SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ કર્મપ્રકૃતિ ભાગ -૨ | પાલણ (અવિરતાદિના ૮ ભાંગા સ્થાપના યંત્ર નં - ૧૨) નંબર વિશેષ જ્ઞાન વિશેષ મિથ્યાત્વી અવ્રતી સર્વલોકની જેમ મિથ્યાત્વી અવ્રતી બાળતપસ્વીની જેમ. મિથ્યાત્વી અવ્રતી પાસસ્થાની જેમ. મિથ્યાત્વી અવ્રતી અગીતાર્થ મુનિની જેમ સમ્યકત્વી અવ્રતી શ્રેણિક-કષ્ણાદિની જેમ સમ્યકત્વી અવ્રતી અનુત્તરદેવની જેમ ૭ | સમ્યકત્વી અવ્રતી સંવિગ્ન પાક્ષિક મુનિની જેમ | ૮ | સમ્યકત્વી | મહાવ્રતધારી ગીતાર્થ મુનિની જેમ વ્રતોને જાણતો નથી, સ્વીકારતો નથી અને પાળતો નથી, આ પ્રથમ ભાંગો. વ્રતોને જાણે છે, સ્વીકારે છે અને પાળે છે. આ છેલ્લો ભાંગો શેષ ભાંગા આના પરથી જાણી લેવા. (સંજ્ઞા :- X = નથી, ૪ = છે.) ત્યાં પ્રથમના સાત ભાંગાને વિષે વર્તતો જીવ નિશ્ચયથી અવિરત છે. કારણ કે ઘુણાક્ષર ન્યાયે પાલન કરાતા છતાં તે વ્રતો ફલદાયી થતા નથી, પરંતુ સમ્યક જ્ઞાનપૂર્વક સમ્યક્ રીતે ગ્રહણ કરીને પાળેલા વ્રતો જ ફલદાયક થાય છે. ફક્ત આગળ ૪ ભાંગાને વિષે સમ્યક જ્ઞાનનો અભાવ છે, અને પછીના ત્રણ ભાંગાને વિષે સમ્યક જ્ઞાનનો અભાવ નથી. અર્થાત્ સમ્યક જ્ઞાન તો છે પણ સમ્યગુ ગ્રહણ અને પાલનનો અભાવ છે. તેથી પ્રથમના ૭ ભાંગોને વિષે વર્તતાં નિશ્ચયથી અવિરત છે. પરંતુ છેલ્લા ભાંગાને વિષે વર્તતો જીવ દેશવિરતિ થાય છે. કારણ કે દેશથી પણ અવદ્ય એટલે પાપની વિરતિનો સદ્ભાવ છે. અને તે એક વ્રતાદિવાળો એટલે એક વ્રત ગ્રહણ કરનારો, બે વ્રત ગ્રહણ કરનારો ત્યાં સુધી કહેવો જ્યાં સુધી અન્ય દેશવિરતિ-અનુમતિ માત્રને પરિપૂર્ણ ૧૨ વ્રતધારી જીવે સકલ સાવદ્ય પાપ કર્મના પ્રત્યાખ્યાન = ત્યાગ કરેલ છે. ફક્ત અનુમતિ માત્ર પ્રતિસેવક છે. અર્થાત્ સંસારમાં હોવાથી અનુમોદના રહેલી છે. અનુમતિ પણ ત્રણ પ્રકારે છે :- (૧) પ્રતિસેવનાનુમતિ :, (૨) પ્રતિશ્રવણાનુમતિ : અને (૩) સંવાસાનુમતિ : (૧) ત્યાં જે પોતે અથવા બીજાએ કરેલા પાપની શ્લાઘા = નિંદા કરે છે. અથવા સાવદ્ય આરંભથી ઉત્પન્ન થયેલ અશનાદિકનો ઉપભોગ કરે છે, તે પ્રતિસેવનાનુમતિઃ કહેવાય છે. (૨) જ્યારે પુત્રાદિએ કરેલ પાપને સાંભળે છે, અને સાંભળીને અનુમોદન કરે પણ નિષેધ ન કરે તે પ્રતિશ્રવણાનુમતિ : કહેવાય છે. (૩) જ્યારે સાવધ આરંભ પ્રવૃત્ત થયેલ પુત્રાદિને વિષે ફક્ત મમત્વ માત્ર રાખે, તેઓએ કરેલ કાર્યને સાંભરે નહીં, અને શ્લાઘા પણ ન કરે ત્યારે તે સંવાસાનુમતિઃ કહેવાય છે. ત્યાં જે સંવાસાનુમતિ માત્રને જ સેવે છે તે સર્વોત્કૃષ્ટ દેશવિરતિ કહેવાય છે. અને તે સર્વ શ્રાવકોની મધ્યમાં ગુણોથી ઉત્તમ છે. અને જે સંવાસાનુમતિથી પણ વિરત થાય છે તે યતિ કહેવાય છે. દેશવિરતિ અને સર્વવિરતિનો લાભ કેવી રીતે થાય ? તો કહે છે “તો શી” ત્યાદિ-દેશવિરતિ અને સર્વવિરતિ એ બન્નેની પ્રાપ્તિમાં બે કરણ યથાપ્રવૃત્તકરણ અને અપૂર્વકરણ થાય છે. પણ ત્રીજું અનિવૃત્તિકરણ થતું નથી. કારણ કે કરણ કાલથી પૂર્વે પણ અંતર્મુહૂર્ત સુધી દરેક સમયે અનંતગુણવૃદ્ધિ વિશુદ્ધિએ વૃદ્ધિ પામતો જીવ અશુભ કર્મોની પ્રકૃતિઓનો અનુભાગ દ્વિસ્થાનક કરે છે. ઇત્યાદિ ક્રમથી જેમ યથાપ્રવૃત્તકરણમાં પૂર્વની જેમ કરે છે. અને તે જ પ્રમાણે અપૂર્વકરણ પણ કરે છે. ''વિશેષ અહીં ગુણશ્રેણિ ન કહેવી. અપૂર્વકરણોદ્ધા સમાપ્ત થયે છતે અનન્તર સમયે જ દેશવિરતિ કે સર્વવિરતિ પામે છે. તેથી *અનિવૃત્તિકરણનો અવકાશ જ નથી. ત્યાં અવિરત હોતે છતે બે કરણ કરીને દેશવિરતિ કે સર્વવિરતિ પામે છે અને જો દેશવિરતિ હોતે છતે બે કરણ કરે છે. ત્યારે સર્વવિરતિ જ પામે છે. ૨૦ અહીં પહેલી અનુમતિમાં પોતે અથવા બીજાએ પણ કરેલા પાપનું અનુમોદન આદિ છે, ત્યારે બીજીમાં માત્ર પુત્રાદિએ કરેલા પાપનું અનુમોદન આદિ છે. ત્રીજીમાં તો તે પણ નથી, ગૃહસ્થાશ્રમમાં રહેલો હોવાથી મમત્વ માત્ર છે. અહીં પૂર્વ કહેલ યંત્ર નંબર ૧થી૪ ની સ્થાપના જાણવી. સર્વથા ક્ષય કે સર્વથા ઉપશમ કરવાનો હોય છે ત્યાં જ ત્રીજું અનિવૃત્તિકરણ થાય છે. દેશવિરતિ કે સર્વવિરતિ પ્રાપ્ત કરતાં અનુક્રમે અપ્રત્યાખ્યાનાવરણીય અને પ્રત્યાખ્યાનાવરણીય કર્મનો સર્વથા ક્ષય કે સર્વથા ઉપશમ કરવો પડતો નથી પરંતુ ક્ષયોપશમ કરવાનો હોય છે તે તો અપૂર્વકરણે જ થાય છે એટલે અહીં ત્રીજા કરણની જરૂર રહેતી નથી. Jain Education International For Personal Private Use Only www.jainelibrary.org
SR No.005573
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy