SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપશમનાકરણ ૨૧૫ ત્યાર પછી બીજું સ્થિતિખંડ અંતર્મુહુર્ત પ્રમાણ પૂર્વના કરતાં અસંખ્યયગુણ ઉવેલ અને ઉવેલીને પૂર્વ કહેલ પ્રકારથી ઉદય સમયથી શરૂ કરીને નાંખે છે. એ પ્રમાણે પૂર્વ પૂર્વ કરતાં અસંખ્યયગુણ અંતર્મુહૂર્ત પ્રમાણવાળા અનેક સ્થિતખંડોને ઉવેલ અને નાખે છે તે ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી દ્વિચરમ (ઉપાજ્ય) સ્થિતખંડ રહે. અને દ્વિચરમ સ્થિતિખંડથી અન્ય સ્થિતિખંડ સંખ્યયગુણ છે. અને તે અન્ય સ્થિતિખંડથી નાશ કરતાં ગુણશ્રેણિનો સંખ્યયભાગ ખંડે છે. અને તે ઉપરની બીજી સ્થિતિઓ સંખ્યાતગુણ છે તેને ઉકેલે છે, ચરમખંડ તેટલાં પ્રમાણવાળો હોવાથી અને ઉવેલીને દલિકને ઉદય સમયથી શરૂ કરીને અસંખ્યયગુણપણે નાંખે છે. તે આ પ્રમાણે-ઉદય સમયે અલ્પ, તેથી બીજા સમયે અસંખ્યયગુણ તેથી પણ ત્રીજા સમયે અસંખ્ય ગુણ, એ પ્રમાણે ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી ગુણશ્રેણિના શિર આવે. અહીથી આગળ તો અન્ય સ્થિતિખંડની ઉસ્કિરણા થવા માંડી છે, એટલે તેના પ્રક્ષેપના આધારભૂત કોઇપણ છે નહીં, તેથી પૂર્વ કહેલ દલિકને કયાંય પણ પ્રક્ષેપે નહીં. અને તે અન્ય સ્થિતિખંડ ઉત્કીર્ણ થયે છતે તે ક્ષેપક કૃતકરણ કહેવાય છે. તેથી મૂળ ગાથામાં કહ્યું છે. “યવનપાલા; ને રોડ'' પશ્ચિમ = અન્ય ખંડ ઉત્કીર્ણ થયે છતે કતકરણ અદ્ધા(કાળ) માં વર્તતો કૃતકરણ થાય છે. અને આ કતકરણ અદ્ધામાં વર્તતો કોઇ જીવ કોલ કરીને ચારે ગતિમાંથી કોઇપણ ગતિમાં ઉત્પન્ન થાય છે. લેશ્યા પણ પૂર્વ ફલ જ હતી, અને હવે તે કોઇપણ વેશ્યાને પ્રાપ્ત કરે છે. તેથી તેનો પ્રસ્થાપક મનુષ્ય છે, પરંતુ નિષ્ઠાપક = અર્થાતુ પૂર્ણ કરનાર તો ચારે ગતિવાળા જીવો છે. અને કહ્યું છે “દત ૩ મો દિવો રોડ પર રિ ” (અર્થ :- પ્રસ્થાપક મનુષ્ય છે અને નિષ્ઠાપક તો ચારે પણ ગતિમાં હોય છે.) વળી જો ત્યારે જ કાલ ન કરે તો સમ્યકત્વનો શેષ રહેલ ભાગ ભોગવી ક્ષાયિક સમ્યગુદષ્ટિ થયો છતો ઉપશમશ્રેણિ કે ક્ષપકશ્રેણિ ચઢે છે. ત્યાં જે જીવે વૈમાનિકનું જ આયુષ્ય બાંધેલ હોય તો સપ્તકનો ક્ષય કરનાર ઉપશમશ્રેણિ કરે છે, અને આયુષ્ય ન બાંધ્યું હોય તો ક્ષપકશ્રેણિ કરે છે. બીજી કોઇ ગતિનું આયુષ્ય બાંધેલ હોય તો કોઇપણ શ્રેણિ શ્રેણિકાદિની જેમ ન કરે તેમ જાણવું. ' હવે દર્શનસપ્તકનો ક્ષય થયેલ ક્ષાયિક સમ્યકત્વી થયેલ અન્ય ગતિને પામેલ જીવ કેટલામા ભવે મોક્ષ પામે છે ? તો કહે છે-ત્રીજા કે ચોથા ભવે. તે આ પ્રમાણે સ્વર્ગ કે નરકમાં જાય તો સ્વર્ગ કે નરકથી અવીને ત્રીજા ભવે મોક્ષ પામે છે. અને જો તિર્યંચ કે મનુષ્યને વિષે ઉત્પન્ન થાય તો અવશ્ય અસંખેય આયુષ્ય(યુગલીક) ને વિષે ઉત્પન્ન થાય, પણ સંખ્યય વર્ષના આયુષ્યને વિષે ઉત્પન્ન ન થાય. પછી ત્યાંથી દેવભવમાં જાય, તે દેવભવથી આવીને મનુષ્યભવ પામીને મોક્ષમાં જાય છે. તેથી ચોથા ભવે મોક્ષગમન થાય છે. અને પંચસંગ્રહ ઉપશમનાકરણ ગાથા-૪૭માં કહ્યું છે. રવિંચે નિ ૧ મન સિત્ત હંસને લીધે જ સેવિડસંવIઉત્તરમદે તે હુતિ ” ( અર્થ :- દર્શનસપ્તક ક્ષય કર્યા બાદ ત્રીજા, ચોથા કે તેજ ભવમાં મોક્ષમાં જાય છે. કારણ કે દેવ-નારકી, અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા કે ચરમ દેહમાં તેઓ હોય છે.) અહીં ત્રીજા ભવમાં મોક્ષગમન દેવ-નારક મધ્યમાં ઉત્પન્ન થયેલા અને ચોથા ભવમાં અસંખ્યય વર્ષમાં ઉત્પન્ન થયેલ અને ચરમ દેહી તે જ ભવમાં મોક્ષગમન જાણવું. અને આ પ્રાયઃવૃત્તિથી કહ્યું છે, કારણ કે દર્શનસપ્તકનો ક્ષય થયેલ જીવ કૃષ્ણના પાંચ ભવ પણ મોક્ષગમનના સંભળાય છે. અને કહ્યું છે “રવાર નરમનિ તેવો ડોળ ઉમે છે ! તો સુબો સનાળો વારસો મનમતિત્ય ' રતિ- ( અર્થ :- નારકી ત્યાંથી મનુષ્ય ત્યાંથી પાંચમા કલ્પે દેવ થાય છે. ત્યાંથી આવીને બારમા અમમ તીર્થંકર (ભરત ક્ષેત્રમાં) થશે.) એ પ્રમાણે દુષ્પહસૂરીશ્વર આદિને પણ ક્ષાયિક સમ્યકત્વ આગમમાં કહેલાં છે. એ પ્રમાણે યથાગમ વિચારવું (યંત્ર નં ૧૫ જુઓ) -: ઇતિ પમું દર્શનમોહનીય ક્ષપણા દ્વાર સમાપ્ત - ૨૯ “વમળ વૃતા િરિ વેર-” અર્થાત્ જેણે કરણો પૂર્ણ કર્યા છે તે. કારણ કે અહીં ત્રીજો અનિવૃત્તિકરણ પૂર્ણ થાય છે. ભાયિક સમ્યકત્વી ત્રણ નારક, વૈમાનિક દેવ, અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચ કે મનુષ્ય એમ ચારમાંથી કોઇપણ ગતિમાં પરિણામ અનુસાર ઉત્પન્ન થઈ શકે છે. જેણે સંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્ય તિર્યંચનું, ભવનપતિ, વ્યંતર જ્યોતિષ દેવનું કે ત્રણ નરક સિવાય ૪ થી૭ નારકીનું આયુષ્ય બાંધ્યું હોય તે ક્ષાયિક સમ્યકત્વ ઉત્પન્ન કરી શકતો નથી. કારણ કે શાયિક સમ્યક્ત્વવાળો જીવ મરણ પામી ત્યાં ઉત્પન્ન થતો નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005573
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy