતરાય એ ૪ કર્મની સંખ્યયગુણ, પોતાના સ્થાને પરસ્પર સમાન, તેથી પણ મોહનીયની સંખ્યયગુણ છે. “મોદસ વાવ પન્ન સંબમા-” ત્તિ જ્યાં સુધી મોહનીયનો પલ્યોપમ માત્ર સ્થિતિબંધ ન થાય ત્યાં સુધી પૂર્વ કહેલ રીતે સર્વ પણ મોહનીયનો ચિતિબંધ પલ્યોપમના સંખ્યાતમા ભાગે હીન હીનતર જાણવો. અને પલ્યોપમ માત્ર સ્થિતિબંધ થયે છતે અન્ય સ્થિતિબંધ સંખ્ય ગુણહીન કરે છે, અને આ પહેલાં જ કહ્યું છે. અને આ મોહનીયના સંખ્યયગુણહીન સ્થિતિબંધથી પછી ઘણાં સ્થિતિબંધ ગયે છતે મોહનીયનો પણ સ્થિતિબંધ પલ્યોપમના સંખ્યામાં ભાગ માત્ર થાય છે. અને ત્યારે જે થાય છે તે કહે છે... “મોડા તો બાવરમસંવત્યાદિત' રિ- તેથી સર્વ કર્મોનો પલ્યોપમના સંખ્યયભાગ માત્ર સ્થિતિબંધ પછી અનન્તર મારે' આ દ્વિવચનના તાત્પર્યથી મોહનીય સિવાય નામ-ગોત્રનું ગ્રહણ કર્યું છે. ફક્ત વિશેષ એ છે કે અન્યસ્થિતિબંધને આશ્રયીને અસંખ્ય ગુણ હીન થાય છે. નામ-ગોત્રનો અન્યસ્થિતિબંધ અસંખ્યયગુણહીન કરે છે, અને બાકીના કર્મોનો સંખ્યયગુણહીન કરે છે, એ પ્રમાણે અર્થ છે. અહીં સ્થિતિસત્તાની અપેક્ષાએ અલ્પબહુત વિચારે છે.... નામ-ગોત્રની સ્થિતિસત્તા સર્વથી અલ્પ છે, તેથી જ્ઞાનાવરણ-દર્શનાવરણ વેદનીય અને અંતરાય એ ૪ કર્મની સ્થિતિસત્તા અસંખ્ય ગુણ, સ્વસ્થાનમાં પરસ્પર તુલ્ય, તેથી પણ મોહનીયની સ્થિતિસત્તા સંખ્યયગુણ છે. તદનંતર હજારો સ્થિતિઘાત ગયે છતે જ્ઞાનાવરણ-દર્શનાવરણ-વેદનીય-અંતરાય એ ૪ કર્મોનો સ્થિતિબંધ અસંખ્યયગુણહીન થાય છે. ત્યારે સ્થિતિસત્તાને આશ્રયીને આ પ્રમાણે અલ્પબદુત્વ છે. નામ-ગોત્રની સ્થિતિસત્તા સર્વથી અલ્પ, તેથી જ્ઞાનાવરણાદિ-૪ની સત્તા અસંખ્યયગુણ, સ્વસ્થાનમાં પરસ્પર તુલ્ય, તેથી મોહનીયની સત્તા અસંખ્ય ગુણ છે.. " તદનંતર હજારો સ્થિતિઘાત ગયે છતે “પારેખ તીસામણો રેત્તિ- એટલે કે એક પ્રહારથી ક્રીડામાત્રથી અર્થાતુ એકી વખતે ૩૦ કોડાકોડી સાગરોપમની સ્થિતિસત્તાવાળા જે જ્ઞાનાવરણ-દર્શનાવરણ-વેદનીય-અંતરાય એ ૪ કર્મની સ્થિતિસત્તાથી પણ નીચે મોહનીયકર્મનો સ્થિતિબંધ અને સત્તાને આશ્રયીને અસંખ્યયગુણહાનિ થાય છે, અહીં બીજો કોઇ વિકલ્પ કરવો નહીં. કારણ કે પૂર્વે પણ મોહનીયકર્મની સ્થિતિસત્તા જ્ઞાનાવરણીયાદિની આગળ સ્થિતિસત્તાથી અસંખ્યયગુણ ઉપર હતી, વળી હંમણા અસંખ્યયગુણહીન થઇ. આ મોટા સ્થિતિખંડનું અપવર્તન થયું છે એ પ્રમાણે ભાવ છે. અહીં અલ્પબહુત કહે છે. નામ-ગોત્રની સ્થિતિસત્તા સર્વથી અલ્પ, તેથી મોહનીયની અસંખ્ય ગુણ, તેથી પણ જ્ઞાનાવરણાદિ-૪ ની અસંખ્યયગુણ છે. તદનંતર હજારો સ્થિતિબંધ ગયે છતે “વીસ ૨' રિ એટલે મોહનીયનો સ્થિતિબંધ એકી સાથે જ ૨૦ કોકોસા ની સ્થિતિવાળા નામ-ગોત્રથી પણ નીચે અસંખ્યયગુણહીન સ્થિતિબંધ થાય છે. અહીં સ્થિતિબંધને આશ્રયીને અલ્પબદુત્વ વિચારે છે. મોહનીયનો સ્થિતિબંધ સર્વથી અલ્પ, તેથી નામ-ગોત્રનો અસંખ્યયગુણ, સ્વસ્થાનમાં પરસ્પર તુલ્ય, તેથી જ્ઞાનાવરણીયાદિ ૪ કર્મનો અસંખ્ય ગુણ, સ્વસ્થાનમાં પરસ્પર તુલ્ય છે. તદનંતર કેટલાક હજારો સ્થિતિબંધ ગયે છતે “રા િત રત્તિ- એટલે ત્રીજા વેદનીયકર્મની સ્થિતિસત્તાની અપેક્ષાએ ૩૦ કોકોસા વાળા જ્ઞાનાવરણ-દર્શનાવરણ-અંતરાયથી અધિક થઇ જાય છે, તે આ પ્રમાણે કહેવાય છે. મોહનીય-નામ-ગોત્ર એ ૩ કર્મની સ્થિતિસત્તાને આશ્રયી પૂર્વે ૩૦ કોકો સાવ વાળા જ્ઞાનાવરણાદિની સ્થિતિસત્તાથી હીન સ્થિતિસત્તાવાળા થયા, હંમણા ૩૦ કોકોસાતુ ની મધ્યમાં જ્ઞાનાવરણ-દર્શનાવરણ-અંતરાય એ ૩ કર્મ વેદનીયની સ્થિતિસત્તાથી હીન થયા, તેથી તે વેદનીય સર્વાધિક સત્તાવાળું થયું. અને તે પછી તરત જ વેદનીયનો અન્યસ્થિતિબંધ બાકીના સર્વ કર્મથી પણ અસંખ્ય ગુણ થાય છે. અહી સ્થિતિબંધને આશ્રયીને અલ્પબદુત્વ કહે છે. મોહનીયનો સ્થિતિબંધ સર્વથી અલ્પ, તેથી નામ-ગોત્રનો અસંખ્યયગુણ, સ્વસ્થાને પરસ્પર તુલ્ય, તેથી પણ જ્ઞાનાવરણ-દર્શનાવરણ-અંતરાયનો અસંખ્યયગુણ, સ્વસ્થાનમાં પરસ્પર તુલ્ય, તેથી પણ વેદનીયનો અસંખ્યયગણ સ્થિતિબંધ છે. ૩૩. અહીં પહેલાં જ્ઞાનાવરણીયાદિ કરતાં મોહનીયકર્મની સત્તા અને બંધ અસંખ્ય ગુણ થતા હતા, હવે પ્રબળ શુદ્ધ અધ્યવસાયના યોગે એકદમ સત્તામાંથી મોટો સ્થિતિઘાત કરી સત્તા ઓછી કરી નાંખે છે, તેમજ બંધમાંથી સ્થિતિ ઘટાડી બંધ પણ ઓછો કરે છે, એટલે મોહનીયના બંધ અને સત્તાથી જ્ઞાનાવરણાદિનો બંધ અને સત્તા અસંખ્ય ગુણ થાય છે. અહીં કેટલાક આચાર્યો બંધ જ સંખ્યાતગુણહીન માને છે, સત્તા નહીં. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005573
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy