________________
૨૧૬
કર્મપ્રકૃતિ ભાગ-૨
તેઓ મિથ્યાત્વરૂપી વાદળના સમૂહને વિખેરી નાંખવા માટે પ્રચંડ પવન પુર સમાન, કાસકુસુમના સમૂહ જેવા નિર્મલ યશના સમૂહથી ભરેલ છે ભુવનતલને જેમણે એવા) ભુવનતલને ભરનાર, // ૫ // ભુવનતલને વિષે ધન(ભંડાર) સમાન અને પવિત્ર તથા દેવોથી સેવાયા છે ચરણ કમલ જેમના એવા, તથા પંચાચારરૂપી કમલોના પદ્મદ્રહ જેવા, || ૬ | કરૂણારૂપી ગંગા ઉત્પત્તિ માટે હિમવંત પર્વત સમાન, નિરવદ્ય વચનરૂપી મણિઓની ખાણ સમાન, વૈરાગ્યના સમૂહના માર્ગ ઉપર પ્રવૃત થયેલ લોકો માટે રથ સમાન, // ૭ | પરહિત ચિંતારૂપી ચંદનવનની શ્રેણિના આધારભૂત મલયગિરિ સમાન જેમનો સ્વભાવ છે તેવા, ગુણવાન લોકોરૂપી દેશ વિષે બહુમાન કરવારૂપી ઔષધી માટે રોહણગિરિની ભૂમિ જેવા, || ૮ || ચારિત્ર-જ્ઞાન-દર્શનરૂપી ફળ માટે લોલુપ એવા મુનિવરોરૂપી પંખીઓ માટે મેરુપર્વતના વન સમાન, શરીરમાં લીન એવા ગણધરના ૩૬ ગુણોને હંમેશા ધારણ કરનાર, II & II વિકરાળ પરિષહ ઇન્દ્રિય અને કષાય ઉપર મેળવેલા વિજયથી પ્રાપ્ત કરેલ માહાત્મવાળા, શાસના પરમાર્થોને પ્રગટ કરવા વડે બધા લોકોના અજ્ઞાનનો નાશ કરનાર, | ૧૦ | હિંસાની હિંસા કરનાર, દોષને દોષિત કરનાર રોષ ઉપર રોષ કરનાર, ગરિમાથી મેરુપર્વતને જિતનાર એવા મારા ગુરુ શ્રી મુનિચંદ્રસૂરીશ્વરજી મહારાજને હું વંદન કરું છું. / ૧૧ ||
मुणिचंदसूरि गणहर-गुणाण अंतो न लब्भए तुम्ह ।
किं वा सयंभुरमणे, जलप्पमाणं मुणइ कोई ? ।। १२ ।। હે મુનિચંદ્રસૂરીશ્વરજી મહારાજ !તમારા( = તમો ધારણ કરેલ) ગણધરના (આચાર્યના) ગુણોનો છેડો મળતો નથી. સ્વયંભૂરમણા સમુદ્રના પાણીનું પ્રમાણ શું કોઇ જાણી શકે ? ૧૨
भवभीरुजीवसंतोसदाइणी तुम्ह मुणिवरपवित्ती ।
ગરવા ર્વિતારયપ, વેર્સિ નટુ ગાડુ વત્તા ? | ૧૨ ને. તમારી મુનિની શ્રેષ્ઠ પ્રવૃત્તી ભવભીરૂ જીવોને સંતોષ આપનાર હતી. અથવા ચિંતામણી રત્ન કોનું કલ્યાણ નથી કરતું? ૧૩.
जा तुम्ह धीरिमा धीर ! कावि नत्रत्य तं पलोएमि ।
लच्छीकमलपरिमलो, किमन्न नलिणाई अल्लियइ ? ॥ १४ ।। ધીર પુરુષ!તમારી જે ધીરતા છે તે ધીરતાને બીજે ક્યાંય પણ અમે જોતા નથી. લક્ષ્મીદેવીના કમલની સુગંધ શું અન્ય કમલોનો આશ્રય કરે ? ૧૪ |
जह मच्छरस्स पसरो, तुमए निहओ तहा न अनेण ।
वणगहणं जह चूरइ, मत्तकरी नो तहा ससओ ।। १५ ।। માત્સર્યનો વિલાસ જે રીતે તમે હણી નાંખ્યો તે રીતે બીજા કોઇએ હણેલો નથી. મદથી ઉન્મત્ત હાથી ગહનવનને જેમ ચૂરી નાંખે તેમ સસલુ ચૂરી ન નાંખે.// ૧૫TI
उवसमजलेण तुमए, विज्झविओ रोसदारुणदवग्गी ।
विणयंकुसेण अहिमाणमयगलो निग्गहं नीओ ॥ १६ ॥ ઉપશમભાવના જલ વડે તમે ગુસ્સાનો ભયંકર દાવાનલ બુઝવી દીધો. વિનયરૂપી અંકુશ વડે અભિમાનરૂપી મદને ઝળતો હાથી નિયંત્રિત કર્યો. ૧૬ II.
विसवल्लरीव माया, पसरंती लूरिया तुमे नाह ! ।
उब्भडकरालकरवालतिक्खधारापओगेण ।। १७ ।। હે સ્વામી તમારે વડે વિષ વેલડીની જેમ ફેલાતી માયા ઉગ્ર અને ભયંકર તલવારની તીક્ષ્ણ ધારા સમાન (સરળતાના) પ્રયોગ દ્વારા કાપી નંખાય.૧૭
बहुविहवियप्पकल्लोलसंकुलो लोहजलनिही सामी ! ।
संतोसवाडवानल-वसेण सोसं तुहं पत्तो ॥ १८ ॥ હે સ્વામી! તમે સંતોષરૂપી વડવાનલના પ્રભાવથી અનેક પ્રકારના વિકલ્પરૂપી કલ્લોથી વ્યાપ્ત લોભરૂપી સાગર શોષી નાંખ્યો. ૧૮ (અનુસંધાણ પે.નં.-૨૩૩)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org